SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૨ જે. ઉત્તર–આવશ્યકમને ખુલાસે ઉપરના પ્રશ્નના ઉત્તરમાં આવી ગયે છે. ઉત્તરાધ્યયનના રૂપમાં અધ્યયનમાં મનેહર ચિત્રામણવાળું ઘર, પુષ્પની માળાઓ વડે ધંપાદિ સુગંધી દ્રાએ વાસિત કરેલું, સુગંધના ગરકાવવાળું તથાઅનેક પ્રકારનાં ચિત્રામણોએ સુશોભિત એવાં કપાટ અથવા કમાડ અને ચંદરવા સહિત મકાનને સાધુ મને કરીને પણ પ્રાર્થે નહિ-ઈચ્છા ન કરે. તેનું કારણ અહિં કમાડ વાસવા ઉઘાડવાને સંબંધ નથી, પણ ઇદ્રિના વિકારને છાંડવા માટે વર્જવા કહ્યું છે.–અને બૃહત કલ્પમાં જે કહ્યું છે તે તે સાધ્વી ઉઘાડા બારણે ન રહી શકે અને સાધુને કદિ ખુલ્લાં બારણાં હોય તે રહેવાને વાંધે નહિ. પણ ઉઘાડવાં વાસવાં વજ્ય નથી. વળી તેજ ઠેકાણે–સાધ્વીને ગાનમાં રસ્તાને માથે ઉતરવાની ના કહી છે. અને સાધુને તેવા ઠેકાણે રહેવા હરક્ત નહિ, પણ બીજે ન ઉતરવું એમ હેય નહિ. તેમ કમાડ માટે સમજવું. સૂયગડાંગ સૂત્રમાં અધ્યયન બીજે-ઉદ્દેશ-બીજે ગાથા ૧૨ મી તેમાં કહ્યું કે-સાધુ કમાડનાર ઉઘાડે વાસે નહિ, તે જિનકલ્પી આશ્રી સંભવે છે. કારણ કે અહિં સૂના ધરની વાત છે, માટે.–વળી તેથી બીજી ગાથામાં પણ સૂર્ય અસ્ત થયે સમ વિષમ સ્થાનકે રહેવું કહ્યું છે. એ જિનકલ્પના અભિગ્રહ આશ્રી સંભવે છે. (૧) કમાડ, (૨) ધર્મકથા, (૩) તૃણા, (૪) કાજે એ ચાર પાનાં જિનકલ્પીને વર્યા છે. અને સ્થિર કલપી તે ચારે વાનાં સેવે છે તેને કપે છે. પ્રશ્ન ૭૬૪–કમાડ ઉઘાડતાં વાસતાં જીવની હિંસા થવાનો સંભવ છે, માટે સાધુને ઉઘાડવું વાસવું કેમ કલ્પે ? ઉઘાડે વાસે તે પહેલું વ્રત ભાંગે, આમ કેટલાક કહે છે તેનું કેમ ? ઉત્તર–જે સાધુને ન કલ્પે તે સાધ્વીને પણ ન કલ્પે. હિંસાને દેવ તે બન્નેને સરખો છે. શાસ્ત્રકાર એકને બંધ કરે અને એકને છૂટ આપે એમ તે કદી હાય નહિ. એ કાયદે તે સાધુ આર્યાને બન્નેને સરખે છે. જ્યાં હિંસા દોષ હોય ત્યાં બન્નેને વર્જવા યોગ્ય છે. સાધુનું વ્રત ભાગે તે સાધ્વીનું વ્રત પણ ભાંગે. સાધ્વીને કાંઈ પહેલા વ્રતમાં આગાર નથી. ત્યારે કોઈ કહે કે—સાધ્વીજીને તે શીયળના રક્ષણાર્થે કમાડ વાસવા જોઈએ, માટે તે કમાડવાળા મકાનની જ વેષણ કરે, અને કમાડ વાસે પણ ખરા. એમ સૂત્રનું ફરમાન છે. સાધ્વીને ઉઘાડે બારણે રહેવું ન કલ્પ. એમ બોલતા પ્રત્યે કહીએ કે-જે કમાડ ઉઘાડવા વાસવાથી પહેલા મહાવ્રતને ભંગ તે હેય તે સાધ્વીને કાંઈ ચાર મહાવ્રત નથી કે-તે શીયળના રક્ષણાર્થે શું વત રાખવાનું પહેલું વ્રત ભાંગવું, એવું તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005265
Book TitlePrashnottar Mohanmala Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages576
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy