________________ ૭પ૮ અધ્યાત્મ રાજચંદ્ર કહેલા લેક સંસ્થાનાદિ ભાવ અધ્યાત્મિકદષ્ટિયી સિદ્ધ થવા એગ્ય છે, ઈ.” (અં. 714) અને લેકદૃષ્ટિના લેકાદિ સ્વરૂપ અંગેના વર્તમાન વર્ણનોથી વ્યામોહ પામતા જનની ભ્રાંતિ દૂર કરતું આ અલૌકિક અધ્યાત્મરહસ્ય પ્રકાશમાં આ વર્તમાનયુગના અલૌકિક સંતશિરોમણિ રાજચંદ્ર સંતજનેને આ આત્મસ્પર્શ ભાવપૂર્ણ ઉદ્બોધન કરે છે - સંતજને! જિનવરેન્દ્રોએ લોકાદિ જે સ્વરૂપ નિરૂપણ કર્યા છે, તે આલંકારિક ભાષામાં નિરૂપણ છે, જે પૂર્ણ યોગાભ્યાસ વિના જ્ઞાનગોચર થવા ગ્ય નથી. માટે તમે તમારા અપૂર્ણ જ્ઞાનને આધારે વીતરાગના વાક્યોને વિરોધ કરતા નહીં; પણ વેગને અભ્યાસ કરી પૂર્ણતાએ તે સ્વરૂપના જ્ઞાતા થવાનું રાખજો. અં. 94. અને આ અલૌકિક અધ્યાત્મદષ્ટિથી જ આ અલૌકિક અધ્યાત્મપ્રધાન જિનમાર્ગવીતરાગમાર્ગ અવલોકવા ગ્ય છે એમ સ્પષ્ટ પ્રકાશી, “મૂળમાર્ગ” ઉદ્ધારનારા ને જગતને આત્મસિદ્ધિનું દર્શન કરાવનારા આ દિવ્ય દૃષ્ટા જગદગુર અંતર્મુખ અવલકવાની આ અલૌકિક અદ્દભુત રહસ્યદષ્ટિ જગતને અર્પે છે: “સતત અંતર્મુખ ઉપગે સ્થિતિ એ જ નિર્મથને પરમ ધર્મ છે. એક સમય પણ ઉપયોગ બહિર્મુખ કરે નહીં એ નિગ્રંથને મુખ્ય માર્ગ છે.” ઈત્યાદિ (અં. 767). કેવળ અંતર્મુખ થવાને પુરુષને માર્ગ સર્વ દુઃખક્ષયને ઉપાય છે.” (અં. 816) “હે આર્ય! અંતર્મુખ થવાને અભ્યાસ કરે.” (અં.૩ર) અને આ કેવળ અંતર્મુખ અવલોકનને માર્ગ એ જ આત્મકલ્યાણને માર્ગ છે, એમ પરમ રહસ્યભૂત વસ્તુની ડિડિમ નાદથી ઉદ્ઘેષણા કરતા આ જગતકલ્યાણકર દિવ્ય દૃષ્ટા યોગીશ્વર, સકલ ચોગમાર્ગના પરમ રહસ્યરૂપ “ઈએ છે જે જોગીજન એ અંતિમ સંદેશામાં અંતર્મુખ અવકનને આ દિવ્ય સંદેશ જગતને અર્પે છે— ઉપજે મેહ વિકલપથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહી વાર.