SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ શ્રી પ્રનત્તર મિહનમાળા–ભાગ ૭ મે. સંયતી-સાતમા ગુણસ્થાનથી ઉપલા ગુણસ્થાનવાળા ૫, ચૌદપૂવી ૬, અને આહારક શરીર ૭, એ સાત બેલનું કદી પણ સાહારણ ન થાય. કેવળી અપ્રમાદી અને અપગત વેદવાળા છે માટે તેનું સાહરણ ન થાય અર્થાત્ કેવળીનું સાહરણ કેઈ કરી શકે નહિ.--ઉપર કહેલા સાત બોલમાંના એક પણ બેલનું સાહરણ કેઈ કરી શકે નહિ એ વાત સત્ય છે. પ્રશ્ન ૬૧–ભગવતીજીના ૨૫ મા શતકમાં સંજ્યા નિયંઠાના અધિકારે-એક પરિહારવિશુદ્ધ ચારિત્ર અને પુલાકનિયંઠી વરખને બાકીનાં ૪ ચારિત્ર અને પ નિયંઠાનું સાહરણ થવું કહ્યું છે તે કેમ? ઉત્તર–તે વાત સત્ય છે. સંજ્યા અને નિયંઠાના અધિકારે કાળ આશ્રી અને ક્ષેત્ર આશ્રી જ્યાં પૃચ્છા કરી છે ત્યાં જન્મ અને છતા આશ્રી લાભતા હોય તેની હા અને ન લાભતા હોય તેની ના કહી છે. પણ જ્યાં ના કહી છે ત્યાં પણ સાહરણઆશ્રી પરિહારવિશુદ્ધ ચારિત્ર અને પુલાકનિયંઠો વરજીને બાકીનાં ૪ ચારિત્ર અને ૫ નિયંઠા લાભવા કહ્યા છે. પણ તેને પરમાર્થ એ છે કે-એ ચાર ચારિત્ર અને પાંચે નિયંઠાનું સાહરણ થાય એમ કહ્યું નથી, પરંતુ લાભવાઆથી કહેલ છે. એટલે સામાયિક છેદો પસ્થાપનીય ચારિત્રવાળા તથા બકુશ પ્રતિસેવના નિયંઠાવાળાનું સાહરણ થઈ. શકવા સંભવ છે. તે પણ છઠ્ઠા ગુણસ્થાનવાળા પ્રમાદી સાધુનું સાહરણ કરી અન્ય સ્થળે કે દેવે મૂક્યા બાદ પરિણામની ધારાએ ચડતાં જથાખ્યાતચારિત્ર સહિત નિગ્રંથ સ્નાતકનિયંઠને ગુણ પ્રગટે અને ત્યાં કેવળજ્ઞાન પામી મોક્ષ પણ જાય, પરંતુ તેનું સાહરણ કહેવાય નહિ. સાહરણ તે પ્રમત્તપણામાં એટલે પ્રમાદીનું અને સવેદીનુંજ થઈ શકે છે. સાહરણ થયા બાદ બીજા ગુણે પ્રગટ થવા સંભવ છે, તે ત્યાં સુધી કે કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી મોક્ષ જઈ શકે. એ પરિણામની ધારાની વાત છે. સમુદ્રમાં પણ સિદ્ધ થાય છે તે તે પણ સાહરણ કરેલા પ્રમત્ત સંજતી સાધુને સમુદ્રમાં કઈ દે ફેકી દેતાં પરિણામની ધારાએ અંતગડ કેવળી થઈ સમુદ્રમાંથી જ મોક્ષ જાય એમ અઢીદ્વીપની અંદર ૪૫ લાખ જનની હદમાં ગમે તે સ્થળે સાહરણઆશ્રી છઠ્ઠા ગુણસ્થાનથી ઉપલા ગુણસ્થાનવાળા લાભે ખરા, પણ સાહરણ તે છઠ્ઠા ગુણઠાણાવાળા પ્રમાદીનું જ થવા સંભવ છે. પ્રશ્ન –જીવાભિગમ સૂત્રની બીજી પડિવૃત્તિમાં ત્રણ બોલમાં સ્ત્રીવેદઆશ્રી કહ્યું કે-ભરત ઇરતમાં સ્ત્રીવેદની સ્થિતી જઘન્ય અંતર્મુહૂર્ત ને ઉત્કૃષ્ટી ત્રણ પલ્યને દેશે ઉણી પૂર્વ કેડી અધિક તે શી રીતે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005265
Book TitlePrashnottar Mohanmala Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages576
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy