________________ પ્રકરણ એકસો આઠમું દિવ્ય જ્યોતિનું ઊર્ધ્વગમન દિવ્ય દષ્ટા યોગીશ્વર રાજચંદ્ર સકલ સેગમાર્ગના પરમ રહસ્યરૂપ આ અંતિમ સંદેશે જગતને ૧૫૭ના ચૈત્ર સુદ -aa દિને રાજકોટમાં આવે. પૂર્વે જણાવ્યા પ્રમાણે વઢવાણ કેમ્પથી શ્રીમદનું ફા. શુદ ૬ના દિને રાજકોટ આગમન થયું. શારીરિક અનારોગ્ય સ્થિતિ ઉત્તરોત્તર બગડતી ચાલી, અશક્તિ ઉત્તરોત્તર વધતી ગઈ. વ્યવહારસંબંધી સ્વજને અને પરમાર્થ સંબંધી મુમુક્ષુજનો સર્વ ખડે પગે સેવામાં હાજર થઈ ગયા હતા. આ સતત સેવાતત્પર મુમુક્ષુજનો અને સ્વજનના ભક્તિપૂર્ણ સેવાઉપચારાદિ છતાં શરીરપ્રકૃતિની ક્ષીણતા દિન-પ્રતિદિન વધતી ચાલી. રાજકેટથી ફા. વદ ૩ના અમૃતપત્રમાં (અં. 51) શ્રીમદે પ્રકાણ્યું છે કે - ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો. ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. માથે ઘણે બેજો રહ્યો હતો. તે આત્મવીએ કરી જેમ અલ્પકાળે વેદી લેવાય તેમ પ્રઘટના કરતાં પગે નિકાચિત ઉદયમાન થાક પ્રહણ કર્યો. જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી એ જ અદભુત આશ્ચર્ય છે. અવ્યાબાધ સ્થિરતા છે. પ્રકૃતિ ઉદયાનુસાર કંઈક અશાતા મુખ્યપણે વેદી શાતા પ્ર. 74 શાંતિઃ ઘણી ત્વરાથી ભવમાગને પ્રવાસ પૂરો કરવાને આ મહામોક્ષમાગી પુરુષો દઢ આત્મનિશ્ચય હતો, અને તે માટેને અસીમ આત્મપુરુષાર્થ ચાલુ હતું, અને છે, ઈ. પ્રકાશતા આ અમૃતપત્રને પૂર્વે પ્રકરણ (૧૦૩)માં સવિસ્તર વિચાર કર્યો છે, એટલે તેનું પિષ્ટપેષણ નહિ કરતાં, અત્ર સ્પષ્ટ જણાવ્યું છે તેમ તીવ્ર અસાતાઉદય મધ્યે પણ શ્રીમદના દિવ્ય આત્માની તે અવ્યાબાધ સ્થિરતા જ છે,–જ્યાં જરા પણ લેશ પણ આબાધા નથી એવી અવ્યાબાધ આત્મામાં જ સ્થિર વર્તાવારૂપ પણ આત્મરિથતિ છે. અત્યારે જ્યારે મુખ્યપણે તીવ્ર અસાતાને ઉદય છે એવી આ શારીરિક અવસ્થતામાં પણ શ્રીમાની અવ્યાબાધ આત્મસ્થિરતારૂપ આત્મસ્વસ્થતા કેવી અદૂભુત હતી તે આ તેમને અમૃતપત્ર પ્રકાશે છે. આ પછી ફા. વદ ૧૩ના દિને લખાયેલા પત્રમાં શ્રીમદ્દ લખે છે–“શરીરસંબંધમાં બીજી વાર આજે અપ્રાકૃત ક્રમ શરૂ થયો.” શરીરસંબંધી પ્રકૃતિમાં જે સામાન્યપણે ચાલ્યો આવતો હતો તે પ્રાકૃત ક્રમને બદલે અપ્રાકૃત ક્રમ બીજી વાર શરૂ થયે, અર્થાત્ શરીરપ્રકૃતિ વિશેષ બગડતી ચાલી, શરીરસ્વાથ્ય બગડતું ગયું. આવી શરીરની આ અત્યંત અસ્વસ્થ સ્થિતિમાં પણ આત્મસ્વસ્થ સ્વરૂપસ્થ શ્રીમદની અદ્ભુત આત્મભાવના જોવા જેવી છે-“જ્ઞાનીઓને સનાતન સન્માર્ગ જયવંત વતે -