________________ દિવ્ય જાતિનું ઊર્ધ્વગમન 775 તથા મોરબીવાળા પ્રાણજીવનભાઈ આદિ વિયાવચ્ચ કરનારા મુમુક્ષુ પરિચારકની જહેમત, વ્યવહારસંબંધી નેહાધીન સ્વજનની કાળજીભરી માવજત, પરમાર્થસંબંધી ભક્તિમાન મુમુક્ષુજનેની ભક્તિપૂર્ણ સેવા-સુશ્રષા છતાં, આયુષ્યના અભાવે સર્વ ઉપાય નિષ્ફળ ગયા; અને ઉત્તરોત્તર ક્ષીણ થતી જતી શરીરસ્થિતિ એકદમ અશક્ત બની ગઈ, ઊઠવા-બેસ વાની શક્તિ પણ ન રહી એટલી બધી શારીરિક શક્તિ ક્ષીણ થઈ ગઈ. ત્યાં ચિત્ર વહી અને દિન આવી પહોંચે. તે દિનની હકીકત શ્રીમના લઘુ બ્રાતા મનસુખભાઈ રવજીભાઈ તાદશ્ય વર્ણવે છે –“દેહત્યાગના આગલા દિવસે સાયંકાળે રેવાશકરભાઈ, નરભેરામ, હું વગેરે ભાઈઓને કહ્યું તમે નિશ્ચિત રહેશે. આ આત્મા શાશ્વત છે. અવશ્ય વિશેષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનો છે. તમે શાંતિ અને સમાધિપણે પ્રવર્તશે. જે રત્નમય જ્ઞાનવાણી આ દેહકારાએ કહી શકાવાની હતી તે કહેવાને સમય નથી. તમે પુરુષાર્થ કરશે.' આવી સ્પષ્ટ ચેતવણી છતાં અમે રાગના કારણથી ચેતી શક્યા નહીં. અમે તે એમ બફમમાં રહ્યા કે અશક્તિ જણાય છે. રાત્રીના અઢી વાગ્યે અત્યંત શરદી થઈ તે સમયે તેઓશ્રીએ જણાવ્યું કે— “નિશ્ચિત રહેજો. ભાઈનું સમાધિમૃત્યુ છે. ઉપાયે કરતાં શરદી ઓછી થઈ ગઈ.” પછી ચિત્ર વદી પંચમીને દિન આવી પહોંચ્યો. તે દિનની હકીકત તાદશ્ય મનસુખભાઈ દર્શાવે છે –“પણ આઠ વાગ્યે સવારે દૂધ આપ્યું, તે તેઓએ લીધું. તદ્દન સંપૂર્ણ શુદ્ધિમાં મન વચન અને કાયા રહ્યાં હતાં. પણ નેવે કહ્યું - મનસુખ, દુઃખ ન પામતા; માને ઠીક રાખજે. હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું.” સાડા સાત વાગ્યે જે બિછાનામાં પિઢયા હતા, તેમાંથી એક કેચ ઉપર ફેરવવા મને આજ્ઞા કરી. મને લાગ્યું કે અશક્તિ ઘણું જણાય છે માટે ફેરફાર ન કરે, ત્યારે તેઓશ્રીએ આજ્ઞા કરી કે ત્વરાથી ફેરફાર કર. એટલે મેં સમાધિસ્થ ભાવે સૂઈ શકાય એવી કોચ ઉપર વ્યવસ્થા કરી, જે ઉપર તે પવિત્ર દેહ અને આત્માસમાધિસ્થ ભાવે છૂટા૫ ડચા, લેશ માત્ર આત્મા છૂટો થવાનાં ચિહ્ન ન જણાયાં. જેમ જેમ પ્રાણ ઓછા થવા લાગ્યા તેમ તેમ મુખમુદ્રાની કાંતિ વિશેષપણે પ્રકાશ પામવા લાગી. વઢવાણ કેમ્પમાં જે સ્થિતિમાં ઉભા ઉભા ચિત્રપટ પડાવેલ તે જ સ્થિતિમાં કોચ ઉપર સમાધિ પાંચ કલાક રહી, લઘુશંકા, દીર્ઘ શંકા, મોઢે પાણી કે આંખે પાણી કે પરસેવો કંઈ પણ પણ આઠથી બે વાગ્યા સુધી પ્રાણ છૂટા પડ્યા તે પણ કશું જણાયું નહોતું. એક કલાકે દૂધ પીધાં પછી હંમેશાં દિશાએ જવું પડતું તેને બદલે આજે કાંઈ પણ નહીં. જેવી રીતે યંત્રને ચાવી દઈ આધીન કરી લેવામાં આવે તે રીતે કરેલ. આવા સમાધિસ્વભાવે તે પવિત્ર આત્મા અને દેહનો સંબંધ છૂટ્યો.” આમ સં. ૧લ્પ૭ના ચિત્ર વદી પંચમીના દિને મંગળવારે બપોરના બરાબર બે વાગ્યે રાજકોટ મધ્યે શ્રીમદ્દ દેહત્સર્ગ થયો.