________________ દિવ્ય દશા યોગીશ્વર રાજદ્ર જગતને અલી અલોકિક આત્મદષ્ટિ 753 ગુણગ્રાહી શ્રીમદે જે મુક્તકઠે ગુણસ્તુતિ કરી છે તે તો સુપ્રસિદ્ધ જ છે. આવા પિતાના જીવતા જાગતા જવલંત દષ્ટાંતથી પરમ ગુણધામ શ્રીમદે ગુણગ્રાહી દષ્ટિનો કે અનુપમ બોધ કર્યો છે! અને આમ મતાર્થ દષ્ટિ આત્મામાંથી વિસર્જન કરી, મુમુક્ષુએ આત્માર્થ દષ્ટિ આત્મપરિણામી કરવાને અર્થે મતાથના લક્ષણ છેડી આત્માથી મુમુક્ષુના લક્ષણ આત્મામાં પ્રગટાવવા જોઈએ; અને આ મતાર્થ જવા માટે મતાથના લક્ષણ પ્રકાશી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદે જે આત્માર્થીના લક્ષણ સ્પષ્ટ પ્રકાશ્યા છે તેને અનુસરવું જોઈએ; અર્થાત એકાંત વ્યવહારનયના કે એકાંત નિશ્ચયનયના આગ્રહી નહિં બનતાં, ક્રિયાજડપણું કે શુષ્કજ્ઞાનીપણું નહિં આચરતાં, આત્માર્થીના આ લક્ષણ આત્મામાં પ્રગટાવી સાચા આત્માથી બનવું જોઈએ? “આત્મજ્ઞાન ત્યાં મુનિમણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ ક૯૫ના, આત્માથી નહિં જોય. એક હોય ત્રણ કાળમાં, પરમારને પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમત. એમ વિચારી અંતરે, શોધે સદ્દગુરુગ; કામ એક આત્માર્થનું, બીજો નહિં મન રોગ. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માથનિવાસ. દશા ન એવી જ્યાં લગી, જીવ લહે નહિં જેગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર્ રોગ. આ જ આત્માર્થ ભાવની પુષ્ટિ કરનારા શ્રીમના બીજાં ટૅકોત્કીર્ણ વચનામૃત પણ આ રહ્યા–લૌકિકભાવ છોડી દઈ, વાચજ્ઞાન તજી દઈ, કલ્પિત વિધિનિષેધ તજી દઈ જે જીવ પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાને આરાધી, તથારૂપ ઉપદેશ પામી, તથારૂપ આત્માર્થે પ્રવર્તે તેનું અવશ્ય કલ્યાણ થાય. નિજ ક૯૫નાએ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિનું સ્વરૂપ ગમે તેમ સમજી લઈને અથવા નિશ્ચયનયાત્મક બેલે શીખી લઈને સદ્વ્યવહાર લેવામાં જે પ્રવર્તે તેથી આત્માનું કલ્યાણ થવું સ ભવતું નથી. અથવા કલ્પિત વ્યવહારના દુરાગ્રહમાં રોકાઈ રહીને પ્રવર્તતાં પણ જીવનું કલ્યાણ ન થાય. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ.”— એકાંત ક્રિયાજડત્વમાં અથવા એકાંત શુષ્કજ્ઞાનથી જીવનું કલ્યાણ ન થાય (અં. 18) ઈત્યાદિ જે ઇછો પરમાર્થ તો, કરે સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિં આત્માર્થ. (આત્મસિદ્ધિશાસ્ત્ર), “જ્ઞાનીઓએ મનુષ્યપણું ચિતામણિરત્નતુલ્ય કહ્યું છે, તે વિચારે તો પ્રત્યક્ષ જણાય તેવું છે. વિશેષ વિચારતાં તો તે મનુષ્યપણાને એક સમય પણ ચિંતામણિરત્નથી પરમ મહામ્યવાન અને મૂલ્યવાન દેખાય છે અને જે દેહાથમાં જ તે મનુષ્યપણું વ્યતીત થયું તો તો એક ફૂટી બદામની કિંમતનું નથી, એમ નિ:સંદેહ દેખાય છે. (અં. 725) અ-૨૫