SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા–ભાગ ૫ મે. ઉત્પન્ન થયેલે, અને બીજો આરંભ થકી ઉત્પન્ન થયેલું. તેમાં સંકલ્પ થકી ઉત્પન્ન થયેલે તે આ જીવને હું મારું એ પ્રકારે મનના સંકલ્પ થકી થાય છે. અને બીજો કૃષી કર્મ કરે તે ગૃહાદિક આભને વિષે પ્રવર્તવાં થકી થાય છે. તે બન્ને મધ્યે ગૃહસ્થ સંકલ્પ થકી ઉત્પન્ન થયેલે એ સ્થૂલ પ્રાણું ને વધ તે થકી નિવૃત્તિ પામે છે. પણ આરંભ થકી થયેલી પ્રાણીને વધ તે થકી નિવૃત્તિ પામી શકતે નથી, એટલે તેને ત્યાગ કરી શકતા નથી. કેમકે તે વિના તેના શરીર તથા કુટુંબાદિકને નિર્વાહ ન થઈ શકે. એ કારણ માટે તે શ્રાવક વ્રત અંગીકાર કરતી વખતે એ વિચાર રાખે છે કે, સંકલ્પીને કોઈ જીવને મારૂં નહીં, અને આરંભ કરતી વખતે જતના કરું એવી રીતે વ્રત ગ્રહણ કરે છે. એ પ્રમાણે આરંભથી ઉત્પન્ન થયેલી જે હિંસા તેને નિયમ ન કરવે કરીને દશ વસા મળેથી પાંચ વસા ગયા અને પાંચ વસી રહ્યા વળી તેની મધ્યે વિશેષ દેખાડીએ છીએ. નિયમ કરેલો એ જે સંકલ્પ તે થકી ઉત્પન્ન થયેલે જે વધે તે બે પ્રકારે છે. એક અપરાધ બીજે નિરપરાધ. તેની મધ્યે અપરાધ સહિત એવા ચાર તેને રાજાદિકને સંકલ્પીને પણ બંધ પ્રત્યે ન વજે, અને નિરપરાધને તે સંકલ્પને બંધ ન કરે. એટલે અપરાધી પુરૂષને બંધ કરવાને યા વધ કરવાને ત્યાગ ગૃહસ્થથી થઈ શકતું નથી, અને નિરપરાધના બંધને ત્યાગ થઈ શકે છે, એ કારણ માટે અપરાધ સહિત હિંસાના અનિયમે કરીને પાંચ વસા મળેથી અઢી વસા ગયા, અને અઢી વસા રહ્યા. વળી નિયમ કરેલો નિરપરાધને જે વધ તે પણ બે પ્રકારે છે. તેમાં એક સાપેક્ષ, અને બીજો નિરપેક્ષ તેની મધ્યે અપેક્ષા સહિત એટલે આશંકા સહિત એટલે શંકાનું સ્થાનિક અને તેથી વિપરીત તે નિરપેક્ષ તેની મથે શ્રાવક સાપેક્ષ હિંસા ન વજે, એટલે તેને ત્યાગ નથી કરી શકતે, અને નિરપેક્ષ હિંસા વજે છે, એટલે ત્યાગ કરે છે તેનું તાત્પર્ય એ છે કે કેઈક રાજ્યના અધિકારી પુરૂષે બાર વ્રત અંગીકાર કર્યો છે. તે પણ પિતાના મર્મન જાણવા થકી શંકાનું સ્થાનક એ કે પુરૂષ નિરપરાધી એટલે અપરાધ રહિત છે. તે પણ તેના વધ પ્રત્યે નિષેધ ન કરે. એટલે કોઈક પુરૂષ પિતાના મર્મ પ્રત્યે જાણે છે અને નિરપરાધી છે. તે પણ પોતાના મનમાં એવી શંકા ઉઠી કે આ પુરૂષ મારી વાત રાજાને કહી દેશે તે મને મોટું વિઘ આવી પડશે એવું જાણીને તેને કોઈ વખત રાજા કેદ કરતે હોય તે પિતે જોઈ રહે પણ તેને નિષેધ કરે નહિ. કેમકે પિતાને ધર્મના વિદ્મની બીક છે, માટે એ રીતે સાપેક્ષ હિંસા ન વ જ કરીને અઢી વસામાંથી સવા વસે ગયે, એને સવા વચ્ચે રહ્યો. એ રીતે શ્રાવકને સવા વસાની દયા હેય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005265
Book TitlePrashnottar Mohanmala Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages576
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy