________________ મહાવીરના મહાન માર્ગને મહાન ઉદ્ધારક 763 રાજચંદ્રના જીવન પર ભગવાન્ મહાવીરની અનન્ય છાપ છે. પૂર્વ જન્મમાં શ્રીમદે શ્રીમુખે પ્રકાણ્યું છે તેમ તેઓ–“ભગવાન મહાવીરના છેલ્લા અંતેવાસી શિષ્ય હતા અને લઘુશંકા જેટલા પ્રમાદને લઈ આટલા ભવ કરવા પડ્યા હતા.” ભગવાન મહાવીર જેવા પરમ સદ્ગુરુના સાક્ષાત્ ચરણોપાસનને અપૂર્વ વેગ જેને પૂર્વે પ્રાપ્ત થયા હોય, ભગવાન મહાવીર જેવા પરમ સદ્ગુરુના ચરણે જેને પરમ બેધામૃતનું પાન કરવાને અપૂર્વ અવસર આવ્યું હોય, એવા આ રાજચંદ્રનો દિવ્ય આત્મા આ જન્મમાં અપૂર્વ સંસ્કારવાર લઈને અવતર્યો હોય એમાં પૂછવું જ શું? અને સાક્ષાત્ ભગવાન, મહાવીર પાસેથી સંસ્કારવારસો લઈને આવેલા આ દિવ્ય મહાત્માએ તે પછીના વીસ વર્ષના ગાળામાં ઉત્તમ ઉત્તમ જન્મમાં તે જ્ઞાનવારસાને એર બહલા હશે એ પૂરેપૂરું સંભવિત છે, એમ આ જ્ઞાનાવતાર પુરુષના અદ્ભુત કેત્તર ચરિત્રનો વિચાર કરતાં સુવિચક્ષણ સુવિવેકી જનેના અંતમાં સહજ અનુમાનથી ધ્વનિત થાય છે. તેમજઈડરના મહારાજાની સાથેના વાર્તાલાપ પ્રસંગમાં શ્રીમદે શ્રીમુખે પ્રકાર્યું હતું તેમ– “જિનશાસનને પૂર્ણપણે પ્રકાશ કરનાર આ છેલ્લા તીર્થકર અને તેઓના શિષ્ય ગૌતમ આદિ ગણધર વિચરેલાને ભાસ થાય છે. તેઓના શિષ્ય નિર્વાણને પામ્યા; તેમને એક પાછળ રહી ગયેલ જેનો જન્મ આ કાળમાં થયેલો છે. તેનાથી ઘણા જીવનું કલ્યાણ થવાનો સંભવ છે.”—એ ગૂઢાર્થ ઉલ્લેખ પણ માર્મિકપણે સ્પષ્ટ કહી જાય છે કે મહાવરના ચરણ સમીપે બેસનારો-ઉપનિષદુ કરનાર–તે પરમ સદ્ગુરુમુખે શ્રવણ કરનારે આ કાળમાં જન્મેલો પુરુષ તે બીજે કેઈનહિં પણ આ રાજચંદ્ર પિતે જ, અને તે આ રાજચંદ્ર મહાવીરનો દિવ્ય સંદેશ જગને વિતરવા માટે આ કાળમાં જન્મ્યો છે. અને એના થકી ઘણું જીવનું કલ્યાણ થવાનો સંભવ છે, એમ યથાર્થ આત્મસામર્થ્યના નિરભિમાન ભાનથી કહ્યું છે, અને એ આર્ષવાણી પ્રમાણે થયું છે પણ તેમજ,–આ જગતકલ્યાણુકર પરમ પુરુષ થકી લાખ અને ઉદ્ધાર-કલ્યાણમાગ થા છે; થાય છે અને થશે પત્રાંક ૭માં પણ શ્રીમદુનો તે જ સૂચક ઉલ્લેખ છે જે મહાકામ માટે તું જમ્યા છે. તે મહાકામનું અનુપ્રેક્ષણ કર. 4 4 કાર્યસિદ્ધિ કરીને ચાલ્યો જા.” અને શ્રીમદના દિવ્ય અધ્યાત્મજીવન પ્રત્યે દષ્ટિપાત કરતાં જણાય છે કે શ્રીમદ્દના દિવ્ય આત્માના પ્રદેશ પ્રદેશે જે અનન્ય સદ્ગુરુભક્તિ છલકાય છે–ઉભરાય છે, તે આ પરમ સદગુરુ ભગવાન્ મહાવીરના આ સાક્ષાત્ પૂર્વ પ્રાપ્ત અપૂર્વ યોગના અપૂર્વ અનુસારને લઈને જ છે, પૂર્વ જન્મની આ ગુરુ-શિષ્યસંબંધરૂપ અપૂર્વ અનુસંધિને લઈને જ છે. આવા પરમ ભાવપૂર્ણ સહજ ઉદ્ગાર આની અમર સાક્ષી પોકારે છે– અહો ! સર્વોત્કૃષ્ટ શાંતરસમય સન્માર્ગ– અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞદેવ– અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીત કરાવ્યો એવા પરમકૃપાળુ સદ્દગુર દેવઆ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તા, જયવંત વર્તે.” આ પરમગુરુ મહાવીરનું જ અનુસ્મરણ શ્રીમા જીવનમાં સદેદિત ચાલ્યું