________________
૪૭
બાલવયનું સાહિત્યસર્જન
પુષ્પમાળા આદિ આ કાવ્યકૃતિઓ ઉપરાંત બાલવયના સાહિત્યસર્જનમાં ગદ્યકૃતિઓ પણ છેઃ (૧) રાજાઓને, (૨) પુષ્પમાળા આદિ. “રાજાઓને” આ ટુંકા લેખમાં રાજાએ આયવ્યય બા., કર બા, ન્યાય નીતિ બા.. સામાન્ય દિનચર્યા બા, સામાન્ય વ્યવહાર આચરણ નિયમ બા. કેવી રીતે વર્તવું એ અંગેની રૂપરેખા આ કવિ રાજચંદ્ર એક પ્રૌઢ રાજનીતિનિપુણ વિચક્ષણ આર્ષદૃષ્ટા ઋષિને છાજે એવી ડહાપણના ભંડાર જેવી ઉત્તમ રિલીથી આલેખી છે,–જે આજે અને સર્વ કાળે પણ રાજ્યધુરા ધારણ કરનારાઓએ ધડો લેવા ગ્ય છે. અને સોળમા વર્ષ પૂર્વે એકસો આઠ સૂત્રોથી ગૂંથેલી–એકસો આઠ મણકા પરોવેલી મંગલમયી પુષ્પમાળા તો પ્રથમ દર્શને જ જાણે કઈ પ્રાચીન મહર્ષિ સૂત્રનિપાત કરતા હોય એવો ભાસ આપે છે! “રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયે, નિદ્રાથી મુક્ત થયા, ભાવનિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજે” એ મંગલ સૂત્રથી પ્રારંભાતી અને “લાંબી ટૂંકી કે કમાનકમ ગમે તે સ્વરૂપે આ મારી કહેલી, પવિત્ર તાનાં પુષ્પોથી છવાયલી માળા પ્રભાતના વખતમાં, સાયંકાળે અને અન્ય અનુકૂળ નિવૃત્તિએ વિચારવાથી મંગળદાયક થશે. વિશેષ શું કહું?” એ અંત્ય સૂત્રથી પૂર્ણાહુતિ પામતી આ પુષ્પમાળામાં રાજાને–રંકને, બાલ–યુવાન–વૃદ્ધને, સ્ત્રી-પુરુષને, ત્યાગીનેભોગીને, વણિકને–વકીલને, શ્રીમંતને-ધીમંતને, સુખી-દુઃખીને, કવિને-કળાકારને, સ્વામીને–સેવકને,સર્વ કેઈને ઉદ્દેશીને સમુચિત બોધરૂપ માર્ગદર્શન આપી, પ્રાતઃકાળથી માંડી શયનકાળ પર્વતની સંપૂર્ણ દિનચર્યાનું અનુપમ વિધાન કર્યું છે. ધર્મ, દયા, મૂળતત્વ, પવિત્રતા, ન્યાયસંપન્નતા, સન્નીતિ, ભક્તિ, વૈરાગ્ય, બ્રહ્મચર્ય, સુશીલ આદિ વિવિધ વિષયો સૂત્રિત કરતી સુંદર સુમધુર શિષ્ટ ભાષામાં ગૂંથેલી આ સૂત્રમય પુપમાલા પુષ્પની જેમ શીલ-સૌરભથી મઘમઘતી અને ભાવ-કેમલતાથી લસબસતી ખરેખરી
પુષ્પમાલા” જ છે. “મૂળતત્વમાં ક્યાંય ભેદ નથી, માત્ર દષ્ટિમાં ભેદ છે એમ ગણી આશય સમજી પવિત્ર ધર્મમાં પ્રવર્નાન કરજે. પગ મૂકતાં પાપ છે, જેમાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. જીંદગી ટુંકી છે અને લાંબી જ જાળ છે, માટે જ જાળ ટૂંકી કર તો સુખરૂપે અંદગી લાંબી લાગશે. વાસ્તવિક સુખ માત્ર વિરાગમાં છે માટે જ જાળમેહિનીથી આજે અત્યંત મોહિની વધારીશ નહીં. આ સઘળાનો સહેલો ઉપાય આજે કહી દઉં છું કે દોષને ઓળખી દોષને ટાળવા. ઇત્યાદિ સુવર્ણ સૂત્રોથી શોભતી અક્ષરે અક્ષરે સુભાષિતમયી આ પુષ્પમાલા આબાલવૃદ્ધ સર્વ કોઈને મનન કરવા જેવી–ફરી ફરી ફેરવવા જેવી પ્રાતઃસ્મરણીય વા સાયંસ્મરણીય મંગલ માળા જ છે. આવા મંગલમય સાહિત્યના ભ્રષ્ટા આર્ષદૃષ્ટા આપણું આ બાલ કવિના જીવન પર પ્રકાશ નાંખતું બાલવયના સાહિત્યસર્જનનું આટલું દર્શન અત્ર પર્યાપ્ત છે.