________________
પર
અધ્યાત્મ રાજચંદ્ર
હતા. રસ્તામાં નનામી લઇ જતી વેળાએ રાજચદ્રને લાંખી શૂળ લાગી હતી, પરંતુ તત્ત્વવિચારનિમગ્ન રાજચંદ્રે તેની ઉપેક્ષા કરી તે વાત કેાઈને કળાવા દીધી નહિં. સ્મશાનેથી ઘેર પાછા ફર્યા ત્યારે લંગડાતા લગડાતા રાજચંદ્ર માતાજી પાસે આવ્યા. દેવમાએ પૂછ્યું—ભાઇ, પગમાં શું લાગ્યું છે ? આમ કેમ લ’ગડાય છે ? પછી માતાજીએ પગની પાની જોઈ તે લાંખી ખાવળની શૂળ દીઠી, તે કાઢી અને પૂછ્યું—ભાઇ, શૂળ કયાંથી લાગી? મા, અહીંથી સ્મશાને જતાં રસ્તામાં લાગી. ભાઈ, ત્યાં કાઈ ને કેમ વાત કરી નહિઁ ને શૂળ કઢાવી નહિં ? ત્યાં સુધી આ પીડા કેમ ખમાણી ? જ્ઞાનગંભીર રાજચંદ્ર શું જવાબ આપે ? અમીચંદૅના અવસાનપ્રસ`ગની જેમ તત્ત્વવિચારની ધારાએ ચઢતાં ત્યારે અવધૂતની જેમ સ્વદેંહનું પણ ભાન ભૂલી ગયેલા રાજચદ્ર મૌન રહ્યા.
પ્રકરણ આઠમુ સમુચ્ચયવયચર્યા
[શ્રીમદે સ. ૧૯૪૬ના કાર્તિકી પૂર્ણિમાના દિને-પેાતાના ૨૩ મા જન્મદિને પેાતાના જીવનનું સામાન્ય સિંહાવલેાકન કરતાં, પેાતાની ૧૩ વર્ષ સુધીની સમુચ્ચયવયચર્ચાનું તાદૃશ્ય સુંદર શબ્દચિત્ર આલેખન કર્યું છે; તેમાંથી આગલા પ્રકરણામાં યથાસ્થા કટકે કટકે ઉલ્લેખ કરાયેલ છે; તથાપિ સુજ્ઞ વાંચકને તેના સમગ્રપણે સાંગેાપાંગ ખ્યાલ આવે એટલા માટે શ્રીમની મહાપ્રસાદીરૂપ આ સ્વહસ્તે આલેખાયેલું આત્મકથારૂપ ( auto-biography) શબ્દચિત્ર પરમ અગત્યનું હાઈ અત્ર જેમ છે તેમ આખુ' એક પ્રકરણરૂપે અવતારીએ છીએ.
સંવત ૧૯૨૪ના કાર્તિક શુદ ૧૫ રવિએ મારા જન્મ હેાવાથી આજે મને સામાન્ય ગણતરીથી બાવીસ વર્ષ પુરાં થયાં. બાવીસ વર્ષોંની અ૫ વયમાં મે અનેક રંગ આત્માસંબંધમાં, મનસંબંધમાં, વચનસબંધમાં, તનસબંધમાં અને ધનસ ંબંધમાં દીઠા છે. નાના પ્રકારની સૃષ્ટિરચના, નાના પ્રકારના સંસારી મેાજા', અનંત દુઃખનું મૂળ એ બધાંના અનેક પ્રકારે મને અનુભવ થયા છે. સમ તત્ત્વજ્ઞાનીઓએ અને સમ નાસ્તિકોએ જે જે વિચારો કર્યો છે, તે જાતિના અનેક વિચારો તે અલ્પવયમાં મે કરેલા છે; મહાન ચક્રવર્તીએ કરેલા તૃષ્ણાના વિચાર અને એક નિસ્પૃહી મહાત્માએ કરેલા નિસ્પૃહાના વિચાર મેં કર્યાં છે. અમરત્વની સિદ્ધિ અને ક્ષણિકત્વની સિદ્ધિ ખૂબ વિચારી છે. અલ્પ વયમાં મહત્ વિચારો કરી નાખ્યા છે; મહત્ વિચિત્રતાની પ્રાપ્તિ થઈ છે. એ સઘળું બહુ ગભીર ભાવથી આજે ષ્ટિ દઈ જોઉં છઉં, તે પ્રથમની મારી ઉગતી વિચાર શ્રેણી, આત્મદશા, અને આજને આકાશપાતાળનું અંતર છે; તેના છેડા