________________
ધર્મપ્રેમી સુશ્રાવક પ્રેમજી હીરજી ગાલા
(સંક્ષિપ્ત પરિચય)
શ્રમણસંઘનાં જૈન સુધારક, સંતરત્ન પ્રસિધ્ધકત્તા શ્રી સૌભાગ્યમલજી મહારાજ સાહેબ, પ્રખર પૂજ્યપાદ શ્રી કવિવર્ય શ્રી સુર્યમુનિજી મહારાજ સાહેબાની આજ્ઞાનુવર્તી માતૃરહી, વાત્સલ્ય વારિશ્રી વ્યાખ્યાની શાસ્ત્રજ્ઞ શ્રી વૃધ્ધ શ્રી સૌભાગ્ય કુંવરજી મહાસતીજી, વિદુષી વ્યાખ્યાત્રિી શાંતમૂર્તિ શ્રી મદનકુંવરજી મહાસતીજી, સંગીત ગાયિકા મધુર વ્યાખ્યાની શ્રી માનકુંવરજી મહાસતીજી “જૈન સિધ્ધાન્તાચાર્ય” શ્રી સેવાશીલ હેમપ્રભાઇ મહાસતીજી, આદિ ઠાણું ૪, માલવામાં માલવકેશરી પૂજ્ય ગુરુદેવનાં દર્શનાર્થે તથા સેવાર્થે જવાની ઉત્કૃષ્ટ ઈચ્છા હતી છતાં પણ કાંદાવાડી સંઘની આગ્રહભરી વિનંતીને સ્વીકાર કરી અમને સંવત ૨૦૩૬ ચૈત્ર માસની ઓયંબિલની ઓલી તથા વર્ષીતપનાં પારણા માટે પધારીને અમને જે પ્રવચન તથા સેવાને લોભ આપે છે તે અમે ભૂલી નથી શકતા.
વિશેષ હર્ષની વાત તો એ છે કે, ગોપાલ લિબડી સંપ્રદાયનાં પૂજ્ય શ્રી મોહનમુનિજી મહારાજ સાહેબ દ્વારા અનુમાદિત મેહન પ્રશ્નોત્તર ભાગ ૧ અને ર જે અપ્રાપ્ત હતા, સંત તથા મહાસતીજીએ તથા તત્વજ્ઞ શ્રોતાઓ માટે વિશેષ ઉપગી હોવાને કારણે અનુપલબ્ધ સાહિત્યને ઉપલબ્ધ કરવા માટે પ્રેમજીભાઈ ગાલાને પ્રેરણા આપી, તેમણે પણ સહર્ષ સ્વીકારી લીધી
આ પુસ્તકને પ્રકાશિત કરવા માટે સર્વપ્રથમ મહાસતીજીએની પ્રેરણા તથા આશીર્વાદ દ્વારા જે અમૂલ્ય સમય આપીને માર્ગદર્શન મળ્યું, તેને માટે અને સતીવૃંદનાં ખૂબ ખૂબ ત્રણ તથા આભારી છીએ, સાથે સાથે પ્રેમજીભાઈ ગાલાએ પણ જે ધનસહગ આપે તેને માટે ખૂબ ખૂબ ધન્યવાદ આપતાં તેમને અભિનંદન આપીએ છીએ.
શ્રી પ્રેમજીભાઈ કચ્છના કાંડાગરા ગામના વતની છે. ધર્મને તેમણા ઉપર ઊંડે સંસ્કાર છે. તેમના ધર્મપત્નીને પણ ખૂબ જ સારે સીંગ ધર્મકરણીમાં મળી રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org