SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રકાર મિહનમાળા-ભાગ ૫ મે. ૩૩૧ પ્રશ્ન ૮૩–તિર્યંચ મનુષ્ય અને દેવતામાં જવાવાળાને મરતી વખતે કઈ પ્રકૃતિને ઉદય હેય? અને કદિ સમકિતથી પડે તે કઈ પ્રકૃતિના ઉદયથી પડે? ઉત્તર–ઠાણાંગજીના ૪ થે ઠાણે, ઉદ્દેશે ૨-૩ જે કહ્યું છે કે-નરકમાં જવાવાળાને અનંતાનુબંધીની ચેકડીને ઉદય હોય. તેમ તિર્યંચમાં જવાવાળાને મરતી વખતે અપ્રત્યાખ્યાનીની ચેકડીને ઉદય હોય, અને મનુષ્યમાં જવાવાળાને પ્રત્યાખ્યાનીની ચાકડીને ઉદય હોય. તેમજ દેવતામાં જવાવાળાને સંજળની ચેકડીને ઉદય હેય. એટલે જે જે પ્રકૃતિના ક્ષપશમથી જે જે ગુણ પ્રગટ હતું તે તે પ્રકૃતિને ઉદય થવાથી ચડેલી ડીગ્રી-ગુણથી પડવાપણું થાય. જેમકે અનંતાનુબંધીની ચેકડી ખસવાથી સમક્તિની પ્રાપ્તિ થાય, પણ તેજ ચોકડીને તીવ્ર ઉદય થવાથી સમક્તિને નાશ થાય અને મરીને નરક ગતિમાં જાય. તેમજ અપ્રત્યાખ્યાનીની ચેકડી ખસવાથી શ્રાવક પણું પામે, અને તે ચેકડીના ઉદયથી શ્રાવકપણાથી-પાંચમા ગુણસ્થાનથી પડે, અને તે ચેકડીમાં કાળ કરે તે મરીને તિર્યંચમાં જાય, અને પ્રત્યાખ્યાનીની ચેકડી ખસે ત્યારે સાધુપણું–છ ગુણસ્થાન પ્રાપ્ત થાય—અને તેજ પ્રકૃતિને ઉદય થાય તે સાધુપણથી (છઠ્ઠા ગુણસ્થાનથી) પડે. અને તે ચેકડીમાં કાળ કરે તે મરીને મનુષ્ય ગતિમાં જાય. અને સંજળની ચોકડીનું ખસવા પણ થાય ત્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય, અને તે ચેકડીને ઉદય થાય તે કેવળજ્ઞાન અટકે, અને તે ચેકડીમાં કાળ કરે તે મરીને દેવતા થાય. એ તે ચારિત્ર ગુણની વૃદ્ધિહાનિનું ફળ કહ્યું. પરંતુ સમકિતથી પડવાવાળા તિર્યંચ, મનુષ્ય અને દેવતામાં જવાવાળાને અનંતાનુબંધીની ચેકડીના ઉદયની જરૂર જણાતી નથી. પણ તેને તે સમકિત મેહનીયને તીવ્ર ઉદય થવાથી ઉપશમ અથવા ક્ષપશમ સમકિતથી પડવાપણું થાય. તેમાં પહેલા ગુણઠાણે જવાવાળાને તે ભૂમિને પ્રાપ્ત થવાના સમયે અનંતાનુબંધીની ચેકડીને ઉદય થાય છે, અને સાસ્વાદાન સમકિત પામેલાને પણ તેની સ્થિતિની હદમાં અનંતાનુબંધીને ઉદય થયા બાદ મિથ્યાત્વ પ્રાપ્ત થતું હોય એમ જણાય છે. પણ પાંચમા-છડું ગુણઠાણથી પડવાવાળાને તો પ્રથમ ચારિત્ર મોહનીયના ઉદયથી પડવાપણું થાય છે. અર્થાત્ છઠ્ઠા ગુણઠાણાથી નીચેના ગુણઠાણાવાળાને પડવું થાય અને મિથ્યાત્વ મેહનીયને ઉદય થાય તે પાધરે પહેલેજ ગુણઠાણે-જાય, અને બીજી પ્રકૃતિઓનો ઉદય થાય તે જેવી પ્રકૃતિને ઉદય તેવી મારાએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005265
Book TitlePrashnottar Mohanmala Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages576
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy