________________ 764 અધ્યાત્મ રાજચંદ્ર આવે છે. લઘુવયથી માંડીને તેમના વચનામૃતમાં વારંવાર મહાવીરનું જ સ્મરણ આવે છે. મહાવીર જ એમના હૃદયમાં રમતા હોય અને મહાવીરના આત્માને જ સાક્ષાત્ દેખતા હોય એમ પ્રત્યક્ષ ભાસ થાય છે. તે પૂર્વનું અનુસંધાન જ સૂચવે છે. શ્રીમદ્દના આ આત્માનુભવસિદ્ધ ઉલ્લેખ તે ખાસ સૂચક છે : “દશ પૂર્વધારી ઈત્યાદિકની આજ્ઞાનું આરાધના કરવાની મહાવીરદેવની શિક્ષા વિષે આપે જણાવ્યું તે ખરૂં છે. એણે તે ઘણુંય કહ્યું હતું પણ રહ્યું છે થોડું અને પ્રકાશક પુરુષ ગૃહસ્થાવાસમાં છે. બાકીના ગુફામાં છે. (સં. 170) આત્માને વિષે સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન શ્રી વર્ધમાનને વિષે હતું એમ જણાય છે. પૂર્ણ વીતરાગ જે બેધ તે અમને સહજે સાંભરી આવે છે.” (અ. 313). આ મહાવીરના શુદ્ધ પરમાર્થમાર્ગ પ્રત્યેના અનન્ય પરમાર્થ પ્રેમને લીધે–પરમ પરમાર્થભક્તિને લીધે જ પરમ શાસનહિતચિંતક શ્રીમદ્ પરમ કારુણ્યવૃત્તિથી આ મતભેદાતીત અખંડ એક માર્ગના ઉદ્ધારની કેવી અનન્ય શાસનદાઝથી પરમ હિતચિંતા કરતા હતા, તે આ તેમના અંતરેદુગાર જ ઉદ્ઘેષે છે– હવે, વર્તમાનમાં તે માર્ગની ઉન્નતિ થવી સંભવે છે કે કેમ? અને થાય તો શી શી રીતે થવી સંભવિત દેખાય છે, અર્થાત તે વાત ક્યાંથી જન્મ પામી કેવી રીતે, કેવા દ્વારે, કેવી સ્થિતિમાં પ્રચાર પામવી સંભવિત દેખાય છે કે કેમ? ફરી જાણે વર્ધમાનસ્વામીના વખત જે વર્તમાનકાળના ગાદિ અનુસાર તે ધર્મ ઉદય પામે એવું દીર્ઘદૃષ્ટિથી સંભવે છે? અને સંભવતું હોય તે તે શાં શાં કારણથી? (પત્રાંક 713). " હે નાથ ! કાં ધર્મોન્નતિ કરવારૂપ ઇચછા સહજપણે સમાવેશ પામે તેમ થાઓ; કાં તો તે ઈચ્છા અવશ્ય કાર્યરૂપ થાઓ. 44 ઉન્નતિનાં સાધનની સ્મૃતિ કરૂં છું –બાધબીજનું સ્વરૂપનિરૂપણુ મૂળમાર્ગ પ્રમાણે ઠામ ઠામ થાય. ઠામ ઠામ મતભેદથી કંઈજ કલ્યાણ નથી એ વાત ફેલાય. પ્રત્યક્ષ સદગુરુની આજ્ઞાએ ધર્મ છે એમ વાત લક્ષમાં આવે. દ્રવ્યાનુયેગા,- આત્મવિદ્યાપ્રકાશ થાય. ત્યાગરાગ્યના વિશેષપણાથી સાધુઓ વિચરે. નવતત્ત્વપ્રકાશ સાધુધર્મપ્રકાશ, શ્રાવકધમપ્રકાશ. વિચાર . ઘણુ જીને પ્રાપ્તિ. (અં. 79). સ્વપર પરમોપકારક પરમાર્થમય સત્યધર્મ જયવંત વર્તે. આશ્ચર્યકારક ભેદ પડી ગયા છે. ખંડિત છે.. ‘ત્યારે તમે શા માટે તે ધર્મને ઉદ્ધાર ઇચ્છે છે? પરમ કારુણ્યસ્વભાવથી. તે સદ્ધર્મ પ્રત્યેની પરમ ભક્તિથી.” (હાથનોંધ. 2-14, 15). ઇ. આવા પરમ વીતરાગમાર્ગ હિતચિંતક વીતરાગમાર્ગઉદ્ધાર માટે પરમ સમર્થ શ્રીમદ્દના જીવનને આદર્શ મહાવીર હતા. શ્રીમદ્ પિતાની અધ્યાત્મજીવનચર્યામાં પદે પદે વીતરાગ મહાવીરના મહાન આદર્શને જ અનુસર્યા છે. આ અધ્યાત્મ રાજચંદ્ર ગ્રંથમાં સવિસ્તર યથાસ્થાને દર્શાવવામાં આવ્યું તેમ વીતરાગ શ્રીમની