________________
૧૩૦
શ્રી પ્ર
ત્તર મેહનમાળા–ભાગ ૨ જે.
ગૌતમ સ્વામીએ રાણીજીને કહ્યું નહિ કે આ કુમાર ઉઘાડા મુખે બોલી મને અહિં આંગળી પકડી તેડી લાવ્યા તેથી તમારા ઘરે પહેરવું મારે કલ્પ તેમ નથી. પરંતુ ત્યાં વહોર્યા છે. એ સૂત્ર પાઠ છે. વળી ઘણા સૂત્રોના અધિકાર જતાં સાધુની સાથે વહોરવા સંબંધીમાં દાતારને બેલતાં કેઈએ મુખ આડું વસ્ત્ર કે હાથ રાખી બોલવાનું કહ્યું નથી, તેમ કોઈને ખુલ્લું મુખે બેલતાં અટકાવ્યાં પણ નથી, તેમ ખુલ્લે મુખે બેલી વહોરાવતાં કોઈએ આહારદિક વન્ય પણ નથી. માટે આ વ્યવહાર કોઈએ પિતાના આચારની અધિકતા જણાવવા માટે અને બીજાની ન્યૂનતા કરવા માટે, બીજાને હલકા પાડવા માટે કપિત ઉભે કર્યો હોય એમ જણાય છે. પણ એટલો વિચાર કર્યો નથી કે-આ ઉપદેશ ધર્મમાં ભેદ પાડવાનું છે, ઘણા લોકોને સાધુને સંબંધમાં ભેદ ભરેલી શંકાઓ ઉત્પન્ન કરનાર છે. એવી ભેદ ભરેલી શંકા ઉત્પન્ન કરનારને કેટલી નુકશાની છે, તેને કોઈપણ વિચાર કર્યો હોય એમ જણાતું નથી. દશાશ્રુતસ્કંધમાં મહા મેહનીયના અધિકારમાં કહ્યું છે કે – जे कहाहिगरणाई, स पउंजे पुणो पुणो; सव्वतित्थाण मेयाणं, महामोहं
રૂજે કથા અધિકરણ રૂપ થાય એટલે જે ઉપદેશ વડે પિતાને તથા પરને અધિકારણ કે'તાં કર્મબંધને હેતુ થાય એવી કથા વાત પ્રજે કહે. અને સર્વ પ્રકારે તીર્થમાં ભેદ પાડે એવા ઉપદેશ કરનાર મહામહનીય કર્મ બાંધે.
વહોરાવતાં ઉઘાડે મોઢે બોલી જવાય અથવા કોઈ ઉઘાડે મઢે બેલી જાય કે પધારે, તો તેનું ઘર અસુજતું થાય આ વ્યવહાર કોઈપણ ગચ્છ, સમુદાય કે સંપ્રદાયમાં તથા સૂત્રમાં જોવામાં આવતું નથી. છતાં કોઈ આવા પ્રકારની નવીન કલ્પિત પ્રરૂપણ ઉભી કરી અંદર અંદર ભેદ પાડવારૂપ શ્રાવકોમાં મટી શંકા ઉત્પન્ન થાય કે આ કહે છે તે ખરૂં કે આ કહે છે તે ખરૂં ? અથવા તો આ સાધુ સાશે આચાર પાળે છે કે ઉઘાડા મે બોલી જવાય તેનું ઘર અસજતું કરે છે. અને બીજા સાધુ સાધુ એ પ્રમાણે આચાર પાળતા નથી, માટે એટલી તેમાં ખામી છે. એ પ્રમાણે નિર્દોષમાં દોષ જોવાની બુદ્ધિ થવાથી તેના આત્માને કેટલું અહિત થાય ?
સૂત્ર અને ચારિત્ર ધર્મનું એવું બંધારણ છે કે-સાધુઓના આહાર નિહાર ને વિહારમાં જેમ સાધુધર્મનું પ્રતિપાલન થાય તેવીજ રીતે વર્તવા ભગવતે આજ્ઞા ફરમાવી છે, તેમજ દાતારને દાન ગુણમાં અભાવ કે કોઈ જાતની ભેદ ભરેલી શંકા ઉત્પન્ન ન થાય અને પાત્રના ચારિત્ર ધર્મને સુખે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org