SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૮ મે. અર્થ–“તારા ગુણે અથવા સુકૃત્યેની બીજી સ્તુતિ કરે અથવા સાંભળે, અથવા તારાં કામે બીજા જાએ, તેથી હે ચેતન ! તને કાંઈપણ લાભ નથી. જેમકે ઝાડનાં મૂળ ઉઘાડાં કરી નાંખ્યાં હોય તે તેથી ઝાડ ફળતા નથી, પણ ઉલટાં ઉખડી જઈને ભૈયપર પડે છે. તેમજ સારા કામે પણ ઉઘાડાં પડવાથી ભયે પડે છે.” ભાવાર્થ-એક માણસે પૃથ્વી ઉપર સુંદર ઝાડ વાવ્યું અને તેનાં મીઠાં ફળ થશે એમ તેને લાગ્યું, તેથી તેનું મૂળ કેવું હશે તે જોવાની ઈચ્છા થઈ આમ વિચારી બીજાને બતાવવા સારૂ તથા પિતાને જેવા સારૂ મૂળ ફરતાં જે માટી કચેરે વગેરે હતાં તે દૂર કર્યા અને મૂળ બધાએ જોયું પણ પરિણામ શું આવ્યું કે ફળ તે ન મળ્યું, પરંતુ ઝાડ પણ નાશ પામી ગયું. આવી જ રીતે સારાં કામને યશ સારો બોલાશે એમ ધારી આ જીવ સુકૃત્ય રૂપ મૂળ બીજાને જેવા સારૂં ઉખેડી તેની ફરતી અપ્રસિદ્ધતા રૂપ માટી વગેરે હોય છે તે દૂર કરે છે, તેમ કરવાથી જે કે યશ તે બેલાય છે, પણ તેના ફળને નાશ થાય છે અને સુકૃત્યના નાશથી તે પોતે પણ નાશ પામી જાય છે. પાને ૩૧૨ માં કહ્યું છે કે વિચારશે તે છે પણ તેમજ પારકી માણસે આપણા ગુણો કે સારા કામની સ્તુતિ કરે તેમાં લાભ શું છે? તાત્વિક વિચાર કરતાં જણાય છે કે કીતિ કે મનની ઈચ્છા એ પણ અજ્ઞાન જન્ય છે, એમાં દમ જેવું નથી, અને વિચિક્ષણ મણિ કદી તેની ઈચ્છા કરતાં નથી. આગંતુક રીત્યા સ્વિાભાવિક તે મળી જાય તે ભલે ભળે, પણ તેની ખાતર ચારિત્રવાન પોતાનું વર્તન કરે એ ચારિત્રનેજ છાજતું નથી, અને ઘણું ખરું દુનિયામાં બને છે પણ એમ કે જે એની પછવાડે દેડે છે, તેને એ વરતી નથી અને ઉલટો પછવાડે દેડવાને કલેશ આપે છે. કીર્તિને લેભીને સુકૃત્યને નાશ થાય છે અને ઘણી વાર ઉલટું અપમાન મળે છે. આ સર્વ હકીકત અનુભવગમ્ય છે અને અવલોકન કરનાર તુરત પામી જાય તેવી છે. [ ઈતિ. ] પ્રશ્ન દ૯--તપ અને જ્ઞાનમાં વિશેષાધિક કોણ ? ઉત્તર--કઈ એમ કહે કે અમે જ્ઞાન વડેજ મુક્તિ લઈશું અમારે તષની કોઈ જરૂર નથી. તેણજ તપસ્યાના કરવાવાળા પણ એમજ બેલે છે કે તપશ્ચર્યા કરવાવાળાને જ્ઞાનની જરૂર નથી, તપસ્યા વડે પણ કર્મ ક્ષય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005265
Book TitlePrashnottar Mohanmala Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages576
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy