________________
ધારશીભાઈ અને હેમરાજભાઈના અદ્દભુત પ્રસંગ
૫૯ આ તે શુકદેવજીની જેમ શીખીને જ અવતર્યા છે. વળી આટલે બધો જ્ઞાનગુણ છતાં કઈને કળાવા ન દેવા કેઈથી કળાય નહિં એવી તેમની ગંભીરતા કેટલી બધી છે? ખરેખર! “સાગરવરગંભીર' તે આનું નામ! એમ શ્રીમદ્દના જ્ઞાનાદિ ગુણનું અચિંત્ય માહાઓ તેમને ભાસ્યું.
શ્રીમદને પાછું વવાણીઆ જવાને વિચાર થયો. ત્યારે તેમને મોસાળમાંથી ભાતા માટે મીઠાઇનો એક ડબ ભરી આપે હતો. તે લઈને શ્રીમદ્દ રજા લઈને ચાલ્યા, ધારશીભાઈની પણ રજા લીધી. શ્રીમદ્દ પાસે ગાડી ભાડા જેટલા પૈસા હોતા એટલે એક કંદોઈને ત્યાં એ ભાતાની મીઠાઈ વેચી ભાડા પૂરતા પિસા મેળવ્યા; પણ ધારશીભાઈ સાથે આટલે ગાઢ પરિચય થયા છતાં યાચના કરી નહિં, કે ઉછીની રાતી પાઈ પણ લીધી નહિં! અહો મહાસત્ત શ્રીમનું મહાસત્વ! બીજાની ખાતર–પાપકારાર્થે ભીખ માંગતા પણ શરમ નહિં, કચ્છી ભાઈઓ માટે જાતે ધારશીભાઈ પાસે ઉતારે માંગી મહેમાનની બધી આગતાસ્વાગતા કરાવી, પણ પિતાની ખાતર એક પાઈ પણ માંગવા હાથ લાંબો કર્યો નહિં ! પોતાને માટે નિઃસ્પૃહતાને ભેખ છોડુ નહિં, પણ બીજાને માટે ભીખ પણ માંગવી પડે તે માગું એ આનું નામ ! અને આમાં જ શ્રીમદૂની મહાનુભાવતા અને સૂક્ષ્મ વિવેકદષ્ટિસંપન મહાગૌરવાન્વિતતા દેખાઈ આવે છે. આટલી નાની વયમાં પણ મહાસત્ત્વશાલી શ્રીમદની નિસ્પૃહિતા કેટલી બધી અભુત હતી ! દ્રવ્ય-ભાવ શુચિતા કેટલી બધી આશ્ચર્યકારક હતી! અદીનપણારૂપ મહાસત્ત્વશીલતા (spiritedness) કેટલી બધી અસાધારણ હતી!
ધારશીભાઈની સર્વપરીક્ષા નિગ્રંથ શાસન જ્ઞાનવૃદ્ધને સર્વોત્તમ વૃદ્ધ ગણે છે.”– શ્રીમદ રાજચંદ, અં. ૬૪
ધારશીભાઈને ઉપરોક્ત પ્રસંગ શ્રીમદની ૧૦-૧૧ વર્ષની ઉમરે બનવા પામ્ય હશે. ત્યાર પછી ધારશીભાઈ જેમ જેમ શ્રીમદના સમાગમમાં આવતા ગયા તેમ તેમ તેમને શ્રીમદ્દ પ્રત્યેનો પૂજ્યભાવ દિનપ્રતિદિન વધતો ગય; જેમ જેમ શ્રીમદના જ્ઞાનાદિ અદ્ભુત ગુણનું અચિંત્ય માહાસ્ય તેમને ભાસવા લાગ્યું, તેમ તેમ તેમનો શ્રીમદ્દ પ્રત્યેને ભક્તિભાવ ક્રમે કમે વૃદ્ધિ પામતે ગયે. એમ તો શ્રીમદ્ ૧૫ વર્ષના ને ધારશીભાઈ ૪૫ વર્ષના; શ્રીમદ્દ એક સામાન્ય વણિક પુત્ર ને ધારશીભાઈ ન્યાયાધીશ જેવો ઉંચે હોદો ધરાવનાર સુપ્રતિષ્ઠિત સદ્ગહસ્થ; પણ ગુના કારથા જુગપુ = ૪ કિ ર ર વ –ગુણીઓમાં ગુણો પૂજાસ્થાન છે, નહિં કે લિંગ (વેષ), નહિં કે વય. એટલે વય લઘુ છતાં ગુણોને લઈ શ્રીમદ્ ધારશીભાઈને પૂજ્ય થઈ પડયા. પ્રથમ તે ધારશીભાઈ શ્રીમદુને પિતાની સાથે ગાદી ઉપર સમાસને બેસાડતા, પણ
જ્યારથી તેમને શ્રીમદ્દની આ જ્ઞાનાદિ મહત્તા ભાસી ગુરુત્વબુદ્ધિ ઉપજી ત્યારથી પોતે “શાસને તમારને”—ઉચ્ચાસને વા સમાસને બેસવામાં ગુરુને અવિનય જાણી તેઓ