________________
પાઈ. ચેતન સાંભળો તીર્થ વિચાર, આતમકું કહે ચેતન સાર; બાહા તીર્થ બહિરાતમ હોવે, બ્રહ્મરૂપક બહ નહિ જોવે. ૧૧ બાહ્ય દ્રવ્ય તીર્થ જે કહ્યાં, તેહ તીર્થ સવિ એળે ગયાં; મીથ્યા તીર્થ જે કહેવાય, ધર્મ તીર્થ વિના દુર્ગતિ જાય, ૧૨ જહાં આરંભ તે તીર્થ ઠરાવે, વડું દર્શન પ્રભુ યેઇ બતાવે; હિંસા કરી જે તીર્થ ઠરાવે, હિંસ્યારંભીતે દુર્ગતિ જાવે. ૧૩ દયા ધર્મ જીહાં તીર્થ કહીએ, તે તીર્થ કર્યો પાવન થઈએ; જીવ દયા જિહાં ધર્મ વિચાર, એ તીર્થ સાચું અધિકાર. ૧૪ અંતર આતમ શુભ દ્રષ્ટીય, આતમ પરમાતમ સમ હોય; આત્મ તીર્થ શરીરમાં રહ્યો સર્વ તીર્થથી તે અધીકે કહ્યો. ૧૫ નિજ આતમ પ્રત્યે દેખે તેહ, પરમાતમને ધ્યાવે એહ; જાણે નહિ જેણે નિજ આત્મા, તેને ગંગાદિક તીરથે ગમ્યા. ૧૬ આતમ સમ ઉપરાંત તીર્થ, જળ નાહે હંસ્યા બહુ કીધ; આત્મ જ્ઞાને પવિત્ર જે કહે, પાપ મેલ ડી ગહગહે. ૧૭
જે તીર્થ હિંસા કહી, ચિત્ત ન ધરેજે કેય જ્ઞાન થકી વિચારીને, તીરથે ફળ તવ હોય. ૧૮ એહ સ્વરૂપ જ્ઞાની કહ્યું, નિશ્ચ ને વ્યવહાર પરમાતમને ધ્યાવતાં, લહે પરમાતમ સાર. ૧૯
ઇતિ તીર્થ વિચાર. . પ્રશ્ન ૭૯ મું–જેન લેકે ગંગા માતાને માને છે કે નહિ ?
ઉત્તર–અમે જેની ગંગા માતાને માનીએ છીએ. જૈન-જૈન સાધુ જે પ્રમાણે ગંગા માતાને માને છે તે પ્રમાણે અન્યને માનતા હોય એમ જણાતું નથી.
પ્રશ્ન ૮૦ મું—એમ કેમ બોલે છે? જૈન સિયને ઘણે ભાગ ગંગા માતાને તીર્થરૂપે માનવાવાળા છે, છતાં તમે એમ કેમ કહે છે કે અમે જૈનજ માનીએ છીએ, ને બીજા તે પ્રમાણે નથી માનતા તેનું શું કારણ?
ઉત્તર–કારણ એ કે માતા પ્રત્યે પૂત્રને સંબંધ ભક્તિભાવને છે. નહિ કે ધિંગામસ્તી કરવાને, લાપાટુ મારવાને, ગંગા માતાને માનવાવાળા સુપુત્રતો તે કહે કે માતાનું રક્ષણ કરે, તેનું પ્રતિપાલન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org