SearchBrowseAboutContactDonate
Page Preview
Page 823
Loading...
Download File
Download File
Page Text
________________ 774 અધ્યાત્મ રાજચંદ્ર અજર અમર છું એ અખંડ નિશ્ચય જ્ઞાનીના આત્મામાં સદિત હોય છે. એટલે “અબ હમ અમર ભયે ન મરેંગે એવી અવધૂત આનંદઘન દશા અનુભવનારા આવા જ્ઞાનીને મરણને ભય ક્યાંથી હોય? મરણને જ્ઞાનીને ભય લાગે છે કે આ જ્ઞાનીને હાથે આપણે મૂઆ પડયા, આપણું આવી બન્યું. ! આમ અજર અમર અમૃત આત્માને પામેલા શ્રીમદ્દ જેવા પરમ જ્ઞાની તે મૃત્યુંજય છે, કાળના કાળ છે. “મૃત્યુ મરી ગયું રે લોલ–મૃત્યુ જ જ્યાં મૃત્યુ પામી ગયું છે એવા મૃત્યુંજય પરમ અમૃત આત્માને પામેલા આ મૃત્યુંજય જ્ઞાની પરમ અમૃત જ છે. કારણ કે પરમાર્થસખા સૌભાગ્ય પરના સમાધિમરણ અંગેના પરમ અમૃત પત્રોમાં પરમ અમૃત શ્રીમદે લખ્યું છે તેમ–“પરમયોગી એવા શ્રી ઋષભદેવાદિ પુરુષ પણ જે દેહને રાખી શક્યા નથી,' તે દેહમાં પરમ અસંગપણું પરમ નિર્મોહ પણું સાધી લઈ પરમ અસંગ પરમ નિર્મોહ એવી પરમ અમૃત શુદ્ધ આત્મદશા આ પરમ સિદ્ધગી શ્રીમદે સિદ્ધ કરી લીધી હતી; “અમલાન જ્ઞાન વિદ્યમાન પરગટ ભયી, યાહિ ભાંતિ આગમ અનંતકાલ રહિગૌ”—એવું અજ્ઞાન જ્ઞાન પ્રગટ કરી અનંતકાળ રહે એવી પરમ અમૃત જ્ઞાનદશા આ પરમ જ્ઞાનાવતાર શ્રીમદે પ્રાપ્ત કરી લીધી હતી; “બીજાં સર્વ દ્રશ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા” પ્રાપ્ત કરી પરમ અમૃત મુકાદશાજીવન્મુક્ત દશા આ કેવળ શુદ્ધ આત્માને અનુભવ કરનારા પ્રસિદ્ધ સમયસાર શ્રીમદે અનુભવસિદ્ધ કરી લીધી હતી; અને “ત્રણ કાળને વિષે દેહાદિથી પિતાનો કંઈ પણ સંબંધ નહતો એવી પરમ અસંગ દશા ઉત્પન્ન કરી અસંગ શુદ્ધ ચૈતન્યમાં લીન થયેલા આ શુદ્ધ ચૈતન્યમૂત્તિ સહજાન્મસ્વરૂપસ્વામી શ્રીમદે. આવી સદેહમુક્ત પરમ અમૃત સહજાન્મસ્વરૂપ દશા સહજ સિદ્ધ કરી લીધી હતી. આમ જીવન્મુક્ત-જીવંત છતાં મુક્ત-સદેહે મુક્ત દશા અનુભવનારા, દેહ છતાં દેહાતીત દશામાં વિચરનારા, જે જીવન્મુક્ત પુરુષને પૂર્ણ સહજ સમાધિ વર્તાતી હતી, એવા આ કાર્યોત્સર્ગદશાસ્થિત પુરુષને આ સમયે પણ પૂર્ણ અખંડ સમાધિ જ વર્તાતી હોય એમાં પૂછવું જ શું? ભવના અંતના ઉપાયરૂપ નિર્મથના પંથને જીવનભર અનુસરનારા જે પુરુષ કાયાની માયા વિસારી સ્વરૂપમાં સમાઈ ગયા હતા, એવા આ પુરુષને નિરંતર દેહ છતાં દેહાતીત કાયોત્સર્ગદશા જ વર્તાતી હોય એમાં નવાઈ શું? શરીરની આવી સબાલાસ્થિતિમાં પણ જેને આત્મામાં અવ્યાબાધ સ્થિરતા વર્તાતી હતી એવા આ પુરુષને સદા પરમાનંદનિમગ્નતા જ હોય એમાં આશ્ચર્ય શું? આમ કાયાની વિસારી માયા સ્વરૂપે માયા” એવા પરમ ધર્મમૂર્તિ સાક્ષાત્ સહજાન્મસ્વરૂપસ્વામી શ્રીમદ્દ તે આત્માના શુદ્ધ આત્મસ્વભાવરૂપ શુદ્ધ ધર્મમાં જ નિરંતર વર્તાતા હતા અને પુદ્ગલમય શરીર પણ સડણપાડણ-વિદ્ધસણસ્વભાવી પિતાનો નાશવંત ધર્મ કર્મઉદયાનુસાર બજાબે જતું હતું. એટલે ડાક્તરોના નાના પ્રકારના નિર્દોષ નિરવ ઉપચાર, સતત પરિચર્યાપરાયણ મનસુખભાઈ દેવશીભાઇ
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy