SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯. બાલ્યવયના ધર્મસંસ્કાર એ ન્યાયે તેના સંગથી બાલ રાયચંદને પણ કૃષ્ણભક્તિને રંગ લાગ્યા અને શૌચાદિ વૈષ્ણવાચાર પ્રત્યે રુચિ થઈ દાદાની પાસે કૃષ્ણકર્તાનનાં પદે તેમણે સાંભળ્યા હતા, અવતાર સંબંધી ચમત્કારમાં તેની પ્રીતિ થઈ રામદાસજી નામના સાધુની પાસે બાળલીલામાં વૈષ્ણવધર્મના પ્રતીકરૂપ કંઠી પણ બંધાવી હતી. શંગારપ્રધાન વૈષ્ણવધર્મના સંસ્કારને લઈ બાલ હૃદયમાં ઊર્મિઓ ઊઠતી–તેના સંપ્રદાયના મહંત હોઈએ, સ્થળે સ્થળે ચમત્કારથી હરિકથા શ્રવણ કરતા હોઈએ તો કેવી મજા પડે? તેમજ વૈભવવિલાસની ઈચ્છા થતી. પ્રવીણસાગર જેવા શુંગારપ્રધાન ગ્રંથ તેમણે તે અરસામાં વાંચ્યા, તે તેવા જ શંગાર ભાવના ને ઈચ્છાના પિોષક બન્યા. આ અંગે શ્રીમદ જ સ્વયં સમુચ્ચયવયચર્યામાં કથે છે—મારા પિતામહ કૃષ્ણની ભક્તિ કરતા હતા, તેમની પાસે તે વયમાં કૃષ્ણકીર્તનનાં પદે મેં સાંભળ્યા હતા. જેથી મને ભક્તિની સાથે તે અવતારોમાં પ્રીતિ થઈ હતી અને રામદાસજી નામના સાધુની સમીપે મેં બાળલીલામાં કંઠી બંધાવી હતી. નિત્ય કૃષ્ણનાં દર્શન કરવા જતો. વખતોવખત કથાઓ સાંભળતે, વારંવાર અવતારે સંબંધી ચમત્કારોમાં હું મોહ પામતો, અને તેને પરમાત્મા માન; જેથી તેનું રહેવાનું સ્થળ જોવાની પરમ જિજ્ઞાસા હતી. તેના સંપ્રદાયના મહંત હેઈએ, અને ત્યાગી હોઈએ તો કેવી મજા પડે? એ જ વિકલ્પના થયા કરતી. તેમજ કેઈ વૈભવી ભૂમિકા જેતે કે સમર્થ વૈભવી થવાની ઈચ્છા થતી. પ્રવીણસાગર નામને ગ્રંથ તેવામાં મેં વાંચ્યો હતોતે વધારે સમયે નહોતો; છતાં સ્ત્રીસંબંધી નાના પ્રકારના સુખમાં લીન હોઈએ અને નિરુપાધિપણે કથા કથન શ્રવણ કરતા હોઈએ તે કેવી આનંદ દશા? એ મારી તૃષ્ણા હતી.” આમ બાળ રાજચંદ્રના હૃદયમાં આવા વૈષ્ણવધર્માનુકૂળ સંસ્કાર પડયે જતા હતા, તો બીજી બાજુથી તેમના માતાજી તરફથી જેનધર્માનુકૂળ સંસ્કારોની છાપ તેના અંતરમાં અવ્યક્તપણે પડતી હતી, તથાપિ તે વ્યક્તપણે અંકુરિત થઈ દઢમૂલ બનવાને ને મહાનું તત્ત્વવિજ્ઞાનવૃક્ષરૂપે પરિણમવાને હજુ થોડો વિલંબ હતો; તે માટેની “ કાળલબ્ધિ” હજુ પરિપકવ થઈ ન્હોતી; વૈષ્ણવ સંસ્કારોની છાપ ભુંસાઈ જઈ તેના સ્થાને જૈન– સંસ્કારો અંકિત થવાને કાળ હજુ પાક્યો હોત તદનુકૂળ નિમિત્તોની પ્રાપ્તિનો જોગ હજુ હવે પછી થોડા વખતમાં પ્રાપ્ત થવાને હતો. ત્યારે તે શૌચપ્રધાન અને શૃંગારપ્રધાન વૈષ્ણવ સંસ્કારની અસરને લઈ જેના પ્રત્યે ભાવની વાત તો દૂર રહો, ઉલટ અભાવ હતો, એક પ્રકારની સૂગ–જુગુપ્સા કે ઘણા હતી. આ વાતને ઉલેખ શ્રીમદે પિતાની ઉક્ત સમુચ્ચયવયચર્યામાં પણ કર્યો છે–૪ ૪ જેથી જેન લેકે ભણી મારી બહ જુગુસા હતી. ૪ ૪ તેમજ તે વેળા પ્રતિમાના અશ્રદ્ધાળુ લોકોની ક્રિયા મારા લેવામાં આવી હતી, જેથી તે મલિન ક્રિયાઓ લાગવાથી તેથી હું બીતો હતો, એટલે કે તે મને પ્રિય નહોતી.” ઇત્યાદિ. ઓછામાં પૂરું,—વૈષ્ણવ સંસ્કારથી જગકર્તા સંબંધી તેમની માન્યતા દઢમૂલ થઈ હતી, તે તે વખતની ગુજરાતી વાંચનમાળામાં આવતા જગકર્તા સંબંધી પાઠોથી અ-૭
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy