SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રાત્તર માહનમાળા---ભાગ ૨ જો. દન. વળી આપણા વાંસામાં કોઇ માણસે અક્ષર લખ્યા તેને આપણે ભાળતા નથી, પણ સ્પર્શ ઇંદ્રિયથી જાણવામાં આવ્યુ છે કે મારા વાંસામાં ક કાઢયા. વગેરે દેખવા જેવો ભાસ થાય તે અચક્ષુન કહેલ છે. વળી અચક્ષુદનનો અર્થ આ રીતે પણ થાય છે, કે જેમ ચક્ષુએ જોઈને નિર્ણય કરવામાં આવે છે તેમ બીજી ઇંદ્રિયાથી જે ખાખત નિર્ણય કરવામાં આવે, એટલે વસ્તુને વસ્તુ રૂપે સહુવામાં આવે તેને પણ અચક્ષુદન કહેવાય. પ્રશ્ન ૧૦—આ ઠેકાણે કોઇ એમ કહે છે કે-જેમ ચક્ષુએ કરીને જોવામાં આવે છે તેમ આત્મા આત્માનું દર્શન કરે છે. એટલે ચક્ષુ છતાં ચક્ષુએ નિહું પણ આત્મા પોતે આત્માને દેએ તેને અચક્ષુદન કહીએ. તેનું કેમ ? ૧ ઉત્તર—એ વાત સિદ્ધાંતના ન્યાયે મળે નહિ. કારણ કે-જીવાભિગમ વગેરે સૂત્રોમાં દડકના અધિકારે એ વિષે સારા ખુલાસા કરેલ છે. ચક્ષુદનમાં ઐરિંદ્રિયથી માંડી પચે'દ્રિયના (નારકી, તિર્યં`ચ, મનુષ્ય અને દેવતાના) મળી કુલ દંડક ૧૭ લાખે. તે શિવાયના પાંચ સ્થાવરમાં તથા એ ઇંદ્રિય તેઇંદ્રિયથી માંડી ૨૪ ૬ ડકમાં અચક્ષુદન હાય એમ કહ્યું છે. ૪ તે વિષે ઠાણાંગજી ઠાણું ૪ થે ઉદ્દેશે ૪ થે ખાખુવાળા છાપેલ પાને ૩૩૫ મે કહ્યું છે કે:-આવા ૨૩વ્યિા સભ્ય ગોવા પદ્મત્તાતંગદા થવુનળી rargaणी उहिंदंसणी केवल दंसणी. टीका:- चक्षुषः सामान्यार्थ ग्रहण मवग्रहेहारूपं दर्शनं चक्षुर्दर्शनं तद्वन्त श्वतुरिन्द्रियादयाऽचक्षुः स्पर्शनादि तद्दर्शनवंत एकेन्द्रियादय इति. આના પદાર્થ એ છે કે ચક્ષુદĆનમાં ૧૭ દડક લાભે અને અચક્ષુદનમાં ૨૪ દંડક લાભે. તે શુ પાંચ સ્થાવર અને ત્રણ વિકલેન્દ્રિય વગેરે સગી અસની તમામના આત્માને આત્મદર્શન થયુ હશે ? વળી તમારી માન્યતા પ્રમાણે જેને આત્મદર્શન થાય તેને સમ્યગ્દર્શન થવુ જોઇએ; તે શું... ચાવીશે દંડકના તમામ જીવ સમિકતી છે, એવી તમારી માન્યતા છે ? સૂત્રના ન્યાયે તે પાંચે સ્થાવરના પર્યામા અપર્યાપ્ત સર્વે, ત્રણ વિકલે’દ્રિયના પર્યાપ્તા અને સમૂમિ મનુષ્યમાં એકલા મિથ્યા દૃષ્ટિજ કહ્યા છે, તે સમ્યગદર્શન કે આત્મદર્શન તે હાયજ કયાંથી ? અને સચચ્છુદન તે એ બધામાં કહેલ છે. માટે અચક્ષુદનને અર્થ આત્મદર્શીન થતા નથી; એ વાત સિદ્ધાંતથી સાબીત થાય છે. ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005265
Book TitlePrashnottar Mohanmala Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages576
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy