________________
અધ્યાત્મ રાજચંદ્ર
| મારા પિતામહ કૃષ્ણની ભક્તિ કરતા હતા, તેમની પાસે તે વયમાં કૃષ્ણકીર્તનનાં પદે મેં સાંભળ્યાં હતાં, તેમજ જુદા જુદા અવતારો સંબંધી ચમત્કારો સાંભળ્યા હતા. જેથી મને ભક્તિની સાથે તે અવતારોમાં પ્રીતિ થઈ હતી; અને રામદાસજી નામના સાધુની સમીપે મેં બાળલીલામાં કંઠી બંધાવી હતી. નિત્ય કૃષ્ણનાં દર્શન કરવા જતો. વખતોવખત કથાઓ સાંભળતે, વારંવાર અવતારો સંબંધી ચમત્કારમાં હું મોહ પામતો, અને તેને પરમાત્મા માનતે; જેથી તેનું રહેવાનું સ્થળ જોવાની પરમ જિજ્ઞાસા હતી. તેના સંપ્રદાયના મહંત હોઈએ અને ત્યાગી હોઈએ તો કેટલી મજા પડે એ જ વિકલપના થયા કરતી. તેમજ કોઈ વૈભવી ભૂમિકા કે સમર્થ વૈભવી થવાની ઈચ્છા થતી. પ્રવીણસાગર નામનો ગ્રંથ તેવામાં મેં વાંચ્યો હતો; તે વધારે સમયે નહોતો; છતાં સ્ત્રીસંબંધી નાના પ્રકારના સુખમાં લીન હેઈએ અને નિરુપાધિપણે કથા કથન શ્રવણ કરતા હોઈએ તો કેવી આનંદ દશા? એ મારી તૃષ્ણ હતી. | ગુજરાતી ભાષાની વાંચનમાળામાં જગકર્તા સંબંધી કેટલેક સ્થળે બોધ કર્યો છે; તે મને દૃઢ થઈ ગયે હતું, જેથી જેને લોકો ભણી મારી બહુ જુગુપ્સા હતી. બનાવ્યા વગર કોઈ પદાર્થ બને નહીં. માટે જેને લોકો મૂર્ખ છે, તેને ખબર નથી. તેમજ તે વેળા પ્રતિમાના અશ્રદ્ધાળુ લોકોની ક્રિયા મારા જેવામાં આવી હતી, જેથી તે મલિન ક્રિયાઓ લાગવાથી તેથી હું બીતો હતો, એટલે કે તે મને પ્રિય નહોતી.
જન્મભૂમિકામાં જેટલા વાણીયાઓ રહે છે તે બધાની કુળશ્રદ્ધા ભિન્ન ભિન્ન છતાં કંઈક પ્રતિમાના અશ્રદ્ધાળુને જ લગતી હતી; એથી મને તે લોકોનો જ પાનારો હતો. પહેલેથી સમર્થ શક્તિવાળો અને ગામના નામાંકિત વિદ્યાથી લોકો મને ગણતા; તેથી મારી પ્રશંસાને લીધે ચાહીને તેવા મંડળમાં બેસી મારી ચપળ શક્તિ દર્શાવવાનું હું પ્રયત્ન કરતો. કંઠીને માટે વારંવાર તેઓ મારી હાસ્યપૂર્વક ટીકા કરતા છતાં હું તેઓથી વાદ કરતો અને સમજણ પાડવા પ્રયત્ન કરતો, પણ હળવે હળવે મને તેમના પ્રતિકમણુસૂત્ર ઈત્યાદિક પુસ્તક વાંચવા મળ્યાં. તેમાં બહુ વિનયપૂર્વક સર્વ જગતજીવથી મિત્રતા ઈચ્છી છે, તેથી મારી પ્રીતિ તેમાં પણ થઈ, અને પિલામાં પણ રહી. હળવે હળવે આ પ્રસંગ વળે, છતાં સ્વચ્છ રહેવાના તેમજ બીજા આચારવિચાર મને વૈષ્ણવના પ્રિય હતા, અને જગકર્તાની શ્રદ્ધા હતી. તેવામાં કંઠી ત્રુટી ગઈ, એટલે ફરીથી મેં બાંધી નહી. તે વેળા બાંધવા ન બાંધવાનું કંઈ કારણ મેં શોધ્યું નહોતું. આ મારી તેર વર્ષની વયની ચર્ચા છે. પછી હું મારા પિતાની દુકાને બેસતો, અને મારા અક્ષરની છટાથી કચ્છ દરબારને ઉતારે મને લખવા માટે બેલાવતા ત્યારે ત્યાં હું જતો. દુકાને મેં નાના પ્રકારની લીલાલહેર કરી છે; અનેક પુસ્તકો વાંચ્યા છે, રામ ઇત્યાદિકનાં ચરિત્રો પર કવિતાઓ રચી છે, સંસારી તૃષ્ણાઓ કરી છે, છતાં કેઈને મેં ઓછે અધિકે ભાવ કહ્યો નથી કે કઈને મેં ઓછું અધિકું તળી દીધું નથી; એ મને ચોક્કસ સાંભરે છે.