________________ દિવ્ય દષ્ટા ગીશ્વર રાજયંદ્ર જગતને અપેલી અલૌકિક આત્મદષ્ટિ . 755 બીજું જે કારણ કહીએ છીએ તે અસંગપણથી સાધ્ય થયે કઈ દિવસે પણ કલ્યાણ થવા સંભવ છે. અસંગ૫ણું એટલે આત્માર્થ સિવાયના સંગપ્રસંગમાં પડવું નહીં. 44 પુસ્તક છે તે જ્ઞાનના આરાધનને અર્થે સર્વ પ્રકારના પિતાના મમત્વરહિત રખાય તે જ આત્માર્થ છે, નહીં તે મહાન પ્રતિબંધ છે, તે પણ વિચારવા યોગ્ય છે.” (અં. 430). ઈત્યાદિ. આ સર્વ સાધન પણ જ્ઞાની પુરુષની આજ્ઞા અનુસાર જ સેવવા યોગ્ય છે, તે જ આત્માર્થ સિદ્ધ થાય; પણ આ જીવે તે જ્ઞાનીની આજ્ઞા વિના પૂર્વે અનંત સાધન કર્યા છે તેથી આત્માર્થ સાધ્યો નથી, પણ ઉલટું આત્માર્થ સાધું છું એવું દુષ્ટ મિથ્યા અભિમાન કર્યું છે,-એ સ્પષ્ટ કરતાં શ્રીમદ્ માર્મિક બાધ આપે છે– જે જે સાધન આ જીવે પૂર્વકાળે કર્યો છે, તે તે સાધન જ્ઞાની પુરુષની આજ્ઞાથી થયાં જણાતાં નથી, એ વાત સંદેશારહિત લાગે છે. જે એમ થયું હોત તો જીવને સંસારપરિભ્રમણ હોય નહીં. જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે, ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે, કારણ જેને આત્માર્થ સિવાય બીજે કઈ અર્થ નથી, અને આત્માથે પણ સાધી પ્રારબ્ધવશાત જેનો દેહ છે, એવા જ્ઞાની પુરુષની આજ્ઞા તે ફક્ત આત્માર્થમાં જ સામા જીવને પ્રેરે છે અને આ જીવે તો પૂર્વ કાળે કંઈ આત્માર્થ જાણ્યો નથી; ઉલટ આત્માર્થ વિસ્મરણ પણે ચાલ્યો આવ્યો છે. તે પિતાની કલ્પના કરી સાધન કરે તેથી આત્માર્થ ન થાય, અને ઉલટું આત્માર્થ સાધું છું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય, કે જે જીવને સંસારનો મુખ્ય હેતુ છે. 4 4 એમ જ સિદ્ધાંત થાય છે કે, જ્ઞાનીપુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદને સર્વશ્રેષ્ઠ ઉપાય છે; અને એ વાત જ્યારે જીવથી મનાય છે, ત્યારથી જ બીજા દેષનું ઉપશમવું, નિવર્તવું શરૂ થાય છે.” (અં. 511) આમ સર્વ સાધન એક આત્માર્થે જ-આત્માર્થના લક્ષે જ સેવવાં મેગ્ય છે અને તે પણ જ્ઞાનીની આજ્ઞા અનુસારે જ સેવવા યોગ્ય છે. આ અંગે સર્વકાળના સર્વ મુમુક્ષુઓને પરમ માર્ગદર્શક થઈ પડે એવા આ પરમ અમૃત વચન આ મૂળમાર્ગ ઉદ્ધર્તા આત્મસિદ્ધિસણા દિવ્ય દૃષ્ટા યોગીશ્વરે પ્રકાશ્યા છે - જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એ નિશ્ચય રાખવો, કે જે કંઈ મારે કરવું છે, તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે, અને તે જ અર્થે આ ત્રણ યોગની ઉદયબળે પ્રવૃત્તિ થતી હોય તો થવા દેતાં, પણ છેવટે તે ત્રિોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકેચતાં સંકેચતાં ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. તે ઉપાય મિથ્યાગ્રહનો ત્યાગ, સ્વછંદપણાને ત્યાગ, પ્રમાદ અને ઇંદ્રિયવિષયનો ત્યાગ એ મુખ્ય છે. તે સત્સંગના યોગમાં અવશ્ય આરાધન કર્યા જ રહેવા અને સત્સંગના પક્ષપણામાં તો અવશ્ય અવશ્ય આરાધન કર્યા જ કરવાં.” (અં. 609). ગવાસિષ્ઠાદિ જે જે રૂડાં પુરુષોનાં વચને છે તે સૌ અહંવૃત્તિને પ્રતિકાર કરવા પ્રત્યે જ પ્રવર્તે છે, જે જે પ્રકારે પોતાની ભ્રાંતિ કલ્પાઈ છે, તે તે પ્રકારે તે ભ્રાંતિ સમજી તે સંબંધી અભિમાન નિવૃત્ત કરવું, એ જ સર્વ તીર્થંકરાદિ મહાત્માનું કહેવું છે; અને તે જ વાક્ય ઉપર જી વિશેષ કરી સ્થિર થવાનું છે, વિશેષ વિચારવાનું