SearchBrowseAboutContactDonate
Page Preview
Page 810
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરના મહાન માર્ગને મહાન ઉદ્ધારક 761 વર્તે જ્ઞાન” એવી કેવલજ્ઞાનની કેવી અલૌકિક પરમાર્થ વ્યાખ્યા પ્રકાશી છે; પંચમકાળદુષમકાળમાં મુમુક્ષુઓને ઓર વિશેષ આત્મજાગ્રતિ રાખવાનો કે અનુપમ બોધ કર્યો છે; મોક્ષ અને મોક્ષપુરુષાર્થની કેવી અપૂર્વ પ્રેરણા કરી છે; આત્માથી મુમુક્ષુઓને અલૌકિક આત્મદષ્ટિ આપી કેવું આત્માથે અમૃતપાન કરાવ્યું છે,–તેનું આપણે આ પ્રકરણમાં યથાસ્થાને દર્શન કર્યું છે. મહાવીરના મહાનું માર્ગના મહાનું ઉદ્ધારક આ જીવન્મુક્ત-મૂર્તાિમાન મોક્ષસ્વરૂપ સાક્ષાત્ આત્મસિદ્ધિસ્વરૂપ પરમ સિદ્ધ યોગીશ્વર શ્રીમદ રાજચંદ્ર, મહાવીરનો મહાન માગ ઉદ્યોતતી મહાદર્શનપ્રભાવક મોક્ષમાળામાં મોક્ષમાર્ગનું કેવું સંપૂર્ણ દર્શન કરાવ્યું છે; ષપદના અમૃતપત્રમાં અને આ અવનિના અમૃત આત્મસિદ્ધિ અમૃત શાસ્ત્રમાં આત્મસિદ્ધિનો કેવો અમૃત માર્ગ પ્રકારો છે; “મૂળ મારગ સાંભળે જિનને રેએ દિવ્ય પંક્તિનો રણકાર કરતા અમૃત કાવ્યમાં શુદ્ધ આત્માને જાણવા-દેખવા (શ્રદ્ધવા)–અનુચરવારૂપ સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્રમય શુદ્ધ આત્માને પામવાને મહાવીરનો માર્ગ સંભળાવતાં, કેવો પરમાર્થભૂત મૂળમાર્ગ પ્રદ્યો છે, અને આમ “થશે અવશ્ય આ દેહથી સત્યધર્મને ઉદ્ધાર " એ પિતાની જીવનધારણ સિદ્ધ કરતાં શુદ્ધ આત્માને દેખવા-જાણવા-અનુચરવારૂપ શુદ્ધ આત્મધર્મરૂપ સત્યધર્મને કે અનન્ય ઉદ્ધાર કર્યો છે –તેનું પણ આપણે અત્રે તે તે પ્રકરણમાં યથાવત દર્શન કર્યું છે. મહાવીરના મહાનું માર્ગના આવા મહાનું ઉદ્ધારક પરમ જ્ઞાનીશ્વર પરમ ગીશ્વર શ્રીમદ્ રાજચંદ્ર આ મહાન માર્ગે માત્ર યથાવત્ પ્રબે-પ્રદ્યોત્યો છે એટલું જ નહિં, યથાવત યથાર્થ પ્રરૂપણું કરી છે એટલું જ નહિ, પણ સ્વયં પોતે યથાવત્ આચર્યો છે, યથાવત્ યથાર્થ આચરણ કરી આમાનુભવસિદ્ધ કર્યો છે. એ જ આ પરમ પુરુષ-પુરુષોત્તમની સર્વાતિશાયિની મોટામાં મોટી મહત્તા છે. કારણ કે-પૂર્વના પ્રબળ આરાધક આ આત્મપુરુષાથી કુલગી-આજન્મયોગીની બાલ્યવયમાં જાતિસ્મૃતિ કેવી હતી, ત્વરિત થતોપાસના કેવી હતી, ભગવાન્ મહાવીર જેવા પરમ સદ્દગુરુના સાક્ષાત્ ચરણોપાસનના પૂર્વ પ્રાપ્ત રોગને “આવ્યો અપૂર્વ અનુસાર કેવો હતો, સત્યધર્મઉદ્ધારને ભવ્ય મનોરથ કેવો હતો, મહાવીરના વીતરાગ માગને અનન્ય નિશ્ચય કેવો હતે, આત્મદષ્ટિ અને ચારિત્રસૃષ્ટિ કેવી હતી, શુકલ અંતઃકરણ અને અંતરંગ ત્યાગવૈરાગ્ય કેવા હતા, ગૃહાશ્રમ મધ્યે પણ પરમ વિરક્ત દશા કેવી હતી, બાહ્યપ્રવૃત્તિ મળે પણ અંતરંગ નિવૃત્તિ કેવી હતી, જીવનસૂત્રો અને જીવનક્રમ કેવો હતે, તત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન કેવું હતું, આત્માનુભૂતિને દિવ્ય પ્રકાશ કે હતો, આત્મસંવેદન કેવું હતું, અંતરંગ નિગ્રંથશ્રેણી અને અંતરાત્માની સમશ્રેણી કેવી હતી, અસ્થિમજજા ધર્મરંગ કેવો હતો, સંગતિશય–પરમવૈરાગ્ય કેવો હતો, મોક્ષની અનન્ય તમન્ના કેવી હતી, વિશ્વના કોયડાને ઉકેલ કેવો હતો, લેક પુરુષનું પ્રાપ્ત રહસ્ય કેવું હતું, મહાકામ માટે જન્મેલા આ “રામ”ની આત્મારામતા કેવી હતી, એ આપણે અત્રે તે તે પ્રકરણમાં સાક્ષાત્ અવલોકયું છે. આ પરમ આત્મપુરુષાથી પરમ અ૮૬
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy