SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ સાતમુ બાલ્યવયના ધર્મસંસ્કાર બાલ રાજચંદ્રની વ્યાવહારિક કેળવણી અંગે આપણે સામાન્ય વિચાર કર્યાં. તે દરમ્યાન ધર્મ સ`સ્કારના બીજ પણ તેમની ચિત્તભૂમિમાં નિમિત્તાનુસાર પ્રગટતા જતા હતા. જાતિસ્મરણથી સૂચિત અવ્યક્ત પૂર્વ સંસ્કાર તા હતા જ, તેને વિશેષરૂપે આવિષ્કૃત કરવાને પ્રગટ મ્હાર આણવાને સ્વલ્પ ખાદ્ય નિમિત્તોની અપેક્ષા હતી. તે પ્રાપ્ત થતાં જેમ વ્યાવહારિક શિક્ષણમાં અકલ્પનીય ત્વરાથી એકદમ આગળ વધી ગયા, તેમ ધમ સંસ્કારની ખા,માં પણ તેવા તેવા નિમિત્તો મળતાં તેએ અત્યંત વેગથી આગળ વધતા જ ગયા તે હવે આપણે જોશું. આ માલ મહાત્માના ખાલ્ય જીવનનું અવલેાકન કરતાં જણાય છે કે તેમાં પ્રથમથી જ એ આંતપ્રવાહ। વ્યક્તાબ્યકતપણે વહી રહ્યા હતા—એક તા વૈષ્ણવધર્મ – સંસ્કારના, બીજો જૈનધ સંસ્કારના. પિતૃપક્ષ તરફથી એમને વૈષ્ણવધર્મ સંસ્કારની અને માતૃપક્ષ તરફથી જૈનધમ સંસ્કારની પ્રાપ્તિ થવાનું સહજ બાહ્ય નિમિત્ત હતું. એમના વડવાઓના મૂળ કુલધમ તે આપણે પૂર્વે જોયું તેમ સ્થાનકવાસી-પ્રતિમા વિરાધક જૈન શ્વેતામ્બર સ'પ્રદાયના હતા; પણ એમના પિતામહ શ્રીપંચાણુભાઈ ને કાઈ નિમિત્તકારણવશાત્ વૈષ્ણવધર્મ પ્રત્યે અંગત અભિરુચિ થઇ, એટલે તે શ્રીકૃષ્ણભક્તિ કરતા, અને વૈષ્ણવધર્માંનુકૂળ શ્રદ્ધા ધરાવતા. એમની આ અંગત ધમ માન્યતાના વારસે કંઇક અંશે શ્રીવજીભાઇમાં ઉતર્યાં. પરંતુ એમના વિવાહસંબંધ જૈનધર્મોનુયાયી–જૈનધમ પ્રતિપાલક શ્રીદેવબાઇ સાથે થયા. ધમ વ્યવહાર ભિન્ન છતાં તે વખતે વૈષ્ણવકુલધર્માંવાળાના જૈન કુલધ વાળા સાથે ને જૈનકુલધમ વાળાના વૈષ્ણવકુલધર્મવાળા સાથે પરસ્પર વિવાહસંબંધ બંધાવાના ઘણા પ્રસંગ બનતા; પરસ્પર ટી-બેટી વ્યવહાર ચાલુ હતા, તેમાં ખાધ ન ગણાતા. એટલે જૈનધર્મોનુયાયિની દઢધર્મો દેવબાઈના રવજીભાઇ સાથે લગ્નસંબંધ જોડાતાં સંસગ યાગે રવજીભાઈને પોતાના મૂળ કુલધર્મ જૈનધર્મો પ્રત્યે પણ સદ્ભાવની ઘેાડી ઘણી અસર થવા લાગી; છતાં રવજીભાઇનો પક્ષપાત હજી વૈષ્ણવધર્મ પ્રત્યેના હતા. એટલે આમ પિતૃપક્ષ તરફથી વૈષ્ણવધ સ ંસ્કારના ને માતૃપક્ષ તરફથી જૈનધર્માંસ'સ્કારના—એમ એ પ્રકારના સંસ્કારપ્રવાહ ખાસ રાજચંદ્રના પ્રારંભજીવનમાં વિચિત્ર મિશ્રણરૂપે વા સંગમરૂપે ભળ્યેા. પણ પ્રથમ તે શૌચપ્રધાન-શૃંગારપ્રધાન વૈષ્ણવસંસ્કારોના પ્રવાહનુ જોર હતું, એટલે કુમળું ઝાડ જેમ વાળીચે તેમ વળે એ ન્યાયે ખાલ હૃદયમાં વૈષ્ણવસંસ્કારોની છાપ તે વખતે વિશેષ પડી. વળી દાદા પંચાણુભાઈના લાડકવાયા રાજચંદ્રને દાદાના સંસગ પણ વિશેષ રહેતા, અને દાદા તા શ્રીકૃષ્ણભક્ત હતા, એટલે જેને જેવા સંગ તેને તેવા રંગ ’ "
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy