________________ 78 અધ્યાત્મ રાજચંદ્ર આમ જે દિવ્ય તિ સં. ૧૯૨૪ના કાર્તિકી પૂર્ણિમાના દિને વવાણીઆ મધ્યે રાજચંદ્રરૂપે પ્રાદુર્ભાવ પામી અખિલ વિશ્વમાં દિવ્ય જ્ઞાનચંદ્રિકા વર્ષાવી રહી, તે શ્રીમદ્ રાજચંદ્રની દિવ્ય આત્મતિ આજે સં. ૧૫૭ના ચૈત્ર વદી પંચમીના દિને રાજકેટ ક્ષેત્રે આ રાજચંદ્ર દેહપર્યાયને ઉત્સર્ગ કરી, ઊર્ધ્વગમન કરી અમૃતત્વને પામી, અને વિશ્વમાં ધ્વનિ વ્યાપી રહ્યો–રાજચંદ્ર અમૃત થઈ ગયા ! આ જગતકલ્યાણકર દિવ્ય જ્યોતિનું ઊર્ધ્વગમન થતાં શોકમગ્ન જગતે રાજચંદ્રની ગુણગણુગાથાઓ ગાઈ, પ્રાયે “હુએ નહિં ન હયગે ગીન્દ રાજચંદ્રસે', પ્રશસ્ત પ્રશસ્તિઓ પ્રકાશી, જયજયકાર ગાય–જ્ય રાજચંદ્ર! જય રાજચંદ્ર! જય રાજચંદ્ર! અને ભારતના ગગનાંગણમાં ઉગેલા આ ભારતના તિર્ધર રાજચંદ્ર સૌમ્ય શાંતસુધારસમણી એવી પરમ અમૃત દિવ્ય જ્ઞાનચંદ્રિકા વર્ષાવી ગયા, કે આત્માથે અસમર્થ છે. તેવું જ અપાર દુઃખ અઘોર અટવીને વિષે આ પામર જીવોને આપી છે ! પ્રભુ, તમે કયાં ગયા ? હે ભારતભૂમિ ! શું આવા દેહ છતાં વિદેહપણે વિચરતા પ્રભુને ભાર તારાથી વહન ન થયો ? જે તેમજ હોય તો આ પામરને જ ભાર તારે હળવો કરવો હતો; કે નાહક તેં તારી પૃથ્વી પર બજારૂપ કરી નાખ્યો. . મહાવિકરાળ કાળ, તને જરા પણ દયા ન આવી. છપ્પનિયાના મહાદુષ્કાળ વખતે લાખો મનુષ્યોને તે બેગ લીધે, તો પણ તું તૃપ્ત થયો નહીં; અને તેથી પણ તારી તૃપ્તિ નહોતી થઈ તો આ દેહનો જ પ્રથમ ભક્ષ તારે કરવો હતો કે આવા પરમ શાંત પ્રભુને તેં જન્માક્તરને વિયાગ કરાવ્યો ! તારી નિર્દયતા અને કઠોરતા મારા પ્રત્યે વાપરવી હતી ! શું તું હસમુખો થઈ મારાં સામું જુએ છે. હે ! શાસનદેવી! તમારું પરિબળ આ વખતે કાળના મુખ આગળ ક્યાં ગયું? તમારે શાસનની ઉન્નતિની સેવા બજાવવામાં અગ્રેસર તરીકે સાધનભત એવા પ્રભ હતા: જેને તમે ત્રિકરણ કરી સેવામાં હાજર રહેતાં તે આ વખતે ક્યા સુખમાં નિમગ્ન થઈ ગયાં કે આ મહાકાળે શું કરવા માંડયું છે તેને વિચાર જ ન કર્યો? હે! પ્રભુ, તમારા વિના અમે કોની પાસે ફરીયાદ કરીશું? તમે જ જયારે નિર્દયતા વાપરી ત્યાં હવે બીજે દયાળુ થાય જ કેણ? હે પ્રભુ, તમારી પરમ કૃપા, અનંત દયા, કરુણામય હૃદય, કમળ વાણું, ચિત્તહરણશક્તિ, વૈરાગ્યની તીવ્રતા, બાધબીજનું અપૂર્વપણું, સમ્યાન, સમ્યગદર્શન અને સમ્યફચારિત્રનું સંપૂર્ણ ઉજમાળપણું, પરમાર્થલીલા, અપાર શાંતિ, નિષ્કારણ કણા, નિઃસ્વાથી બોધ, સત્સંગની અપૂર્વતા, એ આદિ ઉત્તમોત્તમ ગુણોનું હું શું સ્મરણ કરૂં! વિદ્વાન કવિઓ અને રાજેન્દ્ર દેવો આપનાં ગુણરતવન કરવાને અસમર્થ છે તો આ કલમમાં અલ્પ પણ સમર્થતા ક્યાંથી આવે? આપના પરમોત્કૃષ્ટ ગુણોનું મરણ થવાથી મારા શુદ્ધ અંતઃકરણથી ત્રિકરણગે હું આપના પવિત્ર ચરણારવિંદમાં અભિવંદન કરું છું. આપનું ગબળ, આપે પ્રકાશિત કરેલાં વચને અને આપેલ બાધબીજ મારું રક્ષણ કરો. એ જ સદેવ છું. આપે સદેવને માટે વિયોગની આ સ્મરણમાળા આપી તે હવે હું વિરમૃત નહિં કરું. ખેદ ખેદ અને ખેદ; એ વિના બીજું કંઈ સૂઝતું નથી. રાત્રી દિવસ રડી રડીને કાઢું છું; કાંઈ સૂઝ પડતી નથી.”