SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૪ છે. ૨૮૫ પ્રશ્ન ૧૦૧–રાત્રિમાં ખરાબ સ્વપ્ન લાધ્યું હોય તેનું નિવારણ શી રીતે કરવું ? ઉત્તર–નિદ્રા લઈ ઉઠતાં જ પ્રથમ નવકાર મંત્ર ગણવે. પછી ધર્મ જાગરિકા કરવી, એટલે પાછલી રાતે વિચાર કરે. તે આ સતે કોણ અને મારી જાતિ કઈ ? કુળ કયું ? દેવ કોણ ? ગુરૂ કયા ? ધર્મ કર્યો? વગેરે આત્માના ગુણો અને ધર્મ સંબંધીની ચિતવણ કરવી. ધર્મ જાગરિકા કરી રહ્યા પછી પ્રતિક્રમણ કરી રાગાદિમય કુસ્વપ્ન દ્વેષાદિમય દુઃસ્વપ્ન તથા માઠા ફળનું સૂચક સ્વપ્ન એ ત્રણેમાં પહેલાના પરિહારને અર્થે એકસો આઠ શ્વાસને કાઉસગ્ગ કરે, અને બાકીના પરિહારને અર્થે સે શ્વાસને કાઉસગ કરે. વ્યવહાર ભાષ્યમાં કહ્યું છે કે— (સ્વમમાં) મૈથુન (સ્ત્રી ભેગ) પિતે કર્યું હોય તે સત્તાવીશ કને (એક આઠ વાસને) કાઉસગ કર. તથા ચાર લેગસ્સને તથા દશ વૈકાલિક સૂત્રના ચોથા અધ્યયનમાં કહેલાં પંચમહાવ્રત ચિંતવવાં, અથવા સ્વાધ્યાયરૂપ ગમે તે પચીશ લેક ગણવા. કેઈ વખતે મેહનીય કર્મના ઉદયથી સેવારૂપ કુસ્વમ આવે તે તેજ વખતે ઉઠી ઈરિયાવડી પૂર્વક પ્રતિક્રમણ કરી એકસો આઠ વાસને કાઉસગ્ગ કર. જે પુરૂષ સવારમાં ઉડીને જિન ભગવાનનું ધ્યાન અથવા સ્તુતિ કરે, કિંવા પાંચ નવકાર ગણે તેનું દુઃસ્વમ ફોગટ થાય. (એમ શ્રાદ્ધવિધિ ગ્રંથમાં કહ્યું છે) ઠાણાંગ સૂત્રના ૬ કે ડાણે છે પ્રકારનાં પ્રતિકમણ કહ્યાં છે તેમાં સ્વપ આવવાવાળાને માટે આઉલ માઉલાદિકનું પ્રતિક્રમણ કર્યું છે. એટલે સ્વામથી જાગેલા પુરૂષે ઉઠીને તરત જ શ્રમણ સૂત્રના પહેલા પાઠની આલેચના સહિત ઈરિયાવહી પડિકમવી અને સ્ત્રીયાદિ વિપર્યાસ સ્વમ આવ્યું હોય તે વધુ વાક્ય પ્રમાણે ઉપર કહ્યા પ્રમાણે ઈરિયાવહી પડિકકમી ચાર લેગસ્સને કાઉસગ કરે. આમ કરવાથી ખરાબ અને દુષ્ટ સ્વપનું ફળ બેસી શકતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005265
Book TitlePrashnottar Mohanmala Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages576
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy