SearchBrowseAboutContactDonate
Page Preview
Page 826
Loading...
Download File
Download File
Page Text
________________ واقف દિવ્ય જયોતિનું ઊર્વગમન ધારશીભાઈએ ઉપર જણાવેલા શબ્દો પૂજ્યશ્રી મનસુખભાઈ પ્રત્યે કૃપાળુશ્રી બાલી ધ્યાનસ્થ થયા. 44 તે વખતની મૂર્તિ અનુપમ ચિત વાળી શાંત મનોહર ને જોતાં તૃપ્તિ ન થાય એવી શોભતી હતી, એમ આપણને ગુણાનુરાગીને તે લાગે, પણ જેઓ બીજા સંબંધથી હાજર રહેલા, તેને પણ આશ્ચર્ય પમાડતી પૂજ્યભાવ ઉત્પન્ન કરતી જણાતી હતી. આ વખતના અદ્ભુત સ્વરૂપનું વર્ણન કરવાને આત્મામાં જે ભાસ થાય છે તે લખી શક્તા નથી.” ઈ. આમ સં. ૧૯૫૭ના ચિત્ર વદી પંચમીના દિને મંગળવારે બપોરના બરાબર બે વાગ્યે રાજકેટ મધ્યે આ પરમ મંગલમૂત્તિ પરમ દિવ્ય જ્યોતિ રાજચંદ્રને આ રાજચંદ્ર નામધારી દેહપર્યાય છૂટી ગયે, અને આ પરમ અમૃત રાજચંદ્રની દિવ્ય શાશ્વત આત્મજયોતિ ઊર્ધ્વગમન કરી ગઈ માતા-પિતાજી આદિ સર્વ સ્વજન–વ્યવહાર સંબંધીઓ કઈ મેહભાવથી કોઈ સ્નેહભાવથી કોઈ પૂજ્યભાવથી ચોધાર આંસુએ રડ્યા. પરમાર્થ સંબંધી મુમુક્ષુજને તે પરમાર્થ ખેદથી—આ પરમ પુરુષના સમર્થ આલંબનનો વિયેગ-વિરહ થવાથી શેકસાગરમાં ડૂબી ગયા, અનન્ય શરણના આપનાર આ પરમ ગુરુના વિયેગથી અત્યંત આકુલવ્યાકુલ થઈ ગયા, અને વિરહ વેદનાથી વિલાપ કરવા લાગ્યા–હાય! અમે અનાથ થઈ ગયા, અશરણ થઈ ગયા. અનંતકાળે પણ જેનું દર્શન ન થાય એવા આ પરમ જ્ઞાનાવતાર જ્ઞાનીને જેગ આ દુઃષમ કળિકાળમાં અમારા હાથમાં આવ્યો, તેને આ દુષ્ટ કાળે અકાળે વિગ કરાવ્યું. મોક્ષમાર્ગને ઉપદેશનારા એવા જે પરમ જ્ઞાનનિધાન પરમ પરોપકારી નિષ્કારણકરુણરસસાગર હતા, તે આ ખરેખરા પરમ કૃપાળુદેવને વિગ કેમ સહન થઈ શકે? સંશય છેદનારા રાજને વિરહ કેમ ખમાય? એવા ભાવના કરુણ શબ્દોમાં પિતાની વિરહવ્યથા ઠાલવવા લાગ્યા. શ્રીમદની પૂર્વોક્ત ગૂઢ આગાહી પ્રમાણે પોપટલાલભાઈ છ માસ સુધી રડ્યા-આંખના આંસુ ને સૂકાયા. લલ્લુ મુનિ દેહોત્સર્ગ સમાચાર મળતાં ઉપવાસ કરી વનમાં કાયેત્સર્ગ લીન રહ્યા. મનસુખભાઈ કિરતચંદ, ધારશીભાઈ એ અને આગલા દિવસ સુધી સેવામાં હાજર હતા પણ સંજોગવશાત છેલ્લે દિવસે હાજર રહેવાનું ન બન્યું,–તેઓ તો વર્ષો સુધી નહિં વિસરાયેલા વિરહખેદથી એટલા બધા ખેદખિન્ન થઈ ગયા કે તેમની અથાગ વિરહ વેદના તેઓ જ કહી શકે. અને સર્વથી વધારે છે તે સમક્ષ મુખ્ય મહામુમુક્ષુ અંબાલાલભાઈ કે જે તે સમાધિમરણ વખતે હાજર ન હતા તેમને થયે; અને તે કે હવે તે આ અંબાલાલભાઈને અત્રે ફૂટનેટમાં *મૂકેલા પત્રના હૃદયભેદી શબ્દો જ પોકારે છે. * “વિશાળ અરણ્યને વિષે અતિ સુંદર અને શાંતિ આપનારૂં એવું એક જ વૃક્ષ હોય, તે વૃક્ષમાં સિકતાથી શાંતપણે કામળપણે સુખાનંદમાં પક્ષીગણ મલકતાં હોય, તે વૃક્ષ એકાએ. પ્રજવલિત થયું હોય તે વખતે તે વૃક્ષથી આનંદ પામનારાં પક્ષીઓને કેટલું દુઃખ પ્રાપ્ત થાય? કે જેને ક્ષણ એક પણ શાંતિ ન હોય ! અહાહા ! તે વખતના દુઃખનું મોટા કવીશ્વરો પણ વર્ણન કરવાને અ-૨૮
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy