SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા–ભાગ ૪ છે. અહિંયાં સાત પ્રકારના ઉપક્રમના નિમિત્ત વડે આયુષ્યનું જીવિતવ્યનું ભેદવું કહ્યું છે, એટલે સાત પ્રકારે આઉખું તૂટવું કહ્યું. તથા અંતગડ સૂત્રમાં સામીલને સ્થિતિને ભેદ થયે એમ કહ્યું છે. વળી સૂયગડાંગ શ્રુત સ્કંધ ૧લે અધ્યયન જે ઉદ્દેશે ૧લે ગાથા રજીમાં કહ્યું છે કે જેમ સીંચાણે બટેરને હરે અચાનક પકડી કાળને છેડે પહોં– ચાડે તેમ આઉખું તૂટે છે. તેમ ઉત્તરાધ્યયન અધ્યયન ૪ થે ગાથે ૧ લીમાં આઉખું તૂટ્ય સધાતું નથી એમ કહ્યું છે તથા વળી. ઉત્તરાધ્યયન અધ્યયન ૭મે ગાથા ૨૪મીના બીજા પદમાં કહ્યું છે કે “સદ્ધિનિ ગાઉg” સંજ્ઞીને આઉખ રૂંધાય છે એટલે એ છે થાય છે. એમ મેટા (ઘણું ) અર્થનું ઉત્તરાધ્યયન ૩૬ હજારૂં તેના ડબ્બામાં કહ્યું છે કે- વસનું આઉખું હોય તે અંતર્મુહૂર્તમાં નાશ થાય. તથા ઉત્તરાધ્યયનના ૩૨ મા અધ્યયનમાં કહ્યું છે કે એક ઈંદ્રિયના ગૃદ્ધીપણે જીવ અકાળે મૃત્યુને પામે છે. એટલે મરવાના કાળે મરે નહી એમ કહ્યું છે. ઇત્યાદિક સૂત્રોના ન્યાયથી આઉખું તૂટવું સિદ્ધ થાય છે. પ્રશ્ન ૪૩–કેટલાક કહે છે, કે જીવ છ બેલ લઈને આવ્યા છે તેમાં ફેરફાર થાય નહિ માટે આઉખું તૂટેજ નહિ. - ઉત્તર–તે વાત ખરી છે, પણ તે વાત તે નિરૂપકમી માટે લાગુ થાય છે, કારણકે નિરૂપકમીનુ આઉખું તૂટતુ નથી, પરંતુ સેપકમીનું આઉખું તૂટવા સંભવ છે. એમ પન્નવણું સૂત્રના છઠ્ઠા પદ ઉપરથી જણાય છે. વળી આઉખું તૂટવા સંબંધીના તે સિવાયના બીજા દાખલા પણ પુષ્કળ છે. પ્રશ્ન ૪૪– પન્નવણાજીમાં તે પરભવના આઉખાને બંધ કયારે પડે છે? તેના જવાબમાં ભગવતે કહ્યું છે કે નિરૂપકમી અસંખ્યાતા વરસના આઉખાવાળાનું શોષ આઉખું થાકતાં છ મહિના બાકી રહે ત્યારે તે આઉ– ખાને એટલે પરભવના આઉખાને બંધ પાડે છે. અને સપકમી આઉખા વાળા, આઉખાના ત્રીજે ભાગે એમ ત્રીજાના ત્રીજે ભાગે એમ ત્રીજે ત્રીજે ભાગે બંધ પડવાને અધિકાર છે, પણ આઉખું તૂટવાને અધિકાર જણાતું નથી. ઉત્તર–અહિંયાં પ્રથમ એટલું જ વિચારવાનું છે કે સૌપક્રમી અને નિરૂપકમી એ બે પ્રકારનાં આઉખા કહ્યાં તેનું કોઈક કારણ હોવું જોઈએ. તમારા કહેવા પ્રમાણે છે પ્રકારે જેવું આઉખું બાંધે તેવું જ ભોગવે એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005265
Book TitlePrashnottar Mohanmala Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages576
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy