________________
પ્રકરણ નવમું ધારશીભાઈ અને હેમરાજભાઈના અભુત પ્રસંગે
'गुणाः पूजास्थानं गुणिषु न च लिङ्गं न च वयः ।। અસાધારણ બુદ્ધિપ્રભાવ અને સ્મૃતિઅતિશય દાખવનારા બાલ રાયચંદની ખ્યાતિ ચતરફ પ્રસરવા લાગી, નિકટના કચ્છ પ્રદેશમાં તે તે વાયુવેગે પ્રસરી ગઈ, પરિમલ કસ્તૂરી તણજી મહીમાંહે મહકાય',-કસ્તુરીનો પરિમલ મહીમાં મહેકાયા વિના કેમ રહે? આ બાલ રાયચંદની ખ્યાતિ કચ્છના કડાય ગામના હેમરાજભાઈ અને નળિયા ગામના માલશીભાઈ એમ બે કચ્છી સગૃહસ્થના સાંભળવામાં આવી કે વવાણી. આમાં વાણીઆને એક પુત્ર આ ચમત્કારિક મહાબુદ્ધિશાળી છે અને તેથી કૂદરતી પ્રેમ ફુરતાં-પ્રભેદભાવ ઉપજતાં આવા બાલને વિદ્યામાં ઉત્તેજન આપવું એવા શુભ આશયથી તેઓને રાયચંદને મળવાની ભાવના થઈ એટલે તે બન્ને વિદ્યાપ્રેમી ભાઈઓ સાંઢણી પર સવાર થઈ વવાણીએ આવ્યા. ત્યાં તપાસ કરી તે જાણવામાં આવ્યું કે રાયચંદ મોરબી ગયેલ છે, એટલે તે પણ શેધતા શોધતા પાછળ પાછળ મેરબી આવવા નીકળ્યા.
અહીં મોરબી આવેલા રાયચંદને પિતાના મોસાળ રાજકોટ જવાનો વિચાર છે. એટલે મેરબમાં તેના સગાસંબંધીઓએ આ બાલકને એકલે કેમ જવા દેવાય એમ સમજી સારા સંગાથની શોધ કરવા માંડી તે મોરબીના મૅસ્ટેટ (ન્યાયાધિકારી) ધારશીભાઈ રાજકેટ જવાના છે એમ ખબર પડ્યા; એટલે તેમને વિજ્ઞપ્તિ કરી–આ રાયચંદને રાજકેટ તેના મોસાળ જવું છે, આપ સાથે લઈ જશે? ધારશીભાઈએ ખુશીથી હા પાડી ને રાજચંદ્રને પોતાની સંગાથે લઈ રાજકોટ ભણી રવાના થયા. આ તરફ પેલા બે કચ્છીભાઈઓએ મોરબી આવી તપાસ કરી તો રાજચંદ્ર રાજકેટ તરફ રવાના થયાના વાવડ મલ્યા, એટલે તે બને પણ પાછળ પડ્યા! અહો! કમળની સુગંધથી આકર્ષાઈને મધુકર તેની પાછળ પડે, તેમ પુરુષવરપુંડરીક રાજચંદ્રના વિદ્યાગુણસૌરભથી આકૃષ્ટ થઈ ઠેકાણે ઠેકાણે ભમતાં ભમતાં આ કચ્છથી નિકળેલા બે વિદ્યાપ્રેમી ભ્રમરો પણ રાજચંદ્ર-કમળને પીછો પકડતા રાજકેટ અભિમુખ ચાલ્યા. અહો ! કે વિદ્યાપ્રેમ! કે ગુણપ્રમેદ!
રાજકોટ જતાં માર્ગમાં ધારશીભાઈ સાથેના સહજ વાર્તાલાપના પ્રસંગમાં તેજસ્વી રાજચંદ્રની પ્રતિભા છાની રહી નહિં. “ચંદ છુપે નહિં બાદલ છો”. ન્યાયા ધીશ ધારશીભાઈ તો બાલ રાજચંદ્રની અસાધારણ બુદ્ધિપ્રતિભા ને અદ્દભુત વાકછટા
જીવન કળામાં “ન્યાયાધીશ ઉપર નિષ્કામ ઉપકાર' એ પ્રકરણની થોડી વસ્તુનો આધાર અત્ર સાભાર લેવામાં આવ્યો છે.