________________ અંતિમ સંદેશ 771 પ્રત્યે જવાને માગે તે ધ્રુવ માર્ગ. આમ જે પરમ વીતરાગભાવરૂપ અસંગ આત્મચારિત્રને જેને અસંગાનુષ્ઠાન નામે ઓળખે છે, તેને જ અન્યદર્શનીઓએ પણ જુદા જુદા નામે ગાઈ તેને મહામહિમા વિસ્તાર્યો છે. અને આમ પરમાણુમાત્ર પણ પરભાવ-વિભાવની વાસનાના પશલેશથી રહિત એવું આ પરમ અસંગ વીતરાગપદ– જિનપદ, શિવપદ, બુદ્ધ પદ, વિષ્ણુપદ છે; અને તે પામવાને માર્ગ પણ તે જ અસંગઅનુષ્ઠાનરૂપ છે. આટલી પશ્ચાદ્ભૂમિકા પરથી હવે આ પ્રસ્તુત કાવ્યને મર્મ સમજવો સરલ થશે. સકલ ગમાર્ગના પરમ રહસ્યરૂપ આ “ઈચ્છે છે જે જોગીજન” વાળું પરમ અદ્ભુત અમર કાવ્ય કે જે ચોગીશ્વર શ્રીમદ્ રાજચંદ્રજીની અંતિમ કૃતિ છે, તેની આ અંતિમ ગાથામાં ઉપરોક્ત સર્વ નામોનો પરમાર્થભાવ સુંદર સરલ ને સ્પષ્ટ શૈલીમાં ઉત્તમ રીતે ગૂંથેલે દૃશ્ય થાય છે –સુખના ધામરૂપ અનંત-શાશ્વત-ધવ એવા આ પરમ પદને સંતજને-જોગીજને ચાહે છે, નિરંતર ઈચ્છે છે, એટલે જ રાતદિવસ તેના જ ધ્યાનમાં રહે છે. સુધામય–અમૃતમય એવી પરમ શાંતિ જ્યાં પ્રવહે છે એવા આ પદને નમસ્કાર હે! એ પદ “વર’ છે અર્થાત્ યોગીઓએ વરેલું–પસંદ કરેલું (Choicest) પરમ પદ છે. એવું તે પદ જયવંત વર્ષો ! અત્રે “સુખધામ” શબ્દથી તેનું શિવપણું અને અનંત” શબ્દથી ધ્રુવપણું બતાવ્યું છે. “સુધામય” શબ્દથી વિભાગપરિક્ષયનું સૂચન છે, અને “પર શાંતિ અનંત પદથી પ્રશાંતવાહિતા પ્રદર્શિત કરી છે. આમ એક જ કંડિકામાં સર્વ દર્શનેના રોગશાસ્ત્રને પરમ સંમત એવી યોગપરિ. ભાષાનો પરમ રહસ્યરૂપ અનુપમ પરમાર્થ કેવી અપૂર્વ સરલતાથી પ્રકાશે છે! ખરેખર! શ્રીમદને આ છેલ્લામાં છેલ્લો શબ્દ એ સર્વ શાને પણ છેલ્લામાં છેલ્લે (Last word) શબ્દ જ છે. આવું આ છેલ્લું સૂત્ર જેમાં ચૂડામણિરૂપ પ્રદ્યોતે છે, એવું ચતુર્દશસૂત્રમય આ અમર કાવ્ય અચિંત્યચિંતામણિરત્નનિધાન આ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથના ઉત્તમાંગે શેભતે ચતુર્દશચિંતામણિરત્નમય મુગટ હેયની ! પરમ તવામૃતપાનથી પરમ અમૃત થયેલા મહાવિબુધ શ્રીમદ્ રાજચંદ્ર અપૂર્વ તત્ત્વસમુદ્રમંથનથી પ્રગટ કરેલ ચતુર્દશરત્ન હાયની! પરમ આશયગંભીર ચતુર્દશસૂત્રોથી સૂત્રિત કરેલું આ દિવ્ય કાવ્ય જાણે પરમામૃતસંભૂત અમૃતકુંભ હાયની! આવી અચિંત્યચિંતામણિરત્નનિધાન અમૃત (Immortal, nectar-like) slaen 247 (Immortal, nectar like) 45 bat શ્રીમદનો આ અદ્ભુત છે જગતને આપેલે ભવ્ય વારસો! આવું અદ્ભુત છે શ્રીમદ્દનું આ છેલ્લું મહાપ્રાકૃત'! આ અદ્ભુત છે શ્રીમદને આ અંતિમ દિવ્ય સંદેશે ! જય રાજચંદ્ર!