________________ દિવ્ય જાતિનું ઊર્ધ્વ ગમન 773 આત્માને દેખી, આત્માને જાણી, આત્મામાં વત્તાવારૂપ જે સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્રમય શુદ્ધ સનાતન–શાશ્વત આત્માના તે શુદ્ધ સત્ સ્વભાવધર્મ પ્રત્યે લઈ જનારે જ્ઞાનીઓનો સનાતન–શાશ્વત સન્માર્ગ જ્યવંત વન્ત જે શુદ્ધ આત્મપરિણતિમય સનાતન સન્માર્ગનું પોતે આજીવન અનન્ય આસેવન કર્યું છે અને જ્ઞાનીઓનો જે આ સનાતન સન્માગ પોતે આત્માનુભવસિદ્ધપણે સિદ્ધ કર્યો છે,–એવા આ આત્મસિદ્ધ સિદ્ધ ગીશ્વર પરમ જ્ઞાનીશ્વર શ્રીમદ્દ જ્ઞાનીઓને તે સનાતન સન્માર્ગ વિશ્વમાં જ્યવંત વ!—એવી કેવી અલૌકિક આત્મભાલલાસપૂર્ણ ભાવના ભાવે છે! અને આ પછી ચૈત્ર સુદ ૬ના દિને લખાયેલા ટૂંકા પત્રમાં (અં. 953) શ્રીમદ્ લખે છે- અનંતશાંતમૂત્તિ એવા ચંદ્રપ્રભસ્વામીને નમોનમઃ, વેદનીય તથારૂપ ઉદયમાનપણે વેદવામાં હર્ષશોક શે ?–કાયાની વિસારી માયા જે સ્વરૂપમાં સમાઈ ગયા છે એવા અનંત શાંતમૂર્તિ રાજચંદ્ર અભેદભક્તિભાવથી–અનંત શાંતમૂર્તિ ચંદ્રપ્રભસ્વામીને નમોનમઃ– ફરી ફરી વારંવાર નમસ્કાર હે! નમસ્કાર હે!—એવા પરમ આત્મભાવપૂર્ણ પરમ ભાવનમસ્કાર અત્ર કરે છે; અને વેદનીયઅવશ્ય વેદવાયેગ્ય કર્મ તથારૂપ–તેવા પ્રકારે ઉદયમાનપણે–જેવો ઉદય આવી રહેલ છે તેવો વેદવામાં હર્ષશેક શે ? એમ ભાવે છે. અનંત શાંતમૂત્તિ ચંદ્રપ્રભસ્વામીને અભેદભાવે નમોનમઃ કરતા અનંત શાંતમૂત્તિ રાજચંદ્રને ગમે તેવા અસાતાઉદયમાં પણ નથી હર્ષ નથી શક, કેવલ અદ્દભુત અલૌકિક અનુપમ પરમ સમતા જ છે; “નોકaોવિહીનો રિનો માળો ડુ રસનો-મોહ-ક્ષેભ રહિત આત્માને પરિણામ તે સમ એવી પરમ સમભાવરૂપ શુદ્ધ આત્મચારિત્રદશા જ છે. શરીરની અત્યંત અસ્વસ્થતા મધ્યે પણ શ્રીમદની આત્મસ્વસ્થતા કેવી અદ્ભુત છે! અક્ષોભ્ય આત્મસમતા કેવી અદ્ભુત છે !! મુમુક્ષુજનો અને સ્વજને શ્રીમદની શરીરસ્થિતિથી વારંવાર ગભરાઈ જઈ ક્ષોભ પામી ચિંતામગ્ન રહેતા, પણ નિરંતર આત્માનંદમગ્ન શ્રીમદ્દ તો અક્ષોભ જ હતા; ગત પ્રકરણમાં જેનું દર્શન કર્યું તે “અંતિમ સંદેશામાં કહ્યું છે તેમ–“નહિં તૃષ્ણ જીવ્યા તણું, મરણુયાગ નહિં ક્ષોભ,”—એવી “પરમ જિતભ' અવધૂત આનંદઘન દશા અનુભવતા આત્માનંદમગ્ન ગીન્દ રાજચંદ્રને જીવવાની તૃષ્ણા નથી અને મરણને વેગ આવી પડે તે ક્ષેભ નથી, “જીવિત કે મરણે નહિં જૂનાધિકતા એવી પરમ સમતા જ છે, અને પરમ અમૃત આત્માના અમૃતાનુભવ સિંધમાં નિરંતર પરમ રમતા જ છે. એટલે જ પરમ અમૃત આત્માના આનંદામૃતસિંધુમાં નિમગ્ન આવા શ્રીમg જેવા પરમ જ્ઞાની મૃત્યુથી ડરતા નથી, મૃત્યુ આવા જ્ઞાનીથી ડરે છે. આવા પરમનિર્ભય મૃત્યુંજય જ્ઞાનીને મૃત્યુને ભય લાગતો જ નથી. કારણ કે-હું આત્મા છું–દેહ નથી, હું–આત્મા મરતો નથી, દેહ મરે છે, હું આત્માને લઈને જે આ દેહ જીવે છે તે આ દેહને અંત આવે છે, પણ હું-આત્માના જીવનને અંત આવતું નથી, હું તે અનંત છું,