________________
શ્રી પ્રકાર મિહનમાળી–ભાગ ૪ છે.
ર૭૯
અર્થ –જે પાપ કરી મિચ્છામિ દુક્કડ દઈને ફરી પાપ કરે, તેની પપનિંદા મિથ્યા છે. કેમકે જેવું બેલીએ તેવું પાળીએ નહિ તે તેજ મિથ્યાત્વ છે ઈતિ.
(આને પરમાર્થ એ છે કે-પાપની નિંદા કરવાથી એટલે પિતે કરેલા પાપને આત્મ સાક્ષીએ પ્રગટ કરી તેની નિંદા કરવાથી અથવા જ્ઞાની પુરૂષોની શાક્ષીએ ચેખા હૃદયથી આલેચના સાથે મિચ્છામિ દુક્કડં દેવાથી પાપનું નિવર્તન થાય છે. તે પાપને કચરે હૃદયથી દૂર થયા પછી વિશેષ ધર્માનુષ્ઠાન કરવાથી વિશેષ આત્માને ફળદાયક થાય છે. જેમ રોગી માણસને પ્રથમ રેચ આપી કેઠો સાફ કરી પરેજી સાથે દવા કરવાથી રોગને નાશ થાય છે તેમ જાણપણે થયેલા પાપથી નિવર્તવાને તે પાપથી દૂર થવાને ગુરૂ સમક્ષ આલેચન કરી પ્રાયશ્ચિત લેવાથી તે પાપ દૂર થાય છે, અને અજ્ઞાનપણે અજાણપણે થયેલા પાપને દૂર કરવાને માટે ભગવંતે મિચ્છામિ દુક્કડની ફાકી બતાવી છે. ખરા અંતઃકરણથી માત્ર મિચ્છામિ દુક્કડં દેવાથી પાપનું રળવાપણ થવા સાથે આત્મનિર્મળ થાય છે.)
પ્રશ્ન ૯૨–“મિચ્છામિ દુકકડ” એ શબ્દને અર્થ શું ?
ઉત્તર—-અધ્યાત્મ પરીક્ષામાં કહ્યું છે કે–મિ કહેતાં કાયાથી તથા ભાવથી મૃદુ થઈ, છા કહેતાં અસંયમરૂપ દોષનું અછાદન કરીને, મિ કહેતા ચારિત્રની મર્યાદામાં રહ્યો કે, દુ કહેતાં દુષ્કૃત કાર્ય કરનાર જે આત્મા તેને હું નિંદ્ર છે, કે કહેતાં મેં જે પાપ કર્યા છે તેનું, હું કહેતાં ઉપશમ પામીને ઉલ્લંઘન કરૂ છું એ અર્થ જાણીને મિચ્છામિ દુક્કડં દીધા પછી ફરી પાપ ન કરવું તે પાપની સાચી નિંદા કહેવાય છે.
પ્રશ્ન ૯૩–શ્રાવકને પ્રતિક્રમણમાં શ્રમણ સૂત્ર કહેવું કે નહિ ?
ઉત્તર– હાલમાં જે જે સાધુ તથા શ્રાવકના પ્રતિકમણની અનુક્રમણીકા ચાલે છે તે પ્રમાણે એનું સૂત્ર મધ્યે મળશે નહિ. અને અનુક્રમે સૂત્રો તે આવશ્યક થકીજ મળશે. હવે જ્યારે શ્રાવકને બીજા સૂત્ર ભણતાં બાફ નથી ત્યારે શ્રમણ સૂત્ર ભણવાને બાધક હોયજ શાને ? અર્થાતુ પડિકમણામાં શ્રાવકને શ્રમણ સૂત્ર કહતાં બાધક નથી.
પ્રશ્ન ૯૪–ત્યારે કોઈ કહે કે-શ્રમણ સૂત્ર તે સાધુનું જ છે તે શ્રાવકને કેમ કહેવાય ? શ્રાવકને કઈ ઠેકાણે શ્રમણ કહ્યા નથી. તે સાધુના સૂત્ર શ્રાવકને શા ઉપગના ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org