SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ધારશીભાઈ અને હેમરાજભાઈના અદ્દભુત પ્રસંગે ધારશીભાઇના માંચ ઉલસ્યાં. જીવન ધન્ય માન્યું. ત્યારથી ધારશ.ભાઈ શ્રીમદ્રને પિતાના તરણતારણ ગુરુસ્થાને માનવા લાગ્યા. એમ સમય પસાર થવા લાગે, પણ ભક્તની પરીક્ષા તેની કસોટીમાં છે, તે અગ્નિપરીક્ષાનો સમય હવે નિકટમાં જ આવે છે. એક દિવસે મધ્યાહ્ન વેળાએ ભર ઉન્હાળાના વખતમાં શ્રીમદ્દ ધારશીભાઈ સાથે ધર્મકથા કરતા દિવાનખાનામાં બેઠા છે. ત્યાં શ્રીમદે કહ્યું–ધારશીભાઈ, ફરવા જશું? ધારશીભાઈએ કહ્યું–જેવી આપની ઈચ્છા. એમ કહી શ્રીમની ઈચ્છાને આજ્ઞા માની ધારશીભાઈ તૈયાર થયા, ને ખરા બપોર હેવાથી હાથમાં છત્રી લીધી. ગુરુ-શિષ્ય બંને ફરવા નિકળી પડ્યા. એક છેડેથી દષ્ટિ નાંખતાં સામે છેડે દેખાય એવી એક માઈલ લાંબી સીધી લીટીમાં આવેલી મોરબીની બજારમાં આવતાં, શ્રીમદે કહ્યું ધારશીભાઈ, જરા છત્રી ઉઘાડોને! શ્રીમના મુખમાંથી વચન નિકળતાં જ માથે ચઢાવી ધારશીભાઈએ છત્રી ઉઘાડી, અને પોતાના માથે જરા પણ ન રાખતાં બરાબર શ્રીમદુના મસ્તક પર ધરી રાખી. આમ ગરબીની ભર બજારમાં ઘેરી રાજમાર્ગો ધર્મગોષ્ઠિ કરતાં કરતાં બને ગુરુ-શિષ્ય ચાલ્યા જાય છે. ૫૦ વર્ષની પ્રૌઢ વચના અને ન્યાયાધીશ જેવી ઉચ્ચ પદવીએ પહોંચેલા ધારશીભાઈ જેવા સુપ્રતિષ્ઠિત ગૃહસ્થ તે ૨૦-૨૨ વર્ષના દેખાતા શ્રીમ જેવા નવયુવાનને છત્રી ધરી રાખે, એ દશ્ય બહિણિ જનોને વિચિત્ર ને અયુક્ત લાગે, હસવા જેવું લાગે એમાં આશ્ચર્ય નથી. લોકો એકબીજાની સામું જોઈ હાંસી કરવા લાગ્યા–જોય કળતુગનો પ્રભાવ ! ખરેખર ! જૂની આંખે નવા તમાસા ! આવા વિદ્વાનને આ શું સૂર્યું? ધારશીભાઈની બુદ્ધિ બહેર મારી ગઈ લાગે છે કે ડાગળી ચસકી ગઈ લાગે છે, જેથી આ જુવાનીઆને ગુરુ માન્યા છે ! પણ આ નવયુવાનની અંદર એક જ્ઞાનવૃદ્ધ આત્મા બેઠે છે તેનું જગને ભાન નથી, એટલે તે ફાવે તેમ ટકા કરે છે. ધારશીભાઈ તે એ સર્વની ઉપેક્ષા કરી લોકોની સામે દષ્ટિ પણ કરતા નથી, અને લોકલજાની પરવાહ નહિં કરતાં પિતાના ધ્યાનમાં ને ધ્યાનમાં ગુરુને છત્રી ઓઢાડી ધર્મવાર્તા કરતાં કરતાં ચાલ્યા જાય છે. અને આમ અજ્ઞાની જગને જેનું ભાન નથી એવું આ દેવદુર્લભ કશ્ય ત્યાં સર્જાઈ ગયું ! પછી ગામબહાર નિકળતાં શ્રીમદે કહ્યુંધારશીભાઈ ! હવે છરી બંધ કરો. ધારશીભાઈએ કહ્યું –સાહેબ, ગામહાર તે વધારે તાપ લાગે. આપ કેમ ન પાડો છો? ભલે ઉઘાડી રહી. શ્રીમદે બોધ આપ્યો–કષાયનો તાપ આત્મામાંથી જ જોઈએ. આ લોક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે. જ્ઞાનીઓ જે એ સંસારના તાપથી મુક્ત થયા છે તેઓને તે જગજીવોને એમ દુઃખી દેખીને કરુણ આવે છે, અને દુઃખમુક્ત કરવા ઉપદેશ આપે છે. પછી શ્રીમદ્ નવલચંદભાઈને ઘેર પધાર્યા હતા અને ત્યાં સર્વ મુમુક્ષુઓની મધ્યે ધારશીભાઈની દઢતાની પ્રશંસા કરી હતી. ખરેખર ! સત્ત્વની કસોટી કરનારી આવી અગ્નિપરીક્ષામાંથી સમુત્તર્ણ થયેલા ધારશીભાઈની શ્રદ્ધાઢતા કેવી અદ્ભુત હશે ! ધન્ય એ ભક્ત ! ધન્ય એ ભક્તિ !
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy