________________ 770 અધ્યાત્મ રાજચંદ્ર પરમ પરમાર્થગંભીર સૂત્રમાં સંસારનું અને મોક્ષનું પરમ રહસ્યભૂત તત્વ પ્રકાશે છે– ઉપજે મેહ વિક૯૫થી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહીં વાર. મોહવિકલ્પથી આ સંસાર ઉપજે છે–ઉત્પન્ન થાય છે અને અંતર્મુખ અવલોકન કરતાં તે સંસારને વિલય થતાં વાર લાગતી નથી. આમ સંસારની ઉત્પત્તિનું અને સંસારના વિલયનું-મોક્ષનું તત્વ ખુલ્લું કરતી–તત્વજ્ઞાનને અમૂલ્ય ખજાને ખેલી આપતી રહસ્યચાવી (master-key) એક જ સૂત્રમાં અપૂર્વ તત્વચમત્કૃતિથી દર્શાવી આપી, આ ચતુર્દશસૂત્રમય અમર કાવ્યનું ચૂડારત્નરૂપ ચતુર્દશમું અમૃત સૂત્ર પ્રકાશે છે– સુખધામ અનંત સુસંત ચહી, દિન રાત રહે તદ ધ્યાન મહીં; પર શાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે, વર તે, જય તે. શ્રીમદૂના અંતિમ સંદેશારૂપ આ અંતિમ કાવ્યના આ અંતિમ સૂત્રનું હાર્દ સમજવા માટે તેની પશ્ચાદ્ભૂમિકા (Back-ground) સમજવી જોઈએ. ઉપરમાં કહ્યું તેમ અંતમુ ખ અવલોકતાં સર્વ વિક૯૫ને નાશ થઈ નિવિકલપ અસંગ દશા પ્રગટે છે. આ નિર્વિક૯૫ અસંગદશા એ જ સર્વ યેગીઓનું-સર્વ જોગીજનનું ધ્યેય છે. (1) આ અસંગઅનુષ્ઠાનને સાંખ્યદર્શની–ગદર્શની પ્રશાંતવાહિતા નામે ઓળખે છે. જ્યાં પ્રશાંત-અત્યંત શાંતવાહિતા–વહનભાવ છે, જ્યાં અખંડ શાંતસુધારસનો પ્રશાંત એકધારે પ્રવાહ વહ્યા કરે છે, તે પ્રશાંતવાહિતા છે, જ્યાં અખંડ આત્મસ્થિતિરૂપ પરમ પ્રશાંત ચૈતન્ય રસામૃતસાગરમાં નિમજજનમય અખંડ એકધારે આત્મભાવ પ્રવાહ વહ્યા કરે છે, તે પ્રશાંતવાહિતા છે. (2) બૌદ્ધદર્શની તેને વિભાગ પરિક્ષય કહે છે. જ્યાં વિસભાગનો પરિક્ષય છે તે વિસભાગપરિક્ષય. આને પરમાર્થ એમ સમજાય છે કે–અનાદિ કુવાસનામય વિષને જ્યાં પરિક્ષય-સર્વથા ક્ષય હોય છે તે વિસભાગપરિક્ષય છે. આ કુવાસનામય વિષને સર્વનાશ થતાં, પરમ અમૃતસ્વરૂપ આત્મા જ્યાં સ્વસ્વભાવે પ્રગટ થાય છે, તે વિભાગપરિક્ષય છે. (3) શેવે તેને શિવવર્મા–શિવમાર્ગ કહે છે. શિવ એટલે પરમ તત્વરૂપ મોક્ષ અથવા કલ્યાણ-નિઃશ્રેયસૂ; તેને પામવાનો માર્ગ, તેના પ્રત્યે જતા માર્ગ તે શિવવત્મ-શિવમાર્ગ–મોક્ષમાર્ગ; અથવા શિવ એટલે શાંતિ, પરમ આત્મશાંતિ પામવાને માર્ગ તે શિવવત્મ. (4) મહાવ્રતિકે તેને પ્રવાધ્વ–ધ્રુવમાગ નામ આપે છે. ધ્રુવ એટલે ત્રણે કાળમાં જે કદી ચલે નહિં, ફરે નહિ એવું અચલ પદ. જેમ ધ્રુવને તારે કદી ફરે નહિં, ચલે નહિં, ધવ જ રહે, તેમ જે કદી ફરે નહિં, ચલે નહિ, ધ્રુવ જ રહે તે ધ્રુવ પદ. તે ધ્રુવપદ