________________
૧૬
પ્રશ્ન ૨૬-અનુત્તર વિમાનના દેવતાને ઉપશમ મેાહી કહ્યા છે તે કેમ ?
ઉત્તર-૨૮ મેહનીય કર્મની પ્રકૃતિને ઉપશમાવે તે ઉપશમમેહી કહેવાય. અને ચારિત્રાવરણીની ૨૧ પ્રકૃતિને ઉપશમાવી કાળ કરી અનુત્તર વિમાને ઉપજે તે પણ ઉપશમમેાહી કહેવાય. એમ સ ભવે છે.તત્ત્વ કેવલી ગમ્ય
પ્રશ્ન ર૭—યાપશમ સમકિતમાં કેટલીક પ્રકૃતિનો ક્ષય થાય અને કેટલીકનો ઉપશમ હોય ને કેટલીકના ઉદય હાય પણ ક્ષય થયેલી પ્રકૃતિ પાછી ઉદયમાં કેવી રીતે આવે ?
ઉત્તર—પ્રકૃતિયાના ક્ષય બે પ્રકારે થાય છે. એક ક્ષાયકભાવના ક્ષય, અને બીજો ક્ષયે પશમભાવના ક્ષય. તેમાં ક્ષાયક ભાવના ક્ષય તે ભસ્મીભૂત થાય છે. એટલે જેમ કાલસાની શ્વેત રાખ થાય છે તેની અગ્નિ થાય નહિ તે પાછી સળગે નહિ. તેમ ક્ષાયક સતિવાળાની જે પ્રકૃતિયા ક્ષય થઇ હાય તે પાછી ઉદયમાં આવતી નથી. અને ક્ષયે પશમભાવના ક્ષય થયા હોય તે લાકડાના બળેલા કોયલારૂપ છે. તે અગ્નિ સ`સ્કારે પાછા પ્રજવલિત થાય છે. તે ક્ષયાપશમ સમકિતવાળાની જે પ્રકૃતિયા ક્ષય થયેલી હેાય તે પ્રકૃતિ ઉદયભાવથી પાછી પ્રગટ થાય છે. એટલે ક્ષયાપશમ સમિતિવાળાને પડવાને સભવ છે, અને પહેલે ગુણઠાણે પણ જાય છે.
ક્ષાયક સમિકત અપડીવાઇ છે, એટલે ક્ષાયક સમિતવાળા કિંદ ભવકરે ! પણ તે સમિતિ મુકે નહિ. ઇત્ય.
પ્રશ્ન ૨૮—ક્ષાયક સમિતવાળા ભવ કેવી રીતે કરે ? ક્ષાયક રાતિ તે આઠમે ગુણઠાણે પ્રાપ્ત થાય છે ને તે ક્ષપક શ્રેણીએ ચડી તેજ ભવે મોક્ષ જાય છે. ક્ષાયક સમિતવાળાને ભવ હાતા નથી. એમ સાંભળ્યું છે તે કેમ ?
ઉત્તર—ક્ષાયક સમકિતવાળા ઉત્કૃષ્ટા ત્રણ ભવ કરે છે એમ ભગવતીજી તથા ઉત્તરાધ્યયન સૂત્રથી નિ”ય થાય છે. ક્ષાયક સમિકિત ચેથે જીણુઠાણુ પણ થાય છે. ચેાથે ક્ષાયક સમકિત પ્રગટ ન થયુ હોય અને તેજ ભવે મોક્ષ જવાવાળા જીવ હોય તેને આમે ગુણઠાણે ક્ષાયક સમિત થાય અને પછી ક્ષપકશ્રેણીએ ચડે એ વાત ખરી છે.
પ્રશ્ન ૨૯—ક્ષાયક સમકિત ચાથે ગુણઠાણે કેટલાક માને છે અને કેટલાક માનતા નથી, કારણ કે ચેાથે ગુણહાણે ક્ષાયકભાવ નથી અને આમે ગુણ:ણે ક્ષાયકભાવ છે માટે ક્ષાયકસમકિત આઠમે શુઠ્ઠાણેજ હોય તેમ કેટલાકનુ માનવું છે તે કેમ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org