________________ 760 અધ્યાત્મ રાજથઇ શી એની શૈલી ! જ્યાં આત્માને વિકારમય થવાનો અનંતશ પણ રહ્યો નથી. શુદ્ધ, સફટિક, ફીણ અને ચંદ્રથી ઉજજવલ શુકલધ્યાનની શ્રેણિથી પ્રવાહરૂપે નીકળેલાં તે નિર્મથના પવિત્ર વયની મને-તમને ત્રિકાળ શ્રદ્ધા રહે–(અં. પ૨). બંધ મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દશનને વિષે યથાર્થ પણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે; અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને જગ્ય જે કેઈ અમે વિશેષપણે માનતા હોઈએ તે તે શ્રી તીર્થકર દેવ છે. અને એ જે શ્રી તીર્થંકરદેવને અંતરૂ આશય તે પ્રાયે મુખ્યપણે અત્યારે કેઇને વિષે આ ક્ષેત્રે હોય તો તે અમે હઈશું એમ અમને દઢ કરીને ભાસે છે, કારણ કે જે અમારૂં અનુભવજ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે, અને વીતરાગનું કહેલું જે શ્રતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે; માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ, સાચા છીએ. (અં. 322) એ પુરુષ યથાર્થ વક્તા હતો. અયથાર્થ કહેવાનું તેમને કઈ નિમિત્ત નહતું, સર્વ કરતાં વીતરાગનાં વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે, કેમકે જ્યાં રાગાદિ દોષને સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાનસ્વભાવ પ્રગટવાયોગ્ય નિયમ ઘટે છે. જેમ ભગવાન જિને નિરૂપણ કર્યું છે તેમ જ સર્વ પદાર્થનું સ્વરૂપ છે - હાથોંધ 1-17, 61, 2-22. આમ જેને પરમેત્તમ વીતરાગમાગને આત્માનુભવસિદ્ધ અનન્ય આત્મનિશ્ચય હતે, એવા આ પરમ જ્ઞાનાવતાર પરમ ધર્મમૂર્તિ શ્રીમદ રાજચંદ્ર –પરમ પુરુષ વીતરાગને અનુસરીને કે “પંથ પરમ પદ બધ્ધ છે; “જિનવર કહે છે જ્ઞાન તેને એ સર્વ ભને સંભળાવતાં કે દિવ્ય જ્ઞાનપ્રકાશ રેલાવ્યું છે, અપૂર્વ અવસર એ ક્યારે આવશે એ પરમપદપ્રાપ્તિને પરમ ભવ્ય મનોરથ ગાતાં કે અનુપમ ગુણસ્થાનકમ પ્રકા છે; લેક રૂ૫ અલેકે દેખ' એ રહસ્યભૂત પદથી લેક પુરુષનું કેવું અલૌકિક રહસ્ય ઉદ્યોત્યું છે; “જડભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ” એ પદમાં સમસ્ત દ્રવ્યાનુયોગને કે આત્માનુભવસિદ્ધ નિષ્કર્ષ આપ્યો છે, “હે પ્રભુ! હે પ્રભુ! શું કહું એ વિશ દેહરામાં કેવું અદ્ભુત સદ્ગુરુભક્તિરહસ્ય ગાયું છે, “યમ નિયમ સંયમ આપ કિયો' એ આઠ ત્રાટકમાં સદ્દગુરુગમનું કેવું ઊંડું રહસ્ય પ્રકાશ્ય છે; ઈચ્છે છે જે જોગીજન” એવા “મૂળ શુદ્ધ તે આત્મપદની પ્રાપ્તિના પરમાર્થમાગને - સકલ યોગશાસ્ત્રના પરમ રહસ્યરૂપ યોગમાર્ગને કે અમર “અંતિમ સંદેશ આપ્યો છે, તેનું અત્રે આપણે વિવિધ પ્રકરણમાં યથાસ્થિત અવલોકન કર્યું છે. આ પરમ જ્ઞાનેશ્વરી પરમ દાનેશ્વરી પરમ જગદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર મુમુક્ષુઓને અને મુનિઓને અપૂર્વ માર્ગદર્શન આપતાં, સત્ અને સની પ્રાપ્તિનો માર્ગ સજીવનમૂત્તિ સદ્દગુરુ જ છે એમ પાવે નહિં ગુરુગમ વિના યેહી અનાદિ સ્થિત” એવા શાશ્વત ગુરુગમગમ્ય માર્ગની કેવી મહાપ્રતિષ્ઠા કરી છે, ઉપદેશબંધ અને સિદ્ધાંતબોધ એમ બધના સ્પષ્ટ બે ભેદ પાડી કેવું અદ્ભુત નિgષ સ્પષ્ટીકરણ કર્યું છે, ગૂઢ પ્રશ્નોના ઉકેલનું તત્ત્વમંથન કરી લેવું તત્વ-નવનીત આપ્યું છે, કેવલ નિજ સ્વભાવનું અખંડ