________________ દિવ્ય જ્યોતિનું ઊર્ધ્વગમન 777 અમૃતનું પાન કરાવનારી આ પરમ અમૃત પુરુષની આ પરમ અમૃત કૃતિઓ જ એને જયજયકાર પિકારતી શાશ્વત જયવંતી જયંતિઓ બની ગઈ ! કૃતિઓ જે સુકૃતી તણી જ જયંતિ રે, કીર્તાિકૌમુદી વિસ્તારતી જયવંતી રે; આત્મકળા સોળે કળા વિકસંતી રે, શાંતસુધારસધારને વરતી રે....જે ધર્મમુતિ સંત જ્ઞાનાવતારે રે. આત્માર્થ અમૃત પાન જેણે બેશું રે, સદ્ધર્મનું સત તત્ત્વ જેણે શોધ્યું રે....જે ધર્મમૂત્તિ. (સ્વરચિત) આવા પરમ અમૃતમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્ર તે અમૃતસિંધુ છે. સ્થળ દેહ ક્ષર છતાં અક્ષર દેહે પરમ “અમૃત શ્રીમદ્ રાજચંદ્ર તે ખરેખર! અમૃત સરોવર છે. આ સાર્વજનિક તીર્થરૂપ અમૃત સરોવરમાં જે કોઈ આત્માથી મુમુક્ષુ મજજન કરશે તે પણ આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિને પામી અવશ્ય અમૃતત્વને પામશે. આવું જેનું પરમ મહિમાતિશયસંપન્ન અદ્દભુત લોકોત્તર ચરિત્ર છે, એવા આ પરમ લોકોત્તર પુણ્યશ્લોક પુરુષ–પરમ પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર સ્વરૂપથી સત હેઈ સૂર્ય સમા સદા સ્વયં પ્રકાશમાન અને સદા જયવંત જ છે. તેમની નિર્વિકાર વીતરાગ મુખમુદ્રામાં, નિર્દોષ ચારિત્રમય ચરિત્રમાં, અને નિર્મળ સહજ સ્વયંભૂ વીતરાગ વચનામૃતમાં સાધુચરિત શ્રીમનું યથાર્થ આત્મજીવન પ્રત્યક્ષ પ્રતિબિંબિત છે, સ્વસ્વયેગ્યતા પ્રમાણે પાત્ર છે તે પ્રતિબિંબ ઝીલી આત્મપ્રકાશ પામે છે ને પામશે ! સ્વયં પ્રકાશી સ્વરૂપે પ્રકાશતા, સ્વયં સદા જે જયવંત વર્તતા; તે સંતના સંત મહત્ મહંતના, શ્રીરાજને હે મનનંદ વંદના. (સ્વરચિત) આ અલૌકિક હતો આ રાજચંદ્ર –આ અધ્યાત્મ રાજચંદ્ર! અને આવું અલૌકિક હતું આ અધ્યાત્મ રાજચંદ્રનું અધ્યાત્મચરિત્ર! આવા આ પુણ્યશ્લોક અધ્યાત્મ રાજચંદ્રનું દિગદર્શનમાત્ર કરાવતે આ અધ્યાત્મ રાજચંદ્ર ગ્રંથ ગ્રંથને આટલે વિકટ પંથ કાપીને પણ વિશેષ કેટલું કહી શકે ? આમ ભારતના ગગનાંગણમાં ઊગેલા આ વિશ્વલ્યાણકર વિરલ વિભૂતિ રાજચંદ્રની દિવ્ય આત્મતિ અખિલ વિશ્વમાં આત્માને સૌમ્ય શાંત પ્રકાશ રેલાવી ઊર્ધ્વગમન કરી પરમ અમૃતપદને પ્રાપ્ત થઈ, અને વિશ્વ પોકારી રહ્યું–જય રાજચંદ્ર