SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળ–ભાગ ૩ જે. ૨૦૯ તથા અભિગ્રહધારી સાધુઓને જે કલ્પ કે વસ્ત્ર ધવાં રંગવાં નહિ અને ધોયેલાં કે રંગેલાં વસ્ત્ર પહેરવાં પણ નહિ. તે કલ્પ નિર્દોષપણે સજજડ પાળે. આ સંબંધી નિશિથ સૂત્રના ૧૮મા ઉદ્દેશામાં ૪૪મા બોલથી ૬૫ મા બોલ સુધીમાં એટલે (૨૨) સૂત્રોમાં સમગ્ર તમામ સાધુ આર્યાના વસ્ત્રના સંબંધમાં એક વખત બેવા રંગવા વગેરેની ના કહી અને તેજ અધિકારે બીજી વખત હા કહી. તેનું સ્વરૂપ સમદષ્ટિથી અનેકાંતવાદને જાણી ન્યાય પૂર્વક પ્રવૃત્તિ ચલાવે તેને કોઈ જાતને સાધક, બાધક લાગવા સંભવ નથી, પણ તેમણે પ્રથમ એટલું તે ખાસ કરીને જાણવું જોઈએ કે આ વાક્ય ઉત્સર્ગ માર્ગનું છે કે અપવાદ માર્ગનું છે ? એટલું પણ જાણ્યા વિના ગોળ ખળ સરખો ગણે અને તમામ સાધુને આચાર સરખેજ માને તેવાઓને માટે તો કહેવાનું હેયજ શું? પ્રશ્ન ૧૦૪–નિશિથ સૂત્રમાં ઉપર જણાવેલા (૨૨) સૂવાનું ઉત્સર્ગ : અને અપવાદ માર્ગ એટલે ધોખ માર્ગ અને કારણ માર્ગનું સ્વરૂપ જણાવશે? ઉત્તર--, સાભળ-જિનકલ્પી અને અભિગ્રહધારી સાધુને તો એકાંત પક્ષે ઉત્સર્ગ માર્ગજ છે. અને બાકીના વિકલ્પી સાધુને ઉત્સર્ગ અને અપવાદ બન્ને માર્ગ છે. હવે ૧૮ મા ઉદ્દેશામાં જે વસ્ત્ર સંબંધી (૨૨) સૂત્રો કહ્યા છે તેમાં ઘણા ભાગે નવા વસ્ત્રને જ ઉદ્દેશીને કહેલ છે. તેમાં જિનકલ્પી અને અભિગ્રહધારી તથા ઉત્સર્ગ માર્ગની પ્રવૃત્તિવાળા સાધુઓને માટે ૧૩ સુત્રા એકાંત પક્ષે નિષેધનાજ છે. અને ૯ સૂત્રો સ્થવિરકલ્પીને માટે કારણે છૂટ આપવાની છે, તે નીચેના લખાણથી જાણી શકાશે. (૧) બે સૂત્રો ૪૪-૪૫ માં, સાધુને સારા વર્ણના વસ્ત્ર ખરાબ વર્ણવાળાં કરવાં નહિ, અને ખરાબ વર્ણવાળાં સારા વર્ણવાળાં કરવા નહિ. (૨) ત્રણ સૂત્રો ૪૬-૪૭-૪૮ માં નવાં વસ્ત્ર સંબંધી જિનકપી અભિગ્રહધારી તથા ઉત્સગે સર્વ સાધુ આર્યાએ એલાદિ, તથા ક્ષાર પ્રમુખ દ્રવ્ય લગાવવાં નહિ, અને અચેત શીત તથા ઉષ્ણ પાણીથી ધોવાં નહિ. (૩) ત્રણ સૂત્રો ૪૯- ૫૦-૫૧ માં, નવાં વસ્ત્ર પથવિકિપીને પ્રાપ્ત થયે કારણે તેલાદિ, તથા ક્ષાર પ્રમુખ ત્રણ પસલી ઉપરાંત લગાવવાં નહિ, અને અચેત કરેલા પાણીથી તથા ધોરણ પ્રમુખની તથા ગરમ પાણીથી એટલે વસ્ત્રમાં જોઈતા મર્યાદ ઉપરાંત પાણીથી તથા ત્રણ વખત ઉપરાંત ધોવે નહીં (ખેલ પ્રમુખ કાઢવાના કારણથી તથા નવું વસ્ત્ર ખડખડતું હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005265
Book TitlePrashnottar Mohanmala Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages576
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy