SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રત્તર મેહનમાળી–ભાગ ૮ મે. ૪૩૧ ત્યારે પાંચસે મુનિમાં ચાર અણગારે જુદી જુદી રીતે ઉત્તર આપે કે, પૂવ્વવેણું પૂવસંમેણે કમ્બિયાએ સંગીયાએ વળી ચારમાંથી એક મુનિ બોલ્યા કે હે આર્ય ! એ ચાર બેલે કરી દેવા દેવકને વિષે ઉપજે. avigaહેનો વેવ ગાદમાવવત્તવે સાચે છે એ અર્થ-નહિ નિએ આત્મ ભાવની વ્યક્તવ્યતા એટલે દેવતામાં ઉત્પન્ન થવાનાં એ ચારજ કારણ છે. તેમાં આત્મભાવની વ્યક્તવ્યતા નથી એ અર્થ સાચે છે. આટલું કહેતાં જ શ્રાવક સમજી ગયા. પ્રશ્ન ૪–હવે અહિયાં પ્રશ્ન તે પૂશ્વતણું અને પૂવ સંજમણને છે, કારણ કે પશ્ચાત્તા બે બેલ કમીઆએ અને સંગીયાએને અર્થ સુગમ છે માટે પૂછેલા પ્રશ્નને ખુલાસે થે જોઈએ. ઉત્તર–સાંભળે. શ્રાવકે પૂછેલા પ્રશ્નને ઉત્તર સાધુજીએ આપતાં, શ્રાવકે તર્ક કર્યો કે સંજમે કરી નવાં કર્મ આવતાં બંધ પડે અને તપે કરી જુનાં કર્મ ખપાવે તે સાધુ મોક્ષમાંજ જાય કારણ કે-સાધુની માત્ર બેજ ગતિ છે. દેવલેક અને મોક્ષની. સંજમ તપના અધિકારી પણ સાધુજ છે. વળી ધર્મદેવ તરીકે ગણાતા પણ સાધુજ છે, માટે દેવા શબ્દ કહીને બેલાવ્યા છે, બાકીના બીજા ( સાધુ સિવાયના) દેવલેક જવાવાળા હેવાથી ભવિયદ્રવ્ય દેવ કહેવાય પણ ધર્મ દેવ કહેવાય નહીં. માટે પ્રશ્નના કરવાવાળા અને ઉત્તરના દેવાવાળાને એકજ અભિપ્રાય ધર્મદેવ સંબંધીનાજ હોવાથી તેની ગતિ તે મોક્ષની જ હેવી જોઈએ. એ શ્રાવકે ફરીથી કરેલા પ્રશ્નને અભિપ્રાય સાધુએ જાણીને ધર્મદેવ દેવલેક કેમ જાય છે? તેને ઉત્તર ચાર સાધુએ જુદા જુદા સ્વરૂપે આપ્યો, તેમાં પ્રથમના બે બેલમાં એમ જણાવ્યું કે-સંજમ બે પ્રકારના છે. પૂર્વ અને ઉત્તર (પ્રધાન) એટલે સરાગ સંજમ, અને વીતરાગ સંજમ. તેમાં સરાગ સંજય દશમા ગુણઠાણા સુધી છે તે પૂર્વ કહેતાં પહેલો છે. તેની ગતિ દેવકની જ છે. અને બીજો ઉત્તર એટલે પ્રધાન વીતરાગ સંજમ છે. તેના પણ બે ભેદ છે. પહેલે ઉપશાંત વીતરાગ સંજમ તે અગીયારમે ગુણઠાણે છે. તે ઉપશાંત હોવાથી સરાગને સત્તામાં ગણીને પણ પૂર્વે સંજમમાં ગવેષી દેવકની ગતિ કહી છે. અને બીજે ક્ષીણ મેહ વીતરાગ સંજમ બારમાં ગુણઠણાથી ચદમાં ગુણઠાણા સધીને કહ્યો છે તેની ગતિ મેનીજ હોય. માટે ધર્મદેવ સરાગ સંજમને લઈને દેવલેકમાંજ જાય છે, માટે તે પૂર્વને સંજમ કહેવાય. પ્રશ્ન પ-પૂર્વને સંજમ તે ઠીક જણાવ્યું, પણ હવે પૂર્વ તપ કેવી રીતે ગણાય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005265
Book TitlePrashnottar Mohanmala Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages576
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy