________________ અંતિમ સંદેશ 767 અને આ ઉપન્ય પ્રકરણમાં એમને અંતિમ દિવ્ય સંદેશ શું છે? તે આપણે હવે સાંભળવાન છે. શ્રીમદને આ અંતિમ સંદેશે તે બીજે કઈ નહિં પણ શ્રીમદૂના છેલ્લા–અંતિમ સંદેશારૂપ “ઈચ્છે છે જે જોગીજન” એ અમર પંક્તિથી શરૂ થતું અમર કાવ્ય. દેહત્સર્ગપૂર્વે થોડા જ દિવસે મુમુક્ષુજનની વિનયપૂર્ણ વિજ્ઞપ્તિથી શ્રીમદે જે દિવ્ય અંતિમ સંદેશ આપે તે જ આ ઇચ્છે છે પદથી ઇચ્છા સૂચવતું–પોતે પરમ ઈષ્ટ માનેલું અલૌકિક અનુભવઅમૃત. શ્રીમદ્દના એક ચરિત્રાલેખક સદ્. શ્રી મનસુખભાઈ કિરતચંદ (આ લેખકના પૂ. પિતાશ્રી) “જીવનરેખા'માં લખે છે તેમ–દેહવિલય થવા પૂર્વે થોડા દિવસે (ચૈત્ર સુદ 9, રામનવમી 1957) મૂળ શુદ્ધ આત્મપદરૂપ પરમાર્થ માર્ગ (ઈએ છે જે જોગીજન ઈ.) સનિ જિનપદને હવાલે આપી પ્રકા. આનાં થોડાં પદ છે, પણ તે સંપૂર્ણ માર્ગ પ્રકાશ (પરમાર્થ માર્ગ પ્રકાશરૂ૫) છે.' સર્વકાળના સર્વ મુમુક્ષુઓને ભવસાગરમાં દીવાદાંડીની જેમ અપૂર્વ પરમાર્થમાગ પ્રદર્શક થઈ પડે એવા આ દિવ્ય ગાનમાં શ્રીમદે સકલ ગમાર્ગનું અપૂર્વ રહસ્ય પરમ અદ્ભુત ગંભીરતાથી પ્રકાશ્ય છે. ખરેખર ! સર્વ યોગશાસ્ત્રોના છેલા શબ્દરૂપ શ્રીમદનું આ છેલું કાવ્ય સર્વ મુમુક્ષુ જોગીજનને ભવ્ય પરમાર્થ –વારસો આપી જનારૂં અલૌકિક સૂત્રબદ્ધ મહાપ્રાભૂત (મહાન ભેટ) છે. આ દિવ્ય અંતિમ સંદેશ સાંભળવા આપણે ઉત્સુક થઈ રહ્યા છીએ. ચાલે, આપણે આ અંતિમ સંદેશ સાંભળીએ, અને આ સૂત્રનિબદ્ધ અમૂલ્ય મહાપ્રાભૂતને ઉખેળીએ અને ઉકેલીએ– Uછે છે જે જોગીજન, અનંત સુખસ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિનસ્વરૂપ. પરમ ઈચ્છાગ્ય–પરમ ઈષ્ટ પદ કયું ? જોગીજન’–એગમાર્ગરૂપ મોક્ષમાર્ગની યેગ્યતા ધરાવતા મુમુક્ષુ યોગીઓને સમસ્ત વર્ગ જે ઈચછે છે તે પદ કયું? મૂળ શુદ્ધ તે આત્મપદ એ જ ‘ઇ છે જે જોગીજન તે પદ છે. ચોથાથી બારમા ગુણસ્થાનની દશામાં વત્તતા સર્વ રોગીઓને સમૂહ આ મૂળ શુદ્ધ તે આત્મપદને જ ઈચ્છે છે. અને તે કેવું છે? “સોગ જિન સ્વરૂપ–ગધારી સર્વજ્ઞ વીતરાગ જે દેહ છતાં દેહાતીત જીવન્મુક્ત દશાએ વિચરી રહ્યા છે એવું તે સગિ જિનસ્વરૂપ. આવું એ પદ જગમાં પરમ પ્રમાણ ગણાતા જોગીજન શા માટે ઈચ્છે છે? તે “અનંત સુખસ્વરૂપ છે માટે. આવું અનંત સુખસ્વરૂપ સગિ જિનસ્વરૂપ તે સકલ જોગીજન ઈચ્છે છે એવું મૂળ શુદ્ધ તે આત્મપદ છે. આમ સર્વ જેગીજનનું સાધ્ય ઈષ્ટ પદ નિર્દેશી, આ ઈષ્ટ સાધ્ય પદ કેમ સાધવું ? તેના સાધનરૂપ પરમાર્થ મોક્ષમાર્ગનુંસંપૂર્ણ યોગમાર્ગનું નિરૂપણ કરતું પંચસૂત્ર પ્રકાશે છે— આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદથી દર્શાવિયે, તેહ સ્વરૂપ પ્રકાર જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિં કોઇ; લક્ષ થવાને તેહને, કહ્યાં શાસ સુખદાઈ