SearchBrowseAboutContactDonate
Page Preview
Page 805
Loading...
Download File
Download File
Page Text
________________ 756 અધ્યાત્મ રાજચંદ્ર છે, અને તે જ વાક્ય અનુપ્રેક્ષાગ્ય મુખ્યપણે છે. તે કાર્યની સિદ્ધિને અર્થે સર્વ સાધન કહ્યાં છે. અહંતાદિ વધવાને માટે, બાહ્ય ક્રિયા, કે મતના આગ્રહ માટે, સંપ્રદાય ચલાવવા માટે, કે પૂજા શ્લાઘાદિ પામવા અર્થે, કે મહાપુરુષને કંઇ ઉપદેશ છે નહીં, અને તે જ કાર્ય કરવાના સર્વથા આજ્ઞા જ્ઞાની પુરુષની છે. પોતાને વિષે ઉત્પન્ન થયો હોય એ કઈ મહિમાગ્ય ગુણ તેથી ઉત્કર્ષ પામવું ઘટતું નથી, પણ અપ પણ નિજદોષ જોઈને ફરી ફરી પશ્ચાત્તાપમાં પડવું ઘટે છે, અને વિના પ્રમાદે તેથી પાછું ફરવું ઘટે છે; એ ભલામણ જ્ઞાનીપુરુષનાં વચનમાં સર્વત્ર રહી છે; અને તે ભાવ આવવા માટે સત્સંગ, સદ્દગુરુ અને સશાસ્ત્રાદિ સાધન કહ્યાં છે, જે અનન્ય નિમિત્ત છે. તે સાધનની આરાધના જીવને નિજસ્વરૂપ કરવાના હેતુપણે જ છે, તથાપિ જીવ જો ત્યાં પણ વંચનાબુદ્ધિએ પ્રવર્તે તો કઈ દિવસ કલ્યાણ થાય નહીં. વંચનાબુદ્ધિ એટલે સત્સંગ, સદ્દગુરુ આદિને વિષે ખરા આત્મભાવે માહાસ્યબુદ્ધિ ઘટે તે માહાત્મયબુદ્ધિ નહીં, અને પોતાના આત્માને અજ્ઞાનપણું જ વસ્ય કર્યું છે, માટે તેની અલ્પતા, લઘુતા વિચારી અમાહાબુદ્ધિ નહીં; તે સત્સંગ, સદ્દગુરુ આદિને વિષે આરાધવાં નહીં એ પણ વંચનાબુદ્ધિ છે ત્યાં પણ જે જીવ લધુતા ધારણ ન કરે તે પ્રત્યક્ષપણે જીવ ભવપરિભ્રમણથી ભય નથી પામતો એમજ વિચારવા યોગ્ય છે. વધારે લક્ષ તો પ્રથમ જીવને જે આ થાય તો સર્વ શાસ્ત્રાર્થ અને આત્માથે સહેજે સિદ્ધ થવા સંભવે છે.” (અં, પર૬). આમ નિરંતર આત્માર્થદષ્ટિને પરમ અમૃતબોધ વર્ષાવના પરમ આત્મદષ્ટા શ્રીમદ્ રાજચંદ્ર સર્વત્ર આત્મા પ્રત્યે જ દષ્ટિ કેન્દ્રિત કરાવી છે અને આત્માર્થને આત્મકલ્યાણને પરમ અમૃત પંથ પ્રકાશ્ય છે. જેણે આત્મા જાણે તેણે સર્વ જાણું (નિગ્રંથ પ્રવચન) એ પરમ અમૃત સત્ર મોક્ષમાળાના મુખપૃષ્ઠ પર મૂકયું તે પરથી, અને “જબ જાન્યો નિજ રૂપકે, તબ જા સબ લેક; નહિં જાને નિજ રૂપકે, સબ જાને સો ફેક એ અમૃત ગાથા પરથી પરમ આત્મજ્ઞાની જગદગુરુ શ્રીમદ આત્મજ્ઞાન પર કેવો ભાર મૂકે છે તે સ્વયં જણાઈ આવે છે; અને તેમાં શ્રીમદ્દનું આ અમૃત વચન સાક્ષી પૂરે છે–“સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાના હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જે આત્મજ્ઞાન ન થાય તે સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે.” “જે હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહિં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં.” અને એટલે જ તત્ત્વનું તત્વ પ્રકાશતા એક અમૃતપત્રમાં (અં. 631) શ્રીમદ્ આ ટેકેન્ઝીણું પરમ અમૃત બોધ પ્રકાશે છે– “પ્રથમ પદમાં એમ કહ્યું છે કે હે મુમુક્ષુ ! એક આત્માને જાણતાં સમસ્ત લોકાલેકને જાણીશ અને સર્વ લોકાલોક જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે; માટે આત્માથી જુદા એવા બીજા ભાવે જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવત અને એક નિજસ્વરૂપને વિષે દષ્ટિ દે, કે જે દષ્ટિથી સમસ્ત સૃષ્ટિ પણે તારે વિષે દેખાશે. તત્વસ્વરૂપ એવાં સન્શાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્ત્વ છે; એમ તત્ત્વજ્ઞાનીઓએ કહ્યું છે, તથાપિ ઉપગપૂર્વક તે સમજાવું દુર્લભ છે. X x બીજા પદને સંક્ષેપ અર્થ સુમુક્ષ ! યમનિયમાદિ જે સાધને સર્વ શાસ્ત્રમાં કહ્યાં છે, તે ઉપર કહેલા અર્થથી
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy