SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્ર ત્તર મેહનમાળા–ભાગ ૨ જે. અર્થ –ક્રિયાવાદી, અક્રિયાવાદી (જ્ઞાનવાદી) અજ્ઞાનવાદી અને વિનય વાદી. આ ચારે વાદીએ, પોતપોતાના સ્થાનમાં રહ્યા થકા, તે સર્વ પિતાના વેદ કહેતાં શાસ્ત્રને વિવાદ કરતાં થકા એમ બોલે જે અમેજ ધર્મને વિષે ઉપસ્થિતા ( ઉભા) સાવધાન થયા છીએ એમ માને. પણ ભગવંત મહાવીર દેવ કહે છે કે–તે તે દીર્ઘ રાત્રિ યા દીર્ધ રાહને વિષે પડયા છે. એટલે અજ્ઞાનરૂપી અંધારી અટવીમાં લાંબા પંથને વિષે તે વાદીએ પડયા છે. તેમજ તે સૂત્રના બીજા મૃતકધમાં પુંડરિક અધ્યયનમાં કહ્યું છે કે–ચારે દિશિમાંથી આવેલ. ચારે વાદીઓ સંસારરૂપી પુષ્કરણ વાવમાં રહેલા ચકવર્યાદિક નાના મોટા રાજાઓ રૂપ પદ્ધકમળને ઉધરવા આવતા અધવચ કામ ભેગ રૂપ કાદવમાંજ ખંતા પડ્યા છે. એ એકાંતવાદીને મત જણાવ્યું, માટે એકાંત જ્ઞાનવાદી અને ક્રિયાવાદીને માટે તે સંસાર પરિભ્રમણજ ભગવંતે કહેલ છે. પ્રશ્ન ઉપ–ભગવતીજીના ૩૦ મા શતકમાં ક્રિયાવાદીને સમકિત દષ્ટિ કહ્યા છે તેનું શું કારણ? ઉત્તર–ત્યાં કિયાવાદી આદિ ચારે બલ કહ્યા છે. તેમાં સમક્તિ દષ્ટીથી માંડી સાધુપણાના સર્વ બોલ કિયાવાદીમાં ગણ્યા છે. તે અનેકાંત વાદીને લઈને ગણ્યા છે. બાકીના ત્રણ (અકિયાવાદી (જ્ઞાનવાદી) અજ્ઞાનવાદી અને વિનયવાદી) એકાંત પક્ષને લઈને મિથ્યાવાદમાં ગણ્યા છે. તેમજ દશાશ્રુતસ્કંધમાં પણ શ્રાવકની ડિમાના અધિકાર મંડતા પ્રથમ અકિયાવાદી અને પછી કિયાવાદીને અધિકાર આવેલ છે, તેમાં અક્રિયાવાદીને એફબી નાસ્તિકમાંજ ગણ્યા છે. અને ક્રિયાવાદી ચેકબા સમકિતી અને આસ્તિક કહ્યા છે. ભગવંતે સ્વીકારેલા સમકિત દષ્ટિ તે એવા હોવા જોઈએ કે પિતે ભલે પાળી ન શકે, પણ અનેરાને વ્રત પશ્ચખાણથી પડતા સ્થિર કરે, સંયમ લેનારને ઉપષ્ટભ આપેટે આપે શ્રીકૃષ્ણ શ્રેણિકવત, નહિ કે ચાલતા જમાનાના કહેવાતા પિતાની મેળે માની બેઠેલા સમિકિતી જ્ઞાનવાદીઓ નાસ્તિકની પેઠે સાધુઓને સંયમથી ભષ્ટ કરનારા, વ્રત પશ્ચખાણથી પાડનારા પિતે ભ્રષ્ટ થઈ બીજાઓને પણ ભ્રષ્ટ બનાવનારા, એવા અકિયાવાદીને ભગવંતે વિકલા નથી. ભગવતે તે સમકિત દષ્ટિને શ્રમણોપાસકની પ્રવજ્યના પાલક કહ્યા છે. શ્રમણ નામ સાધુ અને ઉપાસક નામ શ્રાવક એ બનેની પ્રવજ્યના એટલે સાધુ અને શ્રાવકના પ્રતિપાળના કરનારા, તેના રક્ષણના કરનારા કહ્યા છે. પૂર્વ કર્મને ઉદયે પિતે સાધુ કે શ્રાવપણાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005265
Book TitlePrashnottar Mohanmala Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages576
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy