SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૧ લે. બીજું દેશવિરતિનું ચારિત્ર. સર્વવિરતિનું નવ કેટીએ જાવજીવનું અને દેશવિરતિનું ઓછામાં ઓછું અંતમુહુર્તનું તે ઉપર જ્યાં સુધી નિયમ કર્યો હોય અને સાવધ જોગનાં પચ્ચખાણ કર્યા હોય ત્યાં સુધીનું સામાયિક કરવું તે આત્માથી બને છે, નહિ કે જડથી. જડ પદાર્થ સ્થંભ (થાંભલે) ઘણો અડેલ રહે છે, પણ તેને સામાયિક કહેવાય નહિ. માટે આત્માની પાસે સામાયિકાદિની દ્ધિ રહી છે. તે ચારિત્રાવરણીય કર્મનું આવરણ આત્મપ્રદેશથી ખસે છે ત્યારે આત્માને ચારિત્રને ગુણ પ્રગટ થાય છે. તેજ સાવદ્ય જગનાં પચ્ચખાણ કરી શકે છે, તેને પણ ભગવંતે તેજ અધિકારે આત્મા કહેલ છે. માટે આત્મા એજ સામાયિક, અને આત્મા એજ સામાયિકને અર્થ છે. એટલે અર્થ શબ્દ સૂત્રમાં મેક્ષ કહેલ છે. એટલે ચારિત્ર આત્મા મેક્ષને હેતુ છે. એટલે ભગવતીજીના પેલા શતકના નવમા ઉદ્દેશે કાલા સવેસી પુત્ર અણગારે (પાર્શ્વનાથ ભગવાનને સાધુએ) ભગવંત મહાવીરના સ્થવિર અણગારને સામાયિકાદિક છ પ્રશ્રના પૂછેલા પ્રશ્નમાંના ઉત્તરમાં એક આત્મા જ કહેલ છે. એટલે એ સર્વે બેલ આત્માથી જ થાય છે, અને આત્માથીજ એ સર્વ બેલની ક્રિયાવડે કર્મથી આત્માને મેશ થાય છે. એટલે કર્મથી મૂકાવું થાય છે, માટે આત્મા એજ સામાયિક અને આત્મા એજ સામાયિકને અર્થે કહેલ છે. પ્રશ્ન ૧૯—કેટલાક કહે છે કે-જે કે અમે સામાયિક તા કરીએ છીએ. પણ અબંધ ક્રિયા કરીએ છીએ. જો અંતર્મુહૂર્ત (બે ઘડી) નાં પશ્ચિખાણ કરી બેસીએ ને મનવૃત્તિ સ્થિર ન રહે તે બંધ ક્રિયામાં ખાધક આવે, અને આ તે વૃત્તિ સ્થિર રહે ત્યાં સુધી એટલે જ્યાં સુધી આત્મા સમભાવમાં રહે ત્યાં સુધી અમે સામાયિક માનીએ છીએ; એમ કેટલાક બોલે છે તેનું કેમ ? ઉત્તર–એ વાત સૂત્ર સાથે મળતી નથી. સૂત્રમાં બંધ અબંધ કિયાનો ભેદ પાડે નથી, અને ભગવંતે કઈ ઠેકાણે એમ જણાવ્યું નથી કે અબંધ ક્રિયા કરવી બંધ ક્રિયા ન કરવી, પણ પિતે બંધ ક્રિયા કરી છે ને બીજાઓને પણ તેવી જ ક્રિયા બતાવી છે. તેમજ ઉપદેશ પણ બંધ કિયાનેજ આપેલ છે, છતાં આ અબંધ ક્રિયાનું પાનું કઈ પિથીનું બળી કાઢયું ? - સિદ્ધાંતમાં સાધુ અને શ્રાવકની ક્રિયાની વાત ચાલી છે. ત્યાં તે બંધ ક્રિયાનેજ અધિકાર છે. સાધુને પાચ મહાવ્રત જાવજીવનાં ચાલ્યાં છે. તેમજ શ્રાવકને પણ સામાયિકને કાળ ઓછામાં ઓછો અંતર્મુહૂર્તને બે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005265
Book TitlePrashnottar Mohanmala Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages576
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy