________________
સમુચ્ચયવયચય અને આનો છેકઈ કાળે જાણે મળ્યા મળે તેમ નથી, પણ શોચ કરશે કે એટલી બધી વિચિત્રતાનું કોઈ સ્થળે લેખનચિત્રન કર્યું છે કે કંઈ નહીં? તો ત્યાં એટલું જ કહી શકીશ કે લેખનચિત્રન સઘળું સ્મૃતિના ચિત્રપટમાં છે. બાકી પત્રલેખિનિને સમાગમ કરી જગમાં દર્શાવવાનું પ્રયત્ન કર્યું નથી. યદિ હું એમ સમજી શકું છઉં કે તે વયચર્યા જનસમૂહને બહુ ઉપયોગી, પુનઃ પુનઃ મનન કરવા યોગ્ય અને પરિણામે તેઓ ભણીથી મને શ્રેયની પ્રાપ્તિ થાય તેવી છે. પણ મારી સ્મૃતિએ તે પરિશ્રમ લેવાની મને ચોકખી ના કહી હતી; એટલે નિરુપાયતાથી ક્ષમા ઈચ્છી લઉં લઉં. પરિ. ણામિક વિચારથી તે સ્મૃતિની ઈચ્છાને દબાવી તે જ સ્મૃતિને સમજાવી તે વયચર્યા ધીરે ધીરે બનશે તો અવશ્ય ધવળપત્ર પર મૂકીશ.
સમુચ્ચયવયચર્યા તોપણ સંભારી જઉં છઉં –
(૧) સાત વર્ષ સુધી એકાંત બાળવયની રમત ગમત સેવી હતી; એટલું મને તે વેળા માટે સ્મૃતિમાં છે કે વિચિત્ર કલ્પના (કલ્પનાનું સ્વરૂપ કે હેતુ સમજ્યા વગર) મારા આત્મામાં થયા કરતી હતી. રમતગમતમાં પણ વિજય મેળવવાની, અને રાજરાજેશ્વર જેવી ઉંચી પદવી મેળવવાની પરમ જિજ્ઞાસા હતી. વસ્ત્ર પહેરવાની, સ્વચ્છ રાખવાની, ખાવાપીવાની, સુવા બેસવાની બધી વિદેહી દશા હતી, છતાં હાડ ગરીબ હતું. તે દશા હજુ બહુ સાંભરે છે. અત્યારનું વિવેકીજ્ઞાન તે વયમાં હોત તે મને મોક્ષ માટે ઝાઝી જિજ્ઞાસા રહેત નહી. એવી નિરપરાધી દશા હોવાથી પુનઃ પુનઃ તે સાંભરે છે.
(૨) સાત વર્ષથી અગિયાર વર્ષ સુધીનો કાળ કેળવણી લેવામાં હતો. આજે મારી સ્મૃતિ જેટલી ખ્યાતિ ભોગવે છે તેટલી ખ્યાતિ ભોગવવાથી તે કંઈક અપરાધી થઈ છે. પણ તે કાળે નિરપરાધી સ્મૃતિ હોવાથી એક જ વાર પાઠનું અવલોકન કરવું પડતું હતું, છતાં ખ્યાતિનો હેતુ નહોતો એટલે ઉપાધિ બહુ ઓછી હતી. સ્મૃતિ એવી બળવત્તર હતી કે જેવી સ્મૃતિ બહુજ થોડા મનુષ્યમાં આ કાળે આ ક્ષેત્રે હશે. અભ્યાસમાં પ્રમાદી બહુ હતો; વાતડાહ્યો, રમતિઆળ અને આનંદી હતો. પાઠ માત્ર શિક્ષક વંચાવે તે જ વેળા વાંચી તેનો ભાવાર્થ કહી જતો. એ ભણીની નિશ્ચિતતા હતી. તે વેળા પ્રીતિ, સરળ વાત્સલ્યતા પારામાં બહુ હતી, સર્વથી એકત્વ ઈચ્છતો; સર્વમાં ભ્રાતૃભાવ હોય તો જ સુખ એ મને સવાભાવિક આવડયું હતું. જોકે માં કઈપણ પ્રકારના જૂદાઈના અંકુરે જેતો કે મારું અંતઃકરણ રડી પડતું. તે વેળા કપિત વાતો કરવાની મને બહુ ટેવ હતી. આઠમા વર્ષમાં મેં કવિતા કરી હતી, તે પાછળથી તપાસતાં સમાપ હતી.
અભ્યાસ એટલી ત્વરાથી કરી શક હતો કે જે માણસે મને પ્રથમ પુસ્તકનો બોધ દેવ શરૂ કર્યો હતો, તેને જ ગુજરાતી કેળવણી ઠીક પામીને તે જ ચોપડીને પાછો બધ કર્યો હતો. ત્યારે કેટલાક કાવ્ય ગ્રંથ મેં વાંચ્યા હતા. તેમજ અનેક પ્રકારના બે થે નાના આડાઅવળા મેં જોયા હતા, જે પ્રાયે હજુ સ્મૃતિમાં રહ્યા છે. ત્યાં સુધી મારાથી સ્વાભાવિક રીતે ભદ્રિકપણું જ સેવાયું હતું. હું માણસજાતને બહુ વિશ્વાસુ હતો. સ્વાભાવિક સૃષ્ટિરચના પર મને બહુ પ્રીતિ હતી.