SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૪ છે. ૨૮૧ પ્રશ્ન ૯૬–ત્યારે કઈ કહે કે-પડિમ અંગીકાર કરી નથી, પિ પણ કર્યો નથી ને વ્રત પણ આદર્યા નથી માટે તેને નિત્ય પ્રતિક્રમણમાં શ્રમણ સૂત્ર શા માટે કહેવું જોઈએ ? ઉત્તરપિ, પડિમા કે વ્રત વિના શ્રમણ સૂત્ર કહેવું નહિ તે પછી પડિસ્કમાણું પણ શાને માટે કરવું જોઇએ? પડિકમણું તે વ્રતના અતિચાર આવવાનું છે. વ્રત નહિ તે અતિચાર શાના? ને આવવું શું? માટે દેવાનુપ્રિય ! શ્રાવકને સદણ પરૂપણા ને ફરસના એ ત્રણે બોલની શુદ્ધતા કરવી, તથાપિ ફરસના બની ન શકે તે સદહણા, પરૂપણ તે શુદ્ધ રાખવી તે શ્રાવકને ધર્મ છે. દાખલા તરીકે--હંમેશાં સંથારો કરે પડતું નથી, પણ પડિકમણામાં હંમેશાં સંથારાને પાઠ ભણ પડે છે. તે સંથારાની સદણુ પરૂપણા શુદ્ધ કરવા માટે છે ને સંથારો તે ફરસે ત્યારે ફરસના શુદ્ધ કહેવાય. દાખલા તરીકે-શ્રાવકને હંમેશાં દશમું વ્રત કે પિષે કરે પડતા નથી તથા સાધુને દાન દેવાને પણ હંમેશાં વખત મળતું નથી, પણ પ્રતિકમણમાં તે વ્રતની આલેચના કરવી પડે છે. વળી જેમ સાધુને બને ટંકનાં પ્રતિકમણમાં રાત્રિ જોજનને દોષ આવવાની જરૂરીયાત હેવી ન જોઈએ એ તે માત્ર પ્રભાતના પ્રતિકમણમાંજ તે વ્રતમાં લાગેલા દોષ તથા સ્વમાંતરમાં રાત્રિ ભોજનને દોષ લાગ્યો હોય તે આવવાની જરૂર પડે, તથાપિ બને ટંકનાં પ્રતિકમણમાં સાધુને છ વ્રત રાત્રિ ભેજનનું પરિપાટીએ કહેવું પડે છે. તેમજ શ્રાવકને પરિપાટીએ પડિક્કમણમાં કહેલા વ્રતાદિક તથા સંથારાને પાઠ તથા શ્રમણ સૂત્ર વગેરે કહેવાને કઈ જાતને બાધક નથી. કદાપિ કે પ્રસંગે પાત કઈ વખત શ્રમણ સૂત્ર ન કહે તે પણ પડિક્કમણાને વાંધો આવતા હોય એમ પણ બનવા સંભવ નથી. પણ પડિમાધારી કે પિવાવાળાને તે અવશ્ય શ્રમણ સૂત્ર કહેવાની જરૂર છે. પ્રશ્ન ૯૭– કોઈ દેવતાની માનતા માને તેને સમક્તિ કહીએ કે નહિ? ઉત્તર–માનતા બે પ્રકારની ચાલે છે. એક લૌકિક દેવની, બીજી લકત્તર દેવની, તેમાં લોકોત્તર દેવની માનતાના બે ભેદ છે. કેઈ સંસાર સુખની લાલસાએ દેવ ગુરૂ કે ધર્મની માનતા માને તેને સમક્તિની મલીનતા થવા સંભવ છે, અને કેઈ સંસાર સુખથી મુક્ત થવા નિમિતે માનતા માને જેમકે અનાથી મુનિની પરે હું આ રોગથી મુક્ત થાઉં તે મુનિપણું અંગીકાર કરું. અર્થાત સંસારને ત્યાગ કરું, આ માનતા સમક્તિને નિર્મળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005265
Book TitlePrashnottar Mohanmala Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages576
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy