________________
શ્રી પ્રત્તર મેહનમાળા--ભાગ ૬ ઢો.
કહેવાય) વાટલા પ્રમુખ સંસ્થાનનું મળવું, તેમજ વણે વણે, ગધગંધ, રસે રસ ને ફરફરસનું (એમ ઘણા વર્ણાદિકનું) એક બીજામાં મળવું તે સંજોગ ને મળેલે વર્ણાદિકને વિજોગ થવો- જુદું થવું તે વિભાગ. એટલાં લક્ષણે પર્યાયનું સ્વરૂપ જીણવું
એ પુદ્ગલ સંબંધીના દ્રવ્ય, ગુણ ને પર્યાયનું સ્વરૂપ કહ્યું. તે ઉપર વિચાર કરતાં મૂળ દ્રવ્યથી ગુણ અને પર્યાય જુદા નથી. જેમ સાકરનું ગળપણ અને તેને વણ જુદાં નથી તેમ સાકર તે દ્રવ્ય, ગળપણ તેને ગુણ ને વર્ણ તેની પર્યાય. પણ સાકરના પાણીમાં લાલ રંગ નાખે તેથી લાલ પાણી થયું. પરંતુ લાલ રંગના પરમાણુઓની બહુલતાએ અને સાકરના પરમાણુઓ શ્વેત રંગના હતા તે ગણતાએ રહી લાલ રંગનું સાકરનું પાણું ગણાયું. પણ સાયન્સવાળા રસાયણશાસ્ત્રીઓ લાલ રંગને મળેલા પરમાણુઓને (પુદ્ગલોને) જુદા પાડી મૂળ સાકરના દ્રવ્યોને સાકરરૂપે જુદી પાડી છે. તેમ પરમાણુઆનું પણ તેવી જ રીતે જાણવું. મૂળ દ્રવ્યના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ તે તેમના તેમજ રહે, બીજા દ્રવ્યમાં મળવાથી પાલટણ ગુણ થાય અને જુદા પડે ત્યારે મૂળ સ્વરૂપે જ હેય અર્થાત્ મૂળ દ્રવ્યની પર્યાય જુદી પડતી નથી.
પ્રશ્ન ૧૫–માથાના કેશ કાળા હોય તે વેળા કેમ થાય છે? એ ઉપરથી એમ જણાય છે કે કાળા વર્ણની પર્યાય હતી તે પર્યાય પાલટીને શ્રિત વર્ણની પર્યાય થઈ ગઈ. એ ઉપરથી પરમાણુઆની પર્યાય પલટાને સંભવ રહે છે.
ઉત્તર–આ વાતને વિચાર કરશે તે તરત જ સમજાશે કે -પ્રથમ કાળા પરમાણુઆના મળવાથી કાળા કેશ હતા. તે કાળાંતરે કાળા પરમાશુઆનું ખસવાપણું થતું ગયું અને ધોળા પરમાણઆ મળતા ગયા તેથી કાળા ટળી વેળા કેશ થાય, તેથી કેશની પર્યાય પાલટી ગણાય, પણ પુદ્ગલની પર્યાય તે મૂળ દ્રવ્યની હતી, તેમની તેમજ રહે. તેના માટે ઉત્તરાધ્યયનના ૨૮ મા અધ્યયનની ૧૩મી ગાથાના પહેલા અને ત્રીજા પદનો વિચાર કરશે તે તરત સમજાઈ આવશે.
વિશેષ સમજુતીને માટે સાંભળ- ભગવતીજી શતક ૧૮ મે ઉદ્દેશ ૬ વૅ તથા શતક ૨૦ મે ઉશે ૫ મે પરમાણુપુદ્ગલથી ૧ વર્ણ ૧ ગધ, ૧ રસ, ૨ સ્પર્શ કહ્યો છે. (તે મૂળ દ્રવ્યના તે તરવભાવેજ રહે
તેમજ વળી, ભગવતીજી શતક ૧૪ મે, ઉદ્દેશ ૭મે છાપેલ (બાબૂ વાળા) પાને ૧૧૮૧ મે કહ્યું છે કે ઘરમાણુ પો પરમાણુ પાછા ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org