SearchBrowseAboutContactDonate
Page Preview
Page 801
Loading...
Download File
Download File
Page Text
________________ 752 અયાત્મ રાજદ્ર વિચારવા યોગ્ય છે. (અં. 658). આત્માર્થ સિવાય, શાસ્ત્રની જે જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થતા માની છે, તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ છે. સ્વચ્છંદતા ટળી નથી, અને સત્સમાગમને વેગ પ્રાપ્ત થયે છે, તે યોગે પણ સ્વચ્છેદના નિર્વાહને અર્થે શાસ્ત્રના કોઈ એક વચનને બહુવચન જેવું જણાવી, છે મુખ્ય સાધન એવા સતસમાગમ તેને સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે, તે જીવને પણ “રક્ષપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. આત્મા સમજવા અર્થે શા ઉપકારી છે, અને તે પણ સ્વચ્છેદરહિત પુરુષને એટલે લક્ષ રાખી સશાસ્ત્ર વિચારાય તે તે “શાસ્ત્રીય અભિનિવેશ” ગણવા યોગ્ય નથી.” (અં. 661). શાસ્ત્રીય અને લૌકિક સર્વ પ્રકારના અભિનિવેશ આગ્રહ છોડાવવા ને આત્માર્થ દષ્ટિ જોડાવવા આ અલૌકિક જગદગુરુએ કેવી અલૌકિક દકિટ આપી છે ! કાવ્ય-સાહિત્ય-કળા આદિ અંગે પણ આ આ જગદુગુરુએ આ આત્માર્થ દષ્ટિ જ પ્રેરી છે–કાવ્ય, સાહિત્ય કે સંગીત આદિ કળા જે આત્માથે ન હોય તે કલ્પિત છે. કલ્પિત એટલે નિરર્થક, સાર્થક નહી તે, જીવની કલ્પનામાત્ર. ભક્તિપ્રજનરૂપ કે આત્માથે ન હોય તે બધું કલ્પિત જ.” આમ સર્વમતભેદાતીત–સર્વ મતાગ્રહથી પર–મત દર્શન સંપ્રદાય આદિના આગહથી પર વિશ્વગ્રાહી વિશ્વવિશાલ દષ્ટિવાળા પરમ ગુણગ્રાહી પરમ જગદ્ગુરુ શ્રીમદની નિરાગ્રહ ગુણગ્રાહીદષ્ટિ કેવી અદ્ભુત-અલૌકિક હતી, તે મત-દર્શનાદિન ભેદ વિના શ્રીમદે મુમુક્ષુજનોની–સાચા સંતજનેની જે મુક્તકંઠે પ્રશંસા કરી છે તે પરથી સ્વયં જણાઈ આવે છે. મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતાની ભક્તિ અનન્ય, અલૌકિક, અદ્ભુત અને સર્વોત્કૃષ્ટ હતી, તેમ છતાં તે નિઃસ્પૃહા હતી. (અં. 231) શ્રી કબીર સુંદરદાસ આદિ સાધુજને આત્માર્થી ગણવા યોગ્ય છે, અને શુભેચ્છાથી ઉપરની ભૂમિકામાં તેમની સ્થિતિ સંભવે છે. અત્યંત સ્વસ્વરૂપસ્થિતિ માટે તેમની જાગૃતિ અને અનુભવ પણ લક્ષગત થાય છે.–એથી વિશેષ સ્પષ્ટ અભિપ્રાય હાલ આપવાની ઈચછા નથી થતી.” (અં. 679). કણબી અને કેળી જેવી જ્ઞાતિમાં પણ માર્ગને પામેલા થડા વર્ષમાં ઘણુ પુરુ થઈ ગયા છે, તે મહાત્માઓની જનમંડળને અપિશ્ચાન હોવાને લીધે કેઈકજ તેનાથી સાર્થક સાધી શક્યું છે; જીવને મહાત્મા પ્રત્યે મેહ જ ન આવ્યા, એ કેવી ઈશ્વરી અદ્દભુત નિયતિ છે? એઓ કંઈ છેવટના જ્ઞાનને પ્રાપ્ત થયા નહોતા; પરંતુ તે મળવું તેમને બહુ સમીપમાં હતું. એવા ઘણા પુરુષનાં પદ વગેરે અહીં જોયાં. એવા પુરુષ પ્રત્યે રોમાંચ બહુ ઉલસે છે; અને જાણે નિરંતર તેવાની ચરણસેવા જ કરીએ, એ એક આકાંક્ષા રહે છે. જ્ઞાની કરતાં એવા સમક્ષ પર અતિશય ઉલ્લાસ આવે છે, તેનું કારણ એ જ કે તેઓ જ્ઞાનીના ચરણને નિરંતર સેવે છે; અને એ જ એમનું દાસત્વ અમારૂં તેમના પ્રત્યે દાસત્વ થાય છે, તેનું કારણ છે. જે ભગત, નિરાંત કોળી ઈત્યાદિક પુરુષ ભેગી (પરમ ગ્યતાવાળા) હતા.” (સં. 187). અને કુંદકુંદાચાર્ય, હરિભદ્રાચાર્ય, સમંતભદ્રાચાર્ય હેમચંદ્રાચાર્ય, આનંદઘનજી, ચિદાનંદજી, યશવિજયજી, ગુણભદ્રાચાર્ય આદિ મહાન આચાર્યોની
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy