SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નોત્તર મેાહનમાળા—ભાગ ૬ ઠ્ઠો. 303 ઉત્તર-દ્રવ્યૂલિંગ આશ્રી સ્વલિંગમાં પાંચ ચારિત્ર કહ્યાં તેના વિકલ્પ બે છે. એક તા એક ઉપશમ શ્રેણીથી પડતાં અને ખીજો વિકલ્પ-અશેચાને તથા અન્યલિંગ ગૃહલિંગને ભાવચારિત્રના ભળે કેવળજ્ઞાન ઉત્પન્ન થયે વધારે આયુષ્ય હાવાથી જૈનલિંગ ધારણ કરે, તે તેને દ્રવ્યલિંગ છે, અને જૈનને સ્વલિંગ છે. માટે દ્રવ્યલિંગ આશ્રી સ્વલિંગમાં પાંચ ચારિત્ર કહ્યાં, અને ભાવલિંગ આશ્રી સ્વલિંગમાં પાંચે ચારિત્ર લાલે તે સમકિત સહિત મૂળ સાધુના ( જૈનના ) લિંગે ( વેશે ) તે પાંચ ચારિત્ર હાય. અને દ્રવ્યલિંગ આશ્રી અન્યલિંગ ગૃહન્ટિંગ તે તેને સ્વલિંગ છે. પણ ભાવથી સમકિત પ્રગટવે ૪ ચારિત્ર ( પરિહારવિશુદ્ધ વરજી ) પ્રાપ્ત થયે, મૂળલિંગ તે દ્રવ્યલિંગ કહ્યો~અને ભાવલિંગ આશ્રી સ્વલિંગમા એટલે સાધુ વેશમાં તે પાંચે ચારિત્ર લાભે. એટલે સમ્યગજ્ઞાન, દર્શન, ચારિત્ર સહિત જૈન સાધુના વેશ તે ભાવેથી સ્વલિંગ કહીએ. તેમાં પાંચે ચારિત્ર લાલે. અને ભાવથી અન્યલિંગ ગૃહલિંગ તે તેના મતના મમત્વ સહિત, મિથ્યાર્દષ્ટિ સહિત, કદાગ્રહ સહિત, લિંગમાં એકે ચારિત્ર નહિ. એટલે અન્યલિંગ અને ગૃહલિંગ તેના મતને સ્વલિંગ છે. અને મિથ્યા-ષ્ટિને લઇને મત કદાગ્રહુને લઈને તેના ભાવ લિંગ છે. માટે એકે ચારિત્ર ન હેાય. પ્રશ્ન ૬૪—અન્યલિંગ ગૃહલિંગમાં છેદેપસ્થાનીય ચારિત્ર કેવી રીતે લાલે ? ઉત્તર-—કોઇ જૈનના સાધુપર રાજાદિકને કોપ થયા હોય કે અમુક સાધુને પકડવા એમ સાધુના જાણવામાં આવવાથી સાધુએ વેશ બદલે કરી નાંખ્યા. અન્યલિંગ કે ગૃહલિંગ ધારણ કરી લીધા. એટલે ભાવથી સાધુપણું (ચારિત્ર) સાખીત રાખી દ્રવ્યથી અન્યલિંગ ગૃહલિંગ ધારણ કરી નીકળી જાય તે સ્મશ્રી. અથવા રાજાએ કોઇ જૈન સાધુ ઉપર જ પાડી કે અમુક મુદ્દતમાં મારી હદ છોડી દેવી, તેટલી મુદતમાં હૃદ નહિ છેડી શકવાના કારણે રાજાના ભયને લઇને વેશ પાલટો કરે. સાધુપણાનો વેશ મૂકીને દ્રવ્યથી ખીજે વેશ ધારણ કરે, ભાવથી સુનિપણું સાખીત રાખે તે આશ્રી છેદોપ સ્થાપનીય ચારિત્ર લાભે. અર્થાત્ તને ચાર ચારિત્ર લાલે પણ એક પરિહાર વિશુદ્ધ ચારિત્ર મુનિના વેશ વિના નજ હેાય એવા જૈનશાસ્ત્રના ન્યાય છે. પ્રશ્ન ૬૫—ભ. શ. ૨૫ મે, ઉ. ૬, નિગ્રંથ નિયંઠાને એકે સમુદ્ ઘાત નથી તે તેની ( ૧૧ તા ગુણઠાણાની ) ગતિ અનુત્તર વિમાનની કહી તા મારણાંતિક સમુદ્દાત વિના કેમ મરે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005265
Book TitlePrashnottar Mohanmala Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages576
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy