________________ ઉ૫૪ અધ્યાત્મ રાજચંદ્ર અનંતવાર દેહને અથે આમા ગાજે છેજે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણું, સર્વ દેહાથની કલ્પના છેડી દઇ, એક માત્ર આત્માર્થમાં જ તેને ઉપયોગ કરે, એ મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ.–શ્રીમદ્ રાજચંદ્ર, અં. 719 આ આત્માર્થને અર્થે જ શ્રીમદે જીવને વિપસબુદ્ધિ છેડી વૈરાગ્ય–ઉપશમનું બળ વધારવાનું ખાસ ઉદ્બોધન કર્યું છે અને એ વૈરાગ્ય ઉપશમની વૃદ્ધિને અર્થે આરંભ પરિગ્રહના ત્યાગ પર ખાસ ભાર મૂક્યો છે. તેના સાક્ષીભૂત શ્રીમદના આ વચનામૃત છે: “ગૃહકુટુંબ પરિગ્રહાદિભાવને વિષે જે અહંતા મમતા છે અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગદ્વેષ કષાય છે, તે જ વિપર્યાસબુદ્ધિ છે, અને અહંતા મમતા તથા કષાય જ્યાં વિરાગ્ય ઉપશમ ઉદ્ભવે છે ત્યાં મંદ પડે છે, અનુક્રમે નાશ પામવાયોગ્ય થાય છે. ગૃહકુટુંબાદિભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતે એ જે કષાયલેશ તેનું મંદ થવું તે ઉપશમ છે. એટલે તે બે ગુણ વિપર્યાસબુદ્ધિને પર્યાયાંતર કરી સદ્બુદ્ધિ કરે છે. 44 વળી જ્ઞાની પુરુષની વિશેષ શિખામણ વૈરાગ્ય ઉપશમ પ્રતિબંધતી જોવામાં આવે છે. 4 x જે જીવને આરંભ પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તે વૈરાગ્ય અને ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જવા સંભવે છે, કેમકે આરંભ પરિગ્રહ તે અવૈરાગ્ય અને અનુપશમના મૂળ છે, વૈરાગ્ય અને ઉપશમના કાળ છે. (અં. 506). ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ મુમુક્ષુ જીવે સહજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે? પણ શિથિલપણાથી, પ્રમાદથી એ વાત વિસ્મૃત થઈ જાય છે.” (અં. 643). ઈ. ગમે તે ક્રિયા જપ, તપ આદિ સર્વ સાધન આ એક આત્માર્થે જ સેવવા યોગ્ય છે અને એ સર્વ સાધન કરીને પણ એક આત્માર્થનું કામ સિદ્ધ કરવાનું છે,-એ એક લક્ષ પર મુમુક્ષુ જીવનું લક્ષ કેન્દ્રિત કરાવતાં શ્રીમદ્દ પ્રકાશે છે કે–ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગની વિસ્મૃતિ કરવી અને સંતના ચરણમાં રહેવું. 4 x એ લક્ષ આગળ થયા વિના જપ, તપ, ધ્યાન કે દાન કેઈની યથાગ્ય સિદ્ધિ નથી, અને ત્યાંસુધી ધ્યાનાદિક નહીં જેવા કામના છે.” (. 299). અને આત્માથે–આત્મકલ્યાણ જે વાટે થાય તેના બે મુખ્ય કારણ દર્શાવતાં શ્રીમદ્દ પ્રકાશે છે–કલ્યાણ જે વાટે થાય છે તે વાટના મુખ્ય બે કારણ જોવામાં આવે છે. એક તો જે સંપ્રદાયમાં આત્માથે બધી અસંગાણાવાળી ક્રિયા હાય, અન્ય કોઈ પણ અર્થની ઈચ્છાએ ન હોય, અને નિરંતર જ્ઞાનદશા ઉપર જીનું ચિત્ત હોય, તેમાં અવશ્ય કલ્યાણ જન્મવાને જે જાણીએ છીએ. એમ ન હોય તે તે જેમને સંભવ થતું નથી. અત્ર તો લોકસંજ્ઞાએ, એuસંજ્ઞાઓ, માનાર્થે પૂજાથે, પદના મહત્ત્વાર્થે, શ્રાવકાદિનાં પિતાપણાથે કે એવાં બીજા કારણથી જપતપાદિ, વ્યાખ્યાનાદિ કરવાનું પ્રવર્તન થઈ ગયું છે, તે આત્માથે કઈ રીતે નથી, આત્માર્થના પ્રતિબંધરૂપ છે, માટે જે તમે કંઈ ઈચ્છા કરતા હે તે તેને ઉપાય કરવા માટે