SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રભાત્તર મોહનમાળા—ભાગ ૨ જો. ૧૨૩ પ્રશ્ન ૯૪-સાધુ તે સાધુના ગુણે જે હેાય તેજ સાધુ કહેવાય— અત્યારે સૂત્રમાં કહેલા ગુણ પ્રમાણે કોઇ સાધુ જોવામાં આવતા નથી, પણ તેથી ઉલટા ગુણવાળા જોવામાં આવે છે; માટે તેને સાધુ કેમ માનવા ઉત્તર—એકાંત પક્ષે કાંઇ કહી શકાય નહિ. ઘણા ઉત્તમ સાધુ હાય છે, પણ હુમણાં કાળના પ્રભાવે સ`ધયણ મંદપણાથી વ¥જડતાઇપણાથી અતિચાર ઘણા લાગતા દેખાય છે, જેથી એકેક નિદ્ધિ જીવને સાધુ સુઝે નહીં. અને મનમાં શંકા વેદ્યા કરે જે સાધુ હાય તે એટલા દોષ કેમ સેવે? પણ બિચારા સૂત્રના અજાણ હેોવાથી સૂત્રમાં શુ' કહ્યુ છે તે કાંઇ જાણે નહિ, અથવા કેઇએ પાંચ દશ શબ્દ ધરાવી રાખ્યા હેાય કે આવા હાય તે સાધુ કહીએ, બાકી સાધુ માનવા નહીં. પછી બિચારા એજ કકક છુટયા કરે અને પોતાની બગલમાં રહેલા ખચકા કિમતી વસ્તુના છે એમ માને, પણ ખેલીને જુએ તે જણાઇ આવે કે આ એક જાતની ભ્રમણા છે. સૂત્રકારે એવી ભ્રમણા રાખી નથી, તેમણે તે જેવું જ્ઞાને કરીને જાણ્યું, તેવું દુનિયાના પ્રાણીને જણાવી દીધુ. શ્રી ભગવતીજી સૂત્રમાં પાંચ ચારિત્ર અને છ નિય ડા ( છ પ્રકારના નિગ્રંથ કહ્યા છે. અને તેને છડાણવડીયા પણ કહ્યા છે. એટલે સખ્યાતા, અસંખ્યાતા અને અનંતા ગુણે હીણા અધિકા કહ્યા છે. તે વિચારો કે સાધુમાં અનંત ભાગે હીણા અધિકા ઇત્યાદિ વિકલ્પ કેમ કહ્યા હશે ? તે જરા જ્ઞાન નેત્ર ખોલીને જુએ. વળી શ્રી ઠાંણાગજી સૂત્રમાં ચાર પ્રકારની પ્રવાઁ કહી “ધનસંચી સમાળા ઇત્યાદિ અતિચાર રૂપ કચરે કરી સહિત પ્રવાઁ કહી–વળી બકુશ ચારિત્ર, શરીર ઉપકરણ, વિ ભૂષાને કરવે શુદ્ધ અને અશુદ્ધ ચારિત્ર કહ્યું છે. વળી શ્રી મહાવીર સ્વામીના સાધુને છેદાપસ્થાપનીય ચારિત્ર સાતિચાર (અતિચાર સહિત) છે. વળી ઠાણાંગજીના સાતમે હાણે છમર્થનાં સાત લક્ષણ કહ્યાં છે. તે એકે-૧ હિંસા કરે, ૨ મૃષા લે, ૩ અદત્ત લે, ૪ શખ્વાદિ પાંચે ઇંદ્રિયને સ્વાદ લે ૫ સ વદ્ય જણાવી પોતે સેવે, તથા સદોષ આહાર લે, પુજા સત્કારે વાંચ્છે, છ જેવુ કહેતેવું ન કરે. એ સાત સુલટાં લક્ષણ કેવળીનાં કહ્યાં છે. વળી ચાથે હાણે ચાર પ્રકારે કેવળજ્ઞાન ન ઉપજે, તે વારવાર સ્ત્રી કથા, ભક્ત કથા. દેશ કથા, અને રાજ કથા કરેં. ૧ અશુદ્ધ આહારનું કરવુ' તે શુદ્ધ સામુદાણી એષણિક ગૌચરી ન કરે. ૨ કાઉસગ્ગનું કરવુ તેની આત્મા સમ્યક્ ભાવે નહિ. ૩ પાછલી રાત્રિએ ધમ જાગરિકા ન કરે. ૪. વળી પાંચમા આરાના જીવ વાંકા ને જડ કહ્યા, તેથી પાંચ વાનાં સમજાવવાં દેહીલાં કહ્યાં છે. ઠાણાંગ ઠાણે પાંચમે ઉદ્દેશે પહેલે જુએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005265
Book TitlePrashnottar Mohanmala Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages576
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy